#Clarification
ચેનલ સાથે જોડાયેલ ઘણાં મિત્રો એ મેસેજ કરેલ છે કે વર્ગ ૧ અને ૨ ની જા.ક્ર. ૩૦/૨૦૨૧૨૨ ની મુખ્ય પરીક્ષાના પરિણામ બાબતે નામ. વડી અદાલતમાં કેસ દાખલ કરવાની ઝુંબેશ ચાલી રહેલ છે, તેનું સમર્થન ન કરવું જોઈએ અને ચેનલ એડમીન તરીકે તટસ્થ રહેવું જોઈએ. જે ઘણાં અંશે ઉચિત પણ છે.
પરંતુ ઉપરોક્ત ઝુંબેશનો હેતુ મુખ્ય પરીક્ષા આપેલ તમામ ઉમેદવારોના પેપર કોઈ ક્ષતિ, કોઈને પણ અન્યાય થયાં વગર ચકાસણી થાય તેવો છે.
આજ જાહેરાતની પ્રાથમિક પરીક્ષાની પ્રથમ આવેલ ફાઈનલ આન્સર કીમાં ઘણી ભૂલો હતી, જે નામ. વડી અદાલતમાં કેસ બાદ જ GPSC દ્વારા સુધારવામાં આવેલ હતી.
માટે આ ઝુંબેશનું સમર્થન કરવાનો હેતુ એક અને માત્ર એક જ છે, કે જો ચકાસણીમાં કોઈ ક્ષતિ રહી ગયેલ હોઈ તો તેને સુધારી શકાય અને કોઈ પણ ઉમેદવાર અન્યાયનો ભોગ બને નહીં.
ચેનલની ટીમમાંથી કોઈ પણ વ્યક્તિ કેસમાં પીટીશનર નથી. માટે કેસમાં અમારો કોઈ અંગત સ્વાર્થ નથી.
ચેનલ સાથે જોડાયેલ કોઈ પણ ઉમેદવાર જેણે ઉપરોક્ત જા. ક્ર. ની મુખ્ય પરીક્ષા આપેલ હોઈ અને તેને લાગતું હોય કે તેના જોડે અન્યાય થયો છે, તો તે વ્યક્તિ કેસમાં જોડાઈ શકે છે. જે તેનો અધિકાર છે.
જમાવટ ન્યુઝની યુટ્યુબ ચેનલ પર આ જા. ક્ર. સંદર્ભે જે વીડિયોમાં કહેવામાં આવેલ છે, તેની સાથે અમે પણ સહમત નથી.
કોઈ ક્ષતિ રહેલી છે કે નહીં તે માત્ર ને માત્ર નામ. વડી અદાલત અને GPSC દ્વારા j નક્કી કરવામાં આવશે અને જે ચુકાદો કે નિર્ણય હશે તેને સ્વીકારવામાં પણ આવશે.
આભાર. 🙏😊
#Team @GPSC_StudyZone
>>Click here to continue<<