Channel: Divya Bhaskar
ઈમિગ્રેશન:H-1B વિઝા કેવી રીતે મળે?
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/how-to-get-an-h-1b-visa-135305831.html
રમેશ રાવલ સવાલ: મારો દીકરો યુકેમાં ms culinary arts કરીને psw (પોસ્ટ સ્ટડી વર્ક) પર છે. હવે તેને યુએસએમાં H-1B વિઝા કઈ રીતે મળી શકે?
- હીના શાહ, અમદાવાદ
જવાબ: અમેરિકાના H-1B વિઝા માટે કેટલીક શરતોનું પાલન કરવું પડે. જેમકે, (1) તમને અમેરિકામાં Specialty occupation workersની જોબ ઓફર આપનાર કંપની એમ્પ્લોયરે તમારા માટે નોન ઈમિગ્રન્ટ વર્કર તરીકે પિટિશન ફાઈલ કરી લેબર સર્ટિફિકેશન લેવું પડે.
(2) જો તમારી પિટિશન એપ્રૂવ થાય તો તમારે તેની સાથે DS. 160 ફોર્મ ભરી વિઝા માટે એપ્લાય કરો અને વિઝા મળે તો એમેરિકા જઈને જોબ કરી શકાય. (3) આ ઉપરાંત લોટરી સિસ્ટમ અને બીજી ઘણી બાબતોમાંથી પસાર થવું પડે. (4) આ વિઝા માટેની જરૂરી ડિગ્રી વગેરે પણ જરૂરી છે.
સવાલ: હું બિઝનેસમેન છું અને મારી બે કંપનીઓ છે. મારું 400 કરોડનું ટર્નઓવર છે. મારી ઉંમર 66 વર્ષની છે અને મારી પત્નીની ઉંમર 62 વર્ષની છે. હું ઘણા દેશોમાં જેવા કે યુરોપ, ફિનલેન્ડ, પનામા, ઝાંબિયામાં બિઝનેસ તેમજ ટુરિસ્ટ તરીકે ટ્રાવેલ કરી ચૂક્યો છું. હવે મારે અને મારી પત્નીએ અમેરિકાના વિઝિટર વિઝા માટે તમને રૂબરૂ મળવું છે. તો જવાબ આપશો?- છગનભાઈ પટેલ, અમદાવાદ
જવાબ: હવે હું રૂબરૂ મળી શકું તેમ નથી, કારણ કે હવે માત્ર સેવાભાવથી સમાજઉપયોગી થવા માટે નિ:શુલ્ક સેવા આપું છું. તમે બંનેના વિઝિટર વિઝા માટે DS. 160 ભરીને ઓનલાઈન ફી સાથે ફાઈલ કરી શકો છો, જેમાં તમને કોઈ સવાલના જવાબ માટે પ્રોબ્લેમ હોય તો મને ઈમેલ કરી શકો છો. તમારો ટુર્સનો રેકોર્ડ જોતા તમને વિઝિટર વિઝા મળવાના ચાન્સ છે. આ સિવાય તમારો ફોન નંબર જણાવાથી ફોન ઉપર પણ માર્ગદર્શન આપી શકાય.
સવાલ: હું અમેરિકાની સિટીઝન છું અને મને મારું O.C.I. (Overseas Citizen of India) કાર્ડ તારીખ 10-1-2025ના રોજ ઈન્ડિયા આવી ગયા પછી મળી ગયું છે. તો હવે મારી પાસે O.C.I. હોવાથી મારે તારીખ 1-7-2025 પહેલાં ઈન્ડિયા છોડી દેવું પડે?
- નયનાબેન જે. સાપા, અમદાવાદ
જવાબ: ના, તમે અમેરિકાના સિટીઝન હોવાથી અને તમને કાયદેસર રીતે ઈન્ડિયામાં રહેવા માટે O.C.I. કાર્ડ મળેલું છે. તેથી તમારે 6 મહિનામાં અમેરિકા જવું ફરજીયાત નથી. 6 મહિનાનો નિયમ ગ્રીનકાર્ડ હોલ્ડર માટે છે.
સવાલ: મેં અને મારી પત્નીએ અમેરિકાના વિઝા ઈન્ટરવ્યૂ તારીખ 22-4-2025ના રોજ આપ્યા ત્યારે ઓફિસરે કહેલું કે અમારા બંનેના વિઝા એપ્રૂવ થયા છે. મારો પાસપોર્ટ આવી ગયો છે, પરંતુ મારી પત્નીનો પાસપોર્ટ પાછો આવ્યો નહીં હોવાથી મેં ઘણી વાર પાસપોર્ટ સેન્ટરમાં ઈમેલ મોકલ્યો અને તેનો જવાબ આવેલો કે તેણીનો પાસપોર્ટ એમ્બેસી પાસે છે અને તે અંડર પ્રોસેસમાં હોવાથી પાસપોર્ટ રિસિવ કરવા માટે રાહ જોવી પડશે. તો હવે અમારે કેટલા દિવસ સુધી પાસપોર્ટની રાહ જોવી પડશે? એક મહિના સુધી હજુ પાસપોર્ટ મળ્યો નથી.
- મનુ પટેલ, ગાંધીનગર
જવાબ: તમને પ્રોસેસમાં હોવાનો જવાબ મળ્યો છે તેથી વારંવાર ઈમેલ કરવાની જરૂર નથી. આ જવાબ પ્રસિદ્ધ થશે તે દરમ્યાન પાસપોર્ટ મળી જશે તેવું મારું માનવું છે. એટલે વેઈટ એન્ડ વોચ.
સવાલ: મને અમેરિકાનું ગ્રીનકાર્ડ મળ્યું છે, પરંતુ મારે વિઝિટર વિઝા ગ્રીનકાર્ડ સરેન્ડર કરી વિઝા કેવી રીતે લેવાય?- કીર્તિ ચાહવાલા, સુરત
જવાબ: તમે વિઝિટર વિઝાનું ફોર્મ નંબર DS. 160માં માંગેલી વિગતોના સાચા જવાબો લખી 160 ડોલરની ફી ભરીને ઈન્ટરવ્યૂની તારીખ મેળવીને એપ્લાય કરી શકો છો. રૂબરૂ ગ્રીનકાર્ડ ઈન્ટરવ્યૂમાં બતાવી શકાય. પહેલાં ફોર્મ નંબર I-407 ફાઈલ કરી શકાતું હતું તે ફોર્મ ભરીને સાથે લઈ જવું.
સવાલ: મારા બે વાર વિઝિટર વિઝા રિન્યૂ કરાવેલા. હવે ત્રીજી વખતના વિઝાનું ફોર્મ DS. 160 ફી સાથે ઈન્ટરવ્યૂ વેવર (ડ્રોપ બોક્સ)માં એપ્લાય કરેલ છે. અમને ઈમેલથી સૂચના મળી છે કે ઈન્ટરવ્યૂ વેવરમાં ફેબ્રુઆરી 2025 પછી તેમાં ફેરફારો થયા છે. મને ઈન્ટરવ્યૂની તારીખ 29-9-2025 જણાવી છે. તો શું ઈન્ટરવ્યૂ માફી માટે નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે?- શોભા દવે, અમદાવાદ
જવાબ: તમને જે ઈમેલમાં જવાબ આવ્યો હોય તેની કોપી મોકલ્યા પછી વધુ માહિતી આપી શકાય. સામાન્ય રીતે ડ્રોપ બોક્સમાં એપ્લાય કરનારાને વિઝા મળે છે, પરંતુ તમારા કેસમાં કોઈ પ્રોસેસ માટે તમને ઈન્ટરવ્યૂની તારીખ આપી હોવાથી રૂબરૂ જવું પડે. તેમ છતાં ઈમેલ કરીને કન્ફર્મ કરી શકો છો.
સવાલ: અમારી F-4ની ફાઈલ 15-11-2006ની છે. વિઝા બુલેટિન જૂન 1-12-2006 દર્શાવે છે, તો ફાઈલ ક્યારે ખુલશે?- કાવ્યા ચૌધરી
જવાબ: જો એપ્રૂવલ લેટર પછી વેલકમ લેટર આવી ગયો હોય તો ફાઈલ
ઓપન થઈ કહેવાય. બધાં સ્ટેપ્સ પૂરાં થયાં પછી એક પત્ર આવશે. તેમાં તમને ઈન્ટરવ્યૂની તારીખ જણાવશે. આ વર્ષમાં ઈન્ટરવ્યૂ આવે તો નિયમો બદલાય નહીં તો જ.
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/how-to-get-an-h-1b-visa-135305831.html
રમેશ રાવલ સવાલ: મારો દીકરો યુકેમાં ms culinary arts કરીને psw (પોસ્ટ સ્ટડી વર્ક) પર છે. હવે તેને યુએસએમાં H-1B વિઝા કઈ રીતે મળી શકે?
- હીના શાહ, અમદાવાદ
જવાબ: અમેરિકાના H-1B વિઝા માટે કેટલીક શરતોનું પાલન કરવું પડે. જેમકે, (1) તમને અમેરિકામાં Specialty occupation workersની જોબ ઓફર આપનાર કંપની એમ્પ્લોયરે તમારા માટે નોન ઈમિગ્રન્ટ વર્કર તરીકે પિટિશન ફાઈલ કરી લેબર સર્ટિફિકેશન લેવું પડે.
(2) જો તમારી પિટિશન એપ્રૂવ થાય તો તમારે તેની સાથે DS. 160 ફોર્મ ભરી વિઝા માટે એપ્લાય કરો અને વિઝા મળે તો એમેરિકા જઈને જોબ કરી શકાય. (3) આ ઉપરાંત લોટરી સિસ્ટમ અને બીજી ઘણી બાબતોમાંથી પસાર થવું પડે. (4) આ વિઝા માટેની જરૂરી ડિગ્રી વગેરે પણ જરૂરી છે.
સવાલ: હું બિઝનેસમેન છું અને મારી બે કંપનીઓ છે. મારું 400 કરોડનું ટર્નઓવર છે. મારી ઉંમર 66 વર્ષની છે અને મારી પત્નીની ઉંમર 62 વર્ષની છે. હું ઘણા દેશોમાં જેવા કે યુરોપ, ફિનલેન્ડ, પનામા, ઝાંબિયામાં બિઝનેસ તેમજ ટુરિસ્ટ તરીકે ટ્રાવેલ કરી ચૂક્યો છું. હવે મારે અને મારી પત્નીએ અમેરિકાના વિઝિટર વિઝા માટે તમને રૂબરૂ મળવું છે. તો જવાબ આપશો?- છગનભાઈ પટેલ, અમદાવાદ
જવાબ: હવે હું રૂબરૂ મળી શકું તેમ નથી, કારણ કે હવે માત્ર સેવાભાવથી સમાજઉપયોગી થવા માટે નિ:શુલ્ક સેવા આપું છું. તમે બંનેના વિઝિટર વિઝા માટે DS. 160 ભરીને ઓનલાઈન ફી સાથે ફાઈલ કરી શકો છો, જેમાં તમને કોઈ સવાલના જવાબ માટે પ્રોબ્લેમ હોય તો મને ઈમેલ કરી શકો છો. તમારો ટુર્સનો રેકોર્ડ જોતા તમને વિઝિટર વિઝા મળવાના ચાન્સ છે. આ સિવાય તમારો ફોન નંબર જણાવાથી ફોન ઉપર પણ માર્ગદર્શન આપી શકાય.
સવાલ: હું અમેરિકાની સિટીઝન છું અને મને મારું O.C.I. (Overseas Citizen of India) કાર્ડ તારીખ 10-1-2025ના રોજ ઈન્ડિયા આવી ગયા પછી મળી ગયું છે. તો હવે મારી પાસે O.C.I. હોવાથી મારે તારીખ 1-7-2025 પહેલાં ઈન્ડિયા છોડી દેવું પડે?
- નયનાબેન જે. સાપા, અમદાવાદ
જવાબ: ના, તમે અમેરિકાના સિટીઝન હોવાથી અને તમને કાયદેસર રીતે ઈન્ડિયામાં રહેવા માટે O.C.I. કાર્ડ મળેલું છે. તેથી તમારે 6 મહિનામાં અમેરિકા જવું ફરજીયાત નથી. 6 મહિનાનો નિયમ ગ્રીનકાર્ડ હોલ્ડર માટે છે.
સવાલ: મેં અને મારી પત્નીએ અમેરિકાના વિઝા ઈન્ટરવ્યૂ તારીખ 22-4-2025ના રોજ આપ્યા ત્યારે ઓફિસરે કહેલું કે અમારા બંનેના વિઝા એપ્રૂવ થયા છે. મારો પાસપોર્ટ આવી ગયો છે, પરંતુ મારી પત્નીનો પાસપોર્ટ પાછો આવ્યો નહીં હોવાથી મેં ઘણી વાર પાસપોર્ટ સેન્ટરમાં ઈમેલ મોકલ્યો અને તેનો જવાબ આવેલો કે તેણીનો પાસપોર્ટ એમ્બેસી પાસે છે અને તે અંડર પ્રોસેસમાં હોવાથી પાસપોર્ટ રિસિવ કરવા માટે રાહ જોવી પડશે. તો હવે અમારે કેટલા દિવસ સુધી પાસપોર્ટની રાહ જોવી પડશે? એક મહિના સુધી હજુ પાસપોર્ટ મળ્યો નથી.
- મનુ પટેલ, ગાંધીનગર
જવાબ: તમને પ્રોસેસમાં હોવાનો જવાબ મળ્યો છે તેથી વારંવાર ઈમેલ કરવાની જરૂર નથી. આ જવાબ પ્રસિદ્ધ થશે તે દરમ્યાન પાસપોર્ટ મળી જશે તેવું મારું માનવું છે. એટલે વેઈટ એન્ડ વોચ.
સવાલ: મને અમેરિકાનું ગ્રીનકાર્ડ મળ્યું છે, પરંતુ મારે વિઝિટર વિઝા ગ્રીનકાર્ડ સરેન્ડર કરી વિઝા કેવી રીતે લેવાય?- કીર્તિ ચાહવાલા, સુરત
જવાબ: તમે વિઝિટર વિઝાનું ફોર્મ નંબર DS. 160માં માંગેલી વિગતોના સાચા જવાબો લખી 160 ડોલરની ફી ભરીને ઈન્ટરવ્યૂની તારીખ મેળવીને એપ્લાય કરી શકો છો. રૂબરૂ ગ્રીનકાર્ડ ઈન્ટરવ્યૂમાં બતાવી શકાય. પહેલાં ફોર્મ નંબર I-407 ફાઈલ કરી શકાતું હતું તે ફોર્મ ભરીને સાથે લઈ જવું.
સવાલ: મારા બે વાર વિઝિટર વિઝા રિન્યૂ કરાવેલા. હવે ત્રીજી વખતના વિઝાનું ફોર્મ DS. 160 ફી સાથે ઈન્ટરવ્યૂ વેવર (ડ્રોપ બોક્સ)માં એપ્લાય કરેલ છે. અમને ઈમેલથી સૂચના મળી છે કે ઈન્ટરવ્યૂ વેવરમાં ફેબ્રુઆરી 2025 પછી તેમાં ફેરફારો થયા છે. મને ઈન્ટરવ્યૂની તારીખ 29-9-2025 જણાવી છે. તો શું ઈન્ટરવ્યૂ માફી માટે નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે?- શોભા દવે, અમદાવાદ
જવાબ: તમને જે ઈમેલમાં જવાબ આવ્યો હોય તેની કોપી મોકલ્યા પછી વધુ માહિતી આપી શકાય. સામાન્ય રીતે ડ્રોપ બોક્સમાં એપ્લાય કરનારાને વિઝા મળે છે, પરંતુ તમારા કેસમાં કોઈ પ્રોસેસ માટે તમને ઈન્ટરવ્યૂની તારીખ આપી હોવાથી રૂબરૂ જવું પડે. તેમ છતાં ઈમેલ કરીને કન્ફર્મ કરી શકો છો.
સવાલ: અમારી F-4ની ફાઈલ 15-11-2006ની છે. વિઝા બુલેટિન જૂન 1-12-2006 દર્શાવે છે, તો ફાઈલ ક્યારે ખુલશે?- કાવ્યા ચૌધરી
જવાબ: જો એપ્રૂવલ લેટર પછી વેલકમ લેટર આવી ગયો હોય તો ફાઈલ
ઓપન થઈ કહેવાય. બધાં સ્ટેપ્સ પૂરાં થયાં પછી એક પત્ર આવશે. તેમાં તમને ઈન્ટરવ્યૂની તારીખ જણાવશે. આ વર્ષમાં ઈન્ટરવ્યૂ આવે તો નિયમો બદલાય નહીં તો જ.
મેંદી રંગ લાગ્યો:સાસરિયે નૈ આવું હો રંગની ચૂડી
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/in-laws-dont-wear-this-colored-bangle-135305825.html
સાસરિયે નૈ આવું હો રંગની ચૂડી,
સાસરિયે આવો હો રંગની ચૂડી,
મારો સસરો ઠગારા હો રંગની ચૂડી,
મુને લાજ્યું કઢાવે હો રંગની ચૂડી.
સાસરિયે નૈ આવું હો રંગની ચૂડી.
તારો બાપ ઠગારો હો રંગની ચૂડી,
ભલે લાજું કઢાવે હો રંગની ચૂડી,
સાસરિયે આવો હો રંગની ચૂડી.
મારી સાસુ ઠગારી હો રંગની ચૂડી,
મને પગે પડાવે હો રંગની ચૂડી,
સાસરિયે નૈ આવું હો રંગની ચૂડી.
તારી માએ ઠગારી હો રંગની ચૂડી,
ભલે પગે પડાવે હો રંગની ચૂડી,
સાસરિયે આવો હો રંગની ચૂડી.
મારો જેઠ ધૂતારો હો રંગની ચૂડી,
મુને લાજ્યું કઢાવે હો રંગની ચૂડી,
સાસરિયે નૈ આવું હો રંગની ચૂડી.
તારો ભાઈ ધૂતારો હો રંગની ચૂડી,
ભલે લાજ્યું કઢાવે હો રંગની ચૂડી,
સાસરિયે આવો હો રંગની ચૂડી.
મારી જેઠાણી ધૂતારી હો રંગની ચૂડી,
મુને કામ કરાવે હો રંગની ચૂડી,
સાસરિયે નૈ આવું રંગની ચૂડી.
તારી ભોજાઈ ધૂતારી હો રંગની ચૂડી,
ભલે કામ કરાવે હો રંગની ચૂડી,
સાસરિયે આવો હો રંગની ચૂડી.
મારો દેર ઠગારો હો રંગની ચૂડી,
મુને હોળી રમાડે હો રંગની ચૂડી,
સાસરિયે નૈ આવું હો રંગની ચૂડી.
તારો ભાઈ ધૂતારો હો રંગની ચૂડી,
ભલે હોળી રમાડે હો રંગની ચૂડી,
સાસરિયે આવો હો રંગની ચૂડી.
જેઠ, અષાઢ, શ્રાવણ અને ભાદરવો બાલિકાથી લઈ વૃદ્ધા માટે વ્રતના મહિના છે. આ મહિનાઓમાં કુમારિકાઓનાં ગૂંગી ગોરના વ્રતથી શરૂ કરી જયાપાર્વતી, એવરતજીવરત, દિવાસો, ફૂલકાજળી, શીતળાસાતમ, કેવડાત્રીજ જેવાં મહિલાઓનાં વ્રતો આવે. વ્રત એટલે આસ્થાપૂર્વક પૂજનઅર્ચન, અલૂણું ભોજન, એકટાણું-ઉપવાસ, જાગરણ. અગાઉ વીજળી ન્હોતી, મનોરંજનનાં સાધનો ન્હોતાં ત્યારે મહિલાઓ ગામની બજારમાં, ચોકમાં, પાદરમાં રાસડા લઈને જાગરણ કરતી જેમાં લોકગીતો ગવાતાં. વ્રતોની ઉજવણી કુમારિકાઓ, યુવતીઓ માટે ભાવિ જીવનની ઇન્ટર્નશિપ હતી!
પચાસ-પોણોસો બહેનો એકસાથે રાસ લેતી ને મધરાત પછી રંગત ચડે એટલે બે ભાગમાં વહેંચાઇ જાય, એકબાજુ ગામની વહુવારુઓ ને બીજીબાજુ દીકરીઓ. બન્ને પક્ષ વડછડનાં લોકગીતો ગાય. ગીત થકી એકબીજાની મસ્તી કરે, મજાક કરે. પરસ્પર વિશે, પરિવારના સભ્યો વિશે ઘસાતું ગાય, સહનશક્તિનો તાગ મેળવે. બધાં મરકતાં રહે, કોઈને દુઃખ ન લાગે. સવારે સૌ સંપીને પોતપોતાને ઘેર જાય. આ
હતું ઉલ્લાસમય ગ્રામ્યજીવન, સંબંધોની ઘનિષ્ઠતા, ઉદાર મન અને વલણ.
‘સાસરિયે નૈ આવું હો રંગની ચૂડી. . . ’ જાગરણની રાતે નણંદ-ભોજાઈઓ દ્વારા વડછડરૂપે ગવાતું પણ હવે વિસરાઈ ગયેલું લોકગીત છે. ભાભીઓ નણંદને ચિડવવા કહે છે કે હવે હું સાસરિયે નહિ આવું, કેમકે મારા સસરા, સાસુ, જેઠ, જેઠાણી, દેર સૌ ઠગારા-ધૂતારા છે એ લોકો મને પોતપોતાની ઢબે પરેશાન કરે છે. નણંદો કહે છે કે તમારે સાસરિયે તો આવવું પડશે. સાસરિયે લાજ કાઢવી પડે, પગે લાગવું પડે, હોળી રમવી પડે-એમાં તમે કયો ઉપકાર કરો છો? ને તમારા પિતા, માતા,
ભાઈ, ભાભી પણ ઠગારા અને ધૂતારા છે!
આજે સમય બદલાયો છે, આપણે સૌ વધુને વધુ ઈગોઇસ્ટિક થતાં જઈએ છીએ ત્યારે આવા શબ્દો કોઈને કહી શકાય? કોઈ માટે આવું ગાઈ શકાય? ના, એટલે તો આપણે લગ્નમાં ફટાણાં ગાવાનાં બંધ કરી દીધાં છે, ખરું ને?
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/in-laws-dont-wear-this-colored-bangle-135305825.html
સાસરિયે નૈ આવું હો રંગની ચૂડી,
સાસરિયે આવો હો રંગની ચૂડી,
મારો સસરો ઠગારા હો રંગની ચૂડી,
મુને લાજ્યું કઢાવે હો રંગની ચૂડી.
સાસરિયે નૈ આવું હો રંગની ચૂડી.
તારો બાપ ઠગારો હો રંગની ચૂડી,
ભલે લાજું કઢાવે હો રંગની ચૂડી,
સાસરિયે આવો હો રંગની ચૂડી.
મારી સાસુ ઠગારી હો રંગની ચૂડી,
મને પગે પડાવે હો રંગની ચૂડી,
સાસરિયે નૈ આવું હો રંગની ચૂડી.
તારી માએ ઠગારી હો રંગની ચૂડી,
ભલે પગે પડાવે હો રંગની ચૂડી,
સાસરિયે આવો હો રંગની ચૂડી.
મારો જેઠ ધૂતારો હો રંગની ચૂડી,
મુને લાજ્યું કઢાવે હો રંગની ચૂડી,
સાસરિયે નૈ આવું હો રંગની ચૂડી.
તારો ભાઈ ધૂતારો હો રંગની ચૂડી,
ભલે લાજ્યું કઢાવે હો રંગની ચૂડી,
સાસરિયે આવો હો રંગની ચૂડી.
મારી જેઠાણી ધૂતારી હો રંગની ચૂડી,
મુને કામ કરાવે હો રંગની ચૂડી,
સાસરિયે નૈ આવું રંગની ચૂડી.
તારી ભોજાઈ ધૂતારી હો રંગની ચૂડી,
ભલે કામ કરાવે હો રંગની ચૂડી,
સાસરિયે આવો હો રંગની ચૂડી.
મારો દેર ઠગારો હો રંગની ચૂડી,
મુને હોળી રમાડે હો રંગની ચૂડી,
સાસરિયે નૈ આવું હો રંગની ચૂડી.
તારો ભાઈ ધૂતારો હો રંગની ચૂડી,
ભલે હોળી રમાડે હો રંગની ચૂડી,
સાસરિયે આવો હો રંગની ચૂડી.
જેઠ, અષાઢ, શ્રાવણ અને ભાદરવો બાલિકાથી લઈ વૃદ્ધા માટે વ્રતના મહિના છે. આ મહિનાઓમાં કુમારિકાઓનાં ગૂંગી ગોરના વ્રતથી શરૂ કરી જયાપાર્વતી, એવરતજીવરત, દિવાસો, ફૂલકાજળી, શીતળાસાતમ, કેવડાત્રીજ જેવાં મહિલાઓનાં વ્રતો આવે. વ્રત એટલે આસ્થાપૂર્વક પૂજનઅર્ચન, અલૂણું ભોજન, એકટાણું-ઉપવાસ, જાગરણ. અગાઉ વીજળી ન્હોતી, મનોરંજનનાં સાધનો ન્હોતાં ત્યારે મહિલાઓ ગામની બજારમાં, ચોકમાં, પાદરમાં રાસડા લઈને જાગરણ કરતી જેમાં લોકગીતો ગવાતાં. વ્રતોની ઉજવણી કુમારિકાઓ, યુવતીઓ માટે ભાવિ જીવનની ઇન્ટર્નશિપ હતી!
પચાસ-પોણોસો બહેનો એકસાથે રાસ લેતી ને મધરાત પછી રંગત ચડે એટલે બે ભાગમાં વહેંચાઇ જાય, એકબાજુ ગામની વહુવારુઓ ને બીજીબાજુ દીકરીઓ. બન્ને પક્ષ વડછડનાં લોકગીતો ગાય. ગીત થકી એકબીજાની મસ્તી કરે, મજાક કરે. પરસ્પર વિશે, પરિવારના સભ્યો વિશે ઘસાતું ગાય, સહનશક્તિનો તાગ મેળવે. બધાં મરકતાં રહે, કોઈને દુઃખ ન લાગે. સવારે સૌ સંપીને પોતપોતાને ઘેર જાય. આ
હતું ઉલ્લાસમય ગ્રામ્યજીવન, સંબંધોની ઘનિષ્ઠતા, ઉદાર મન અને વલણ.
‘સાસરિયે નૈ આવું હો રંગની ચૂડી. . . ’ જાગરણની રાતે નણંદ-ભોજાઈઓ દ્વારા વડછડરૂપે ગવાતું પણ હવે વિસરાઈ ગયેલું લોકગીત છે. ભાભીઓ નણંદને ચિડવવા કહે છે કે હવે હું સાસરિયે નહિ આવું, કેમકે મારા સસરા, સાસુ, જેઠ, જેઠાણી, દેર સૌ ઠગારા-ધૂતારા છે એ લોકો મને પોતપોતાની ઢબે પરેશાન કરે છે. નણંદો કહે છે કે તમારે સાસરિયે તો આવવું પડશે. સાસરિયે લાજ કાઢવી પડે, પગે લાગવું પડે, હોળી રમવી પડે-એમાં તમે કયો ઉપકાર કરો છો? ને તમારા પિતા, માતા,
ભાઈ, ભાભી પણ ઠગારા અને ધૂતારા છે!
આજે સમય બદલાયો છે, આપણે સૌ વધુને વધુ ઈગોઇસ્ટિક થતાં જઈએ છીએ ત્યારે આવા શબ્દો કોઈને કહી શકાય? કોઈ માટે આવું ગાઈ શકાય? ના, એટલે તો આપણે લગ્નમાં ફટાણાં ગાવાનાં બંધ કરી દીધાં છે, ખરું ને?
જયેન્દ્રસિંહ જાદવ કા લે અષાઢનો પહેલો દિવસ. કાલિદાસના પુણ્ય સ્મરણની પળ. ‘મેઘદૂત’માં અષાઢના પહેલા દિવસનું વર્ણન કરતા કાલિદાસ ખૂલ્યા છે અને ખીલ્યા છે. ‘આષાઢસ્ય પ્રથમ દિને’ આકાશમાં ઘુમરાતા, ધરતી પર ઝળૂંબતાં કાળાંભમ્મર વાદળો જોઈને, એ યક્ષને વિરહની વેદનામાં પોતાની પ્રિયતમાનું સ્મરણ થયા કર્યું. તેણે મેઘનું પુષ્પોથી સ્વાગત કર્યું. એ પછી યક્ષે વાદળને વિનંતી કરી. ‘હે મેઘ, કૃપા કરીને મારો સંદેશો અલકાપુરીમાં રહેતી મારી પ્રાણપ્યારીને પહોંચાડ.’ આમ અષાઢ એ મિલનનો માસ છે. એ યક્ષ અને અપ્સરાનું મિલન હોય… વરસાદ અને માટીનું હોય કે પછી ભક્ત અને ભગવાનનું મિલન હોય.
આ એક જ એવો માસ છે કે જેમાં ભગવાન સામે ચાલીને ભક્તને મળવા આવે છે. ભગવાન જગન્નાથજીના બંને હાથ ફેલાયેલા છે. જાણે એક મિત્ર બીજા મિત્રને ભેટવા આતુર ન હોય... ખુદ ઈશ્વર પોતાના હાથ પસારીને ભક્તોના આલિંગનની રાહ જુએ તે કલ્પના જ કેટલી રોચક છે. વિશ્વમિત્ર બનીને ઊભેલા જગન્નાથજીના રથનું દોરડું જ્ઞાતિથી પર અને જાતિથી ઉપર છે. અહીં સર્વનો સ્વીકાર છે.
ભગવાન જગન્નાથજી પોતાના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળે છે. જગન્નાથ મંદિર પુરીમાં જગન્નાથજી સાથે લક્ષ્મીજી અને સત્યભામા જેવી પ્રિય પત્નીઓ પણ બિરાજે છે પણ નગરચર્યાએ તો ભગવાન ભાઈ-બહેન સાથે જ નીકળે છે. મોટાભાઈ બલભદ્રનો રથ પહેલા છે વચ્ચે બહેન સુભદ્રાનો રથ અને છેલ્લે પોતે. બહેનનો રથ વચ્ચે રાખવા પાછળ નારી સન્માન અને સુરક્ષાનો ભાવ રહેલો છે. મોટાભાઈ પહેલા હોય એ વડીલોના આદરનું દર્શન કરાવે છે. સામાન્ય રીતે જે દેવનું મંદિર હોય તે પ્રમુખ દેવ મંદિરમાં મધ્યસ્થાને હોય બાકીના બધા આજુબાજુનાં શિખર નીચે હોય. જગન્નાથ પુરીમાં વચ્ચેના સિંહાસનમાં બહેન સુભદ્રાજી બિરાજે છે. આજુબાજુ ભગવાન જગન્નાથ અને બલભદ્રજી છે. ભગવાન જગન્નાથજીનાં પારિવારિક મૂલ્યોની પ્રાણપ્રતિષ્ઠા થાય છે. આઠમો વાર પરિવાર છે.
આજે પણ જગન્નાથ મંદિર પુરીની બધી જ સંપત્તિ બલભદ્રજીના ટ્રસ્ટને નામે છે. જગન્નાથજી સામાન્ય માણસના દેવ છે એટલે જ તે નગરયાત્રાએ નીકળે છે અને એમને આંખો પણ આવે છે. જે બધાંની નજર ઉતારે એને આંખો કેવી રીતે આવે! પણ આ લીલા દ્વારા પ્રભુ આપણને સૌને એ સમજાવે છે કે દુ:ખ, દર્દ અને રોગ એ જીવનનો એક ભાગ છે. તેનો સહર્ષ સ્વીકાર કરવો એ જ જીવનનો મર્મ છે. જગન્નાથજીને આંખમાં ઠંડક અને રાહત મળે તેથી રથયાત્રાના પ્રસાદમાં મગ અપાય છે. આમ પણ અષાઢ-ભાદરવા દરમિયાન આંખને અસર કરતા જીવાણુઓ બહોળા પ્રમાણમાં હોય છે.
સામાન્ય રીતે પવન સમુદ્રથી જમીન તરફ આવે અને સાંજે જમીનથી સમુદ્ર તરફ જાય છે, પણ જગન્નાથ પુરીમાં આ ઘટના ઊલટી થાય છે. મંદિરના સિંહદ્વારમાં પ્રવેશતાંની સાથે સમુદ્રનો અવાજ સંભળાતો બંધ થઇ જાય છે. જેવા તમે બહાર આવો એટલે સમગ્ર પુરીમાં સમુદ્રનો ઘૂઘવાટ સંભળાય છે. જગન્નાથ પુરી મંદિર ઉપરથી ધર્મધજા હંમેશાં પવનની વિપરીત દિશામાં લહેરાય છે. મતલબ વિપરીત સંજોગોમાં પણ ધર્મ તમને અચલ રાખી શકે છે. એક પણ પક્ષી આ મંદિર ઉપરથી ઊડતું જોવા મળતું નથી. ઈશ્વરથી ઉપર કોઈ નથી. મુખ્ય શિખર-ગુંબજની છાયા દિવસે એક પણ દિશામાં જોઇ શકાતી નથી. ઈશ્વર પડછાયા રૂપે આપણી આસપાસ હોય છે, પણ દેખાતા નથી.
કોઇ પણ ક્ષેત્રમાંથી મંદિર પરના સુદર્શન ચક્રના દર્શન કરી શકાય શકાય છે. આનો એક અર્થ એવો પણ થાય છે કે શ્રદ્ધા હોય તો ઈશ્વરના ક્યાંયથી પણ દર્શન કરી શકાય છે. વિશ્વનું સૌથી મોટું રસોડું અહીં છે. હજારેક સ્વયંસેવકો દ્વારા સંચાલિત આ રસોડાનો લાભ લાખો લોકો લે છે. આ મંદિરનો નિયમ છે કે પહેલાં દ્વારપાળોને ભોગ ધરાવાય છે પછી જ જગન્નાથજી ભોજન જમે છે. કરોડપતિ હોય કે રોડપતિ બધાં એક જ રસોડે જમે છે. જગન્નાથજીની રસોઈ બનાવવાની પદ્ધતિ સંપૂર્ણ સ્વદેશી છે. દેશી ચૂલા પર ઉપરા-ઉપરી હાંડીઓ મૂકીને જગન્નાથજીનું ભોજન બને છે. સૌરાષ્ટ્રનાં અનેક ગામોમાં આવી સેવાની સુવાસ પ્રસરી છે.
સૌથી ઉપરની હાંડીનું ભોજન પહેલાં પાકી જાય છે. તેમાં વિજ્ઞાન અને અધ્યાત્મનો સુભગ સમન્વય છે. જગન્નાથજીના થાળની વિશેષતા એ છે કે તેમાં બધી જ વાનગીઓ સ્વદેશી વસ્તુમાંથી બને છે. જે ધાન્ય ભારતીય મૂળ અને કુળનાં છે તે જ અહીં ઠાકોરજીને ધરાવાય છે. બટાકાં, ટામેટાં જેવાં શાકભાજી આજે પણ નથી વપરાતાં કારણ કે તે વિદેશથી ભારતમાં આવ્યાં છે. વોકલ ફોર લોકલનું આ સુંદર ઉદાહરણ છે.
ભગવાન જગન્નાથની રથયાત્રા શરૂ થાય ત્યારે પહિંદવિધિ થાય છે. જેમાં ‘શેરી વળાવીને સજ્જ કરું હરિ આવોને’ નરસિંહી નાદ સંભળાય છે. ભગવાન નગરચર્યાએ નીકળે છે ત્યારે એ સંદેશ આપે છે કે સ્નેહની સરવાણીએ સાવરણી બને છે ત્યારે હૃદયમાંથી ઈર્ષ્યા, દ્વેષ અને અહંકારનો કચરો આપોઆપ નીકળી જાય છે અને જીવનયાત્રા રથયાત્રા જેવી જ ભવ્ય અને દિવ્ય બની જાય છે. આ એક દિવસ આખા વર્ષનું રિચાર્જ બની જાય છે. અંગ્રેજોએ એમ જ નહીં કહ્યું હોય કે ‘ગુડ લોર્ડ, ઇટ્સ એ જગરનોટ!!’ અંતે...
આ એક જ એવો માસ છે કે જેમાં ભગવાન સામે ચાલીને ભક્તને મળવા આવે છે. ભગવાન જગન્નાથજીના બંને હાથ ફેલાયેલા છે. જાણે એક મિત્ર બીજા મિત્રને ભેટવા આતુર ન હોય... ખુદ ઈશ્વર પોતાના હાથ પસારીને ભક્તોના આલિંગનની રાહ જુએ તે કલ્પના જ કેટલી રોચક છે. વિશ્વમિત્ર બનીને ઊભેલા જગન્નાથજીના રથનું દોરડું જ્ઞાતિથી પર અને જાતિથી ઉપર છે. અહીં સર્વનો સ્વીકાર છે.
ભગવાન જગન્નાથજી પોતાના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળે છે. જગન્નાથ મંદિર પુરીમાં જગન્નાથજી સાથે લક્ષ્મીજી અને સત્યભામા જેવી પ્રિય પત્નીઓ પણ બિરાજે છે પણ નગરચર્યાએ તો ભગવાન ભાઈ-બહેન સાથે જ નીકળે છે. મોટાભાઈ બલભદ્રનો રથ પહેલા છે વચ્ચે બહેન સુભદ્રાનો રથ અને છેલ્લે પોતે. બહેનનો રથ વચ્ચે રાખવા પાછળ નારી સન્માન અને સુરક્ષાનો ભાવ રહેલો છે. મોટાભાઈ પહેલા હોય એ વડીલોના આદરનું દર્શન કરાવે છે. સામાન્ય રીતે જે દેવનું મંદિર હોય તે પ્રમુખ દેવ મંદિરમાં મધ્યસ્થાને હોય બાકીના બધા આજુબાજુનાં શિખર નીચે હોય. જગન્નાથ પુરીમાં વચ્ચેના સિંહાસનમાં બહેન સુભદ્રાજી બિરાજે છે. આજુબાજુ ભગવાન જગન્નાથ અને બલભદ્રજી છે. ભગવાન જગન્નાથજીનાં પારિવારિક મૂલ્યોની પ્રાણપ્રતિષ્ઠા થાય છે. આઠમો વાર પરિવાર છે.
આજે પણ જગન્નાથ મંદિર પુરીની બધી જ સંપત્તિ બલભદ્રજીના ટ્રસ્ટને નામે છે. જગન્નાથજી સામાન્ય માણસના દેવ છે એટલે જ તે નગરયાત્રાએ નીકળે છે અને એમને આંખો પણ આવે છે. જે બધાંની નજર ઉતારે એને આંખો કેવી રીતે આવે! પણ આ લીલા દ્વારા પ્રભુ આપણને સૌને એ સમજાવે છે કે દુ:ખ, દર્દ અને રોગ એ જીવનનો એક ભાગ છે. તેનો સહર્ષ સ્વીકાર કરવો એ જ જીવનનો મર્મ છે. જગન્નાથજીને આંખમાં ઠંડક અને રાહત મળે તેથી રથયાત્રાના પ્રસાદમાં મગ અપાય છે. આમ પણ અષાઢ-ભાદરવા દરમિયાન આંખને અસર કરતા જીવાણુઓ બહોળા પ્રમાણમાં હોય છે.
સામાન્ય રીતે પવન સમુદ્રથી જમીન તરફ આવે અને સાંજે જમીનથી સમુદ્ર તરફ જાય છે, પણ જગન્નાથ પુરીમાં આ ઘટના ઊલટી થાય છે. મંદિરના સિંહદ્વારમાં પ્રવેશતાંની સાથે સમુદ્રનો અવાજ સંભળાતો બંધ થઇ જાય છે. જેવા તમે બહાર આવો એટલે સમગ્ર પુરીમાં સમુદ્રનો ઘૂઘવાટ સંભળાય છે. જગન્નાથ પુરી મંદિર ઉપરથી ધર્મધજા હંમેશાં પવનની વિપરીત દિશામાં લહેરાય છે. મતલબ વિપરીત સંજોગોમાં પણ ધર્મ તમને અચલ રાખી શકે છે. એક પણ પક્ષી આ મંદિર ઉપરથી ઊડતું જોવા મળતું નથી. ઈશ્વરથી ઉપર કોઈ નથી. મુખ્ય શિખર-ગુંબજની છાયા દિવસે એક પણ દિશામાં જોઇ શકાતી નથી. ઈશ્વર પડછાયા રૂપે આપણી આસપાસ હોય છે, પણ દેખાતા નથી.
કોઇ પણ ક્ષેત્રમાંથી મંદિર પરના સુદર્શન ચક્રના દર્શન કરી શકાય શકાય છે. આનો એક અર્થ એવો પણ થાય છે કે શ્રદ્ધા હોય તો ઈશ્વરના ક્યાંયથી પણ દર્શન કરી શકાય છે. વિશ્વનું સૌથી મોટું રસોડું અહીં છે. હજારેક સ્વયંસેવકો દ્વારા સંચાલિત આ રસોડાનો લાભ લાખો લોકો લે છે. આ મંદિરનો નિયમ છે કે પહેલાં દ્વારપાળોને ભોગ ધરાવાય છે પછી જ જગન્નાથજી ભોજન જમે છે. કરોડપતિ હોય કે રોડપતિ બધાં એક જ રસોડે જમે છે. જગન્નાથજીની રસોઈ બનાવવાની પદ્ધતિ સંપૂર્ણ સ્વદેશી છે. દેશી ચૂલા પર ઉપરા-ઉપરી હાંડીઓ મૂકીને જગન્નાથજીનું ભોજન બને છે. સૌરાષ્ટ્રનાં અનેક ગામોમાં આવી સેવાની સુવાસ પ્રસરી છે.
સૌથી ઉપરની હાંડીનું ભોજન પહેલાં પાકી જાય છે. તેમાં વિજ્ઞાન અને અધ્યાત્મનો સુભગ સમન્વય છે. જગન્નાથજીના થાળની વિશેષતા એ છે કે તેમાં બધી જ વાનગીઓ સ્વદેશી વસ્તુમાંથી બને છે. જે ધાન્ય ભારતીય મૂળ અને કુળનાં છે તે જ અહીં ઠાકોરજીને ધરાવાય છે. બટાકાં, ટામેટાં જેવાં શાકભાજી આજે પણ નથી વપરાતાં કારણ કે તે વિદેશથી ભારતમાં આવ્યાં છે. વોકલ ફોર લોકલનું આ સુંદર ઉદાહરણ છે.
ભગવાન જગન્નાથની રથયાત્રા શરૂ થાય ત્યારે પહિંદવિધિ થાય છે. જેમાં ‘શેરી વળાવીને સજ્જ કરું હરિ આવોને’ નરસિંહી નાદ સંભળાય છે. ભગવાન નગરચર્યાએ નીકળે છે ત્યારે એ સંદેશ આપે છે કે સ્નેહની સરવાણીએ સાવરણી બને છે ત્યારે હૃદયમાંથી ઈર્ષ્યા, દ્વેષ અને અહંકારનો કચરો આપોઆપ નીકળી જાય છે અને જીવનયાત્રા રથયાત્રા જેવી જ ભવ્ય અને દિવ્ય બની જાય છે. આ એક દિવસ આખા વર્ષનું રિચાર્જ બની જાય છે. અંગ્રેજોએ એમ જ નહીં કહ્યું હોય કે ‘ગુડ લોર્ડ, ઇટ્સ એ જગરનોટ!!’ અંતે...
ડૉક્ટરની ડાયરી:સમંદર હોય તો એકવાર એનો તાગ લગાવી દઉં, જીવનને કેમ તાગું? નિત નવું ઊંડાણ લાગે છે
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/if-there-is-an-ocean-i-will-set-sail-once-why-set-sail-for-life-every-day-seems-to-have-a-new-depth-135305828.html
ડો. કિરીટ કુબાવતે સવારે ઊઠતાંની સાથે જ ઘડિયાળમાં જોયું. નવ વાગી ગયા હતા. વીજળીનો કરંટ લાગ્યો હોય એવા આંચકા સાથે તેઓ ઊભા થઈ ગયા. આવું બધાંની સાથે ક્યારેક થતું જ હોય છે. જ્યારે સવારની શરૂઆત રોજના કરતાં સહેજ મોડી થાય છે ત્યારે આખા દિવસનું ટાઈમ ટેબલ ખોરવાઈ જાય છે.
પ્રાત:કર્મની વિધિઓ ફાસ્ટ ફોરવર્ડ કરીને જ્યારે ડો. કુબાવત ચા-નાસ્તાના ટેબલ પાસે આવ્યા ત્યારે દસ વાગીને દસ મિનિટ થઈ ચૂકી હતી. એમણે નાસ્તો ચાવવાને બદલે ગળવાનું શરૂ કર્યું. પત્ની અલકાબહેને ટોક્યા, ‘આવી રીતે ખવાતું હશે? તમે તો ડાયાબિટોલોજીસ્ટ છો, તમારા દર્દીઓને શું ખાવું, કેવી રીતે ખાવું એ વિશે સલાહો આપતા ફરો છો અને તમે પોતે જ...?’
‘આજે તું કંઈ બોલીશ નહીં. મારું આજનું શેડ્યુઅલ ખૂબ વ્યસ્ત છે. સવા દસ વાગે મારે ક્લિનિકમાં પહોંચી જવાનું છે, જે સમય તો અત્યારે અહીં જ થઈ ગયો છે. ક્લિનિકમાં પહોંચતાં પહેલાં મારે બેન્કમાં જઈને થોડુંક અગત્યનું કામ પતાવવાનું છે. ક્લિનિક પર આજે મેં જેટલાં પેશન્ટ્સને એપોઈન્ટમેન્ટ્સ આપી છે એ બધાંને પતાવતાં ત્રણ કલાક તો થઈ જ જશે, પણ આજે મારે એ બધાંને બે કલાકમાં તપાસી લેવાનાં છે. ત્યાંથી ઝટપટ સિવિલ હોસ્પિટલમાં જવાનું છે. ત્યાં એક ઓળખીતા પેશન્ટની ખબર પૂછવા જવાનું છે. એ વેન્ટિલેટર ઉપર છે.’ ડો. કુબાવત આટલું બોલતાં-બોલતાં શૂઝ પહેરીને ચાલવા માંડ્યા.
પત્નીએ કહ્યું, ‘તો લંચ માટે ક્યારે આવશો? બે તો વાગી જ જશે ને?’
‘આજે લંચ જતું કરવું પડશે. સિવિલ હોસ્પિટલમાં દર્દીની ખબર પૂછીને ત્યાંની હોસ્ટેલમાં રહેતા મારા મિત્રના ડોક્ટર પુત્રને મળીશ, પછી ત્યાંથી સીધો વડોદરા જવા રવાના થઈ જઈશ. વડોદરામાં ચાર વાગે એક મિટિંગમાં મારે હાજરી આપવાની છે. ખૂબ અગત્યની મિટિંગ છે. એમાં ગેરહાજર રહેવું પાલવે એવું નથી. હવે સાંજે ડિનર માટે જ મારી રાહ જોજે. બપોરે નિષ્ઠા અને તું જમી લેજો. જાઉં છું, બાય!’ ડોક્ટરના છેલ્લા શબ્દો દૂરથી હવામાં ફેંકાઈને આવ્યા.
ગમે એટલી ઝડપ કરે તો પણ મોડી ઉપડેલી ટ્રેન દરેક સ્ટેશન પર મોડી જ પહોંચે, ડોક્ટરનું પણ એવું જ થયું. ક્લિનિક પર પહોંચ્યા ત્યારે દર્દીઓ ઊંચા-નીચા થતાં એમની રાહ જોઈ રહ્યા હતા. ડો. કુબાવત અમદાવાદમાં પ્રાઈવેટ કરતા સિનિયર ડાયાબિટીસ એક્સપર્ટ છે. સાંઈઠ વર્ષની વયે હવે માત્ર પસંદગીના દર્દીઓને જ એપોઈન્ટમેન્ટ આપે છે. સંતાનોમાં બે દીકરીઓ છે, એકને સાસરે વળાવી દીધી છે. પૈસા પાછળની આંધળી દોટમાં એ પહેલાં પણ ન હતા, હવે પણ નથી. એમને સમયપાલનનું જબરું વળગણ છે. દર્દી હોય કે સામાજીક સંબંધી, એક વાર કોઈને સમય આપી દીધો એટલે એ સાચવવો જ પડે. આજે ક્લિનિકમાં થોડાં મોડા પડ્યા એ વાતનો અફસોસ એમના મનમાં ઘોળાતો જ હતો.
આ અફસોસ દર્દીઓની મોખરે બેઠેલા એક ખાસ પેશન્ટને જોઈને બેવડાઈ ગયો. એ હતો ઈન્ડિયન આર્મીનો એક સોલ્જર. ડોક્ટરે એને સવા દસ વાગ્યાની એપોઈન્ટમેન્ટ આપેલી હતી. લશ્કરની શિસ્તથી ટેવાયેલો એ જવાન એને અપાયેલા સમયે હાજર થઈ ગયો હતો અને ખુદ ડોક્ટર મોડા પડ્યા હતા. પોતાની ખુરશીમાં બેસીને ડો. કુબાવતે જરા પણ સમય બગાડ્યા વગર એ સૈનિકને અંદર બોલાવી લીધો. શરૂઆતમાં જ એની ક્ષમા યાચી લીધી. જવાને કંઈ કહ્યું નહીં, અંદરખાને એને આ ગમ્યું તો નહીં જ હોય, પણ એણે ડોક્ટરને માફ કરી દીધા હશે.
એક પછી એક દર્દી અંદર આવતા ગયા, સંતોષ પામીને બહાર નીકળતા ગયા. સાડા બાર સુધીમાં લગભગ બધા દર્દીઓ આવી ગયા. હજુ એક બાકી હતો. ડોક્ટર અકળાયા. એનો કોન્ટેક્ટ નંબર હતો, ફોન કર્યો, ‘કેટલી વાર થશે?’ ભારતના નાગરિકને છાજે એવો જવાબ આપ્યો, ‘બસ, આવું જ છું. રસ્તામાં છું.’ હવે આને શું સમજવું? એના ઘરથી ડોક્ટરના ક્લિનિક સુધીનો દસ કિ.મી.નો રસ્તો હોય તો એમાં દર્દી ગમે ત્યાં હોઈ શકે અને તો પણ ‘રસ્તામાં છું’ એમ જ ગણાય.
એક વાગે એ લેટ લતીફ પેશન્ટનું આગમન થયું. એ દર્દીની સાથે એમના પત્ની પણ આવ્યાં હતાં. સાથે બીજા એક ફિઝિશિયનની ફાઈલ પણ લાવ્યા હતા. ડો. કુબાવતે ફાઈલના કાગળો પર નજર ફેરવી. દર્દીને ટાઈપ-ટુ ડાયાબિટીસ હતો. ભૂખ્યા પેટે 400થી વધુ બ્લડ સુગર હતું, પી.પી.બી.એસ. 300 હતું અને HbA1c 14 હતું. એ ફિઝિશિયને પેશન્ટને એક ચોક્કસ પ્રકારની ટ્રીટમેન્ટ પર મૂક્યા હતા પણ એની આડઅસરથી પેશન્ટને ડિપ્રેશન રહેતું હતું. દવાઓ બદલવા માટે એ ડો. કુબાવત પાસે આવ્યા હતા.
‘મુકેશભાઈ, હું તમને મારી સારવાર પર મૂકું છે. એ મારો ‘ડાયાબિટીસ રીવર્સલ પ્લાન’ છે. હું તમને આવતી કાલે ભૂખ્યા પેટે સી પેપ્ટાઈડ ટેસ્ટ કરાવવાની સલાહ આપું છું. એનો રિપોર્ટ લઈને તમે આવતી કાલે મને મળો. એ પછી હું તમને મારા પ્લાનમાં સામેલ કરીશ.’
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/if-there-is-an-ocean-i-will-set-sail-once-why-set-sail-for-life-every-day-seems-to-have-a-new-depth-135305828.html
ડો. કિરીટ કુબાવતે સવારે ઊઠતાંની સાથે જ ઘડિયાળમાં જોયું. નવ વાગી ગયા હતા. વીજળીનો કરંટ લાગ્યો હોય એવા આંચકા સાથે તેઓ ઊભા થઈ ગયા. આવું બધાંની સાથે ક્યારેક થતું જ હોય છે. જ્યારે સવારની શરૂઆત રોજના કરતાં સહેજ મોડી થાય છે ત્યારે આખા દિવસનું ટાઈમ ટેબલ ખોરવાઈ જાય છે.
પ્રાત:કર્મની વિધિઓ ફાસ્ટ ફોરવર્ડ કરીને જ્યારે ડો. કુબાવત ચા-નાસ્તાના ટેબલ પાસે આવ્યા ત્યારે દસ વાગીને દસ મિનિટ થઈ ચૂકી હતી. એમણે નાસ્તો ચાવવાને બદલે ગળવાનું શરૂ કર્યું. પત્ની અલકાબહેને ટોક્યા, ‘આવી રીતે ખવાતું હશે? તમે તો ડાયાબિટોલોજીસ્ટ છો, તમારા દર્દીઓને શું ખાવું, કેવી રીતે ખાવું એ વિશે સલાહો આપતા ફરો છો અને તમે પોતે જ...?’
‘આજે તું કંઈ બોલીશ નહીં. મારું આજનું શેડ્યુઅલ ખૂબ વ્યસ્ત છે. સવા દસ વાગે મારે ક્લિનિકમાં પહોંચી જવાનું છે, જે સમય તો અત્યારે અહીં જ થઈ ગયો છે. ક્લિનિકમાં પહોંચતાં પહેલાં મારે બેન્કમાં જઈને થોડુંક અગત્યનું કામ પતાવવાનું છે. ક્લિનિક પર આજે મેં જેટલાં પેશન્ટ્સને એપોઈન્ટમેન્ટ્સ આપી છે એ બધાંને પતાવતાં ત્રણ કલાક તો થઈ જ જશે, પણ આજે મારે એ બધાંને બે કલાકમાં તપાસી લેવાનાં છે. ત્યાંથી ઝટપટ સિવિલ હોસ્પિટલમાં જવાનું છે. ત્યાં એક ઓળખીતા પેશન્ટની ખબર પૂછવા જવાનું છે. એ વેન્ટિલેટર ઉપર છે.’ ડો. કુબાવત આટલું બોલતાં-બોલતાં શૂઝ પહેરીને ચાલવા માંડ્યા.
પત્નીએ કહ્યું, ‘તો લંચ માટે ક્યારે આવશો? બે તો વાગી જ જશે ને?’
‘આજે લંચ જતું કરવું પડશે. સિવિલ હોસ્પિટલમાં દર્દીની ખબર પૂછીને ત્યાંની હોસ્ટેલમાં રહેતા મારા મિત્રના ડોક્ટર પુત્રને મળીશ, પછી ત્યાંથી સીધો વડોદરા જવા રવાના થઈ જઈશ. વડોદરામાં ચાર વાગે એક મિટિંગમાં મારે હાજરી આપવાની છે. ખૂબ અગત્યની મિટિંગ છે. એમાં ગેરહાજર રહેવું પાલવે એવું નથી. હવે સાંજે ડિનર માટે જ મારી રાહ જોજે. બપોરે નિષ્ઠા અને તું જમી લેજો. જાઉં છું, બાય!’ ડોક્ટરના છેલ્લા શબ્દો દૂરથી હવામાં ફેંકાઈને આવ્યા.
ગમે એટલી ઝડપ કરે તો પણ મોડી ઉપડેલી ટ્રેન દરેક સ્ટેશન પર મોડી જ પહોંચે, ડોક્ટરનું પણ એવું જ થયું. ક્લિનિક પર પહોંચ્યા ત્યારે દર્દીઓ ઊંચા-નીચા થતાં એમની રાહ જોઈ રહ્યા હતા. ડો. કુબાવત અમદાવાદમાં પ્રાઈવેટ કરતા સિનિયર ડાયાબિટીસ એક્સપર્ટ છે. સાંઈઠ વર્ષની વયે હવે માત્ર પસંદગીના દર્દીઓને જ એપોઈન્ટમેન્ટ આપે છે. સંતાનોમાં બે દીકરીઓ છે, એકને સાસરે વળાવી દીધી છે. પૈસા પાછળની આંધળી દોટમાં એ પહેલાં પણ ન હતા, હવે પણ નથી. એમને સમયપાલનનું જબરું વળગણ છે. દર્દી હોય કે સામાજીક સંબંધી, એક વાર કોઈને સમય આપી દીધો એટલે એ સાચવવો જ પડે. આજે ક્લિનિકમાં થોડાં મોડા પડ્યા એ વાતનો અફસોસ એમના મનમાં ઘોળાતો જ હતો.
આ અફસોસ દર્દીઓની મોખરે બેઠેલા એક ખાસ પેશન્ટને જોઈને બેવડાઈ ગયો. એ હતો ઈન્ડિયન આર્મીનો એક સોલ્જર. ડોક્ટરે એને સવા દસ વાગ્યાની એપોઈન્ટમેન્ટ આપેલી હતી. લશ્કરની શિસ્તથી ટેવાયેલો એ જવાન એને અપાયેલા સમયે હાજર થઈ ગયો હતો અને ખુદ ડોક્ટર મોડા પડ્યા હતા. પોતાની ખુરશીમાં બેસીને ડો. કુબાવતે જરા પણ સમય બગાડ્યા વગર એ સૈનિકને અંદર બોલાવી લીધો. શરૂઆતમાં જ એની ક્ષમા યાચી લીધી. જવાને કંઈ કહ્યું નહીં, અંદરખાને એને આ ગમ્યું તો નહીં જ હોય, પણ એણે ડોક્ટરને માફ કરી દીધા હશે.
એક પછી એક દર્દી અંદર આવતા ગયા, સંતોષ પામીને બહાર નીકળતા ગયા. સાડા બાર સુધીમાં લગભગ બધા દર્દીઓ આવી ગયા. હજુ એક બાકી હતો. ડોક્ટર અકળાયા. એનો કોન્ટેક્ટ નંબર હતો, ફોન કર્યો, ‘કેટલી વાર થશે?’ ભારતના નાગરિકને છાજે એવો જવાબ આપ્યો, ‘બસ, આવું જ છું. રસ્તામાં છું.’ હવે આને શું સમજવું? એના ઘરથી ડોક્ટરના ક્લિનિક સુધીનો દસ કિ.મી.નો રસ્તો હોય તો એમાં દર્દી ગમે ત્યાં હોઈ શકે અને તો પણ ‘રસ્તામાં છું’ એમ જ ગણાય.
એક વાગે એ લેટ લતીફ પેશન્ટનું આગમન થયું. એ દર્દીની સાથે એમના પત્ની પણ આવ્યાં હતાં. સાથે બીજા એક ફિઝિશિયનની ફાઈલ પણ લાવ્યા હતા. ડો. કુબાવતે ફાઈલના કાગળો પર નજર ફેરવી. દર્દીને ટાઈપ-ટુ ડાયાબિટીસ હતો. ભૂખ્યા પેટે 400થી વધુ બ્લડ સુગર હતું, પી.પી.બી.એસ. 300 હતું અને HbA1c 14 હતું. એ ફિઝિશિયને પેશન્ટને એક ચોક્કસ પ્રકારની ટ્રીટમેન્ટ પર મૂક્યા હતા પણ એની આડઅસરથી પેશન્ટને ડિપ્રેશન રહેતું હતું. દવાઓ બદલવા માટે એ ડો. કુબાવત પાસે આવ્યા હતા.
‘મુકેશભાઈ, હું તમને મારી સારવાર પર મૂકું છે. એ મારો ‘ડાયાબિટીસ રીવર્સલ પ્લાન’ છે. હું તમને આવતી કાલે ભૂખ્યા પેટે સી પેપ્ટાઈડ ટેસ્ટ કરાવવાની સલાહ આપું છું. એનો રિપોર્ટ લઈને તમે આવતી કાલે મને મળો. એ પછી હું તમને મારા પ્લાનમાં સામેલ કરીશ.’
‘ડોક્ટર, તમારો એ ‘ડાયાબિટીસ રીવર્સલ પ્લાન’ શું છે તે મને સમજાવશો?’ મુકેશભાઈએ પૂછ્યું. પ્રશ્ન પૂછવાનો દરેક દર્દીને અધિકાર હોય છે, જવાબો આપવાની દરેક ડોક્ટરની ફરજ હોય છે. ડો. કુબાવતે પોતાની ફરજ બજાવી. દર્દીને બધું સમજાવ્યું પણ એ માટે એક કલાક ખર્ચાઈ ગયો. મુકેશભાઈ જ્યારે ગયા ત્યારે બે વાગી ચૂક્યા હતા. લંચ તો સ્કિપ કર્યું જ હતું. વડોદરાની મિટિંગ સ્કિપ થઈ શકે તેમ ન હતી. કોઈ પણ ભોગે વોલ્વો પકડવી જ પડે તેમ હતું. એક જ વિકલ્પ દેખાતો હતો, સિવિલ હોસ્પિટલ અને હોસ્ટેલની મુલાકાત રદ કરવાનો. ડો. કુબાવત પવનવેગે વોલ્વોમાં બેસવા માટે ક્લિનિક પરથી નીકળી ગયા. બસ ઉપડી રહી હતી, ચાલુ બસમાં ચડનારા તેઓ છેલ્લા પેસેન્જર હતા.
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર બસ દોડતી હતી ત્યારે પ્રવાસીઓમાં ગણગણાટ થવા લાગ્યો. ‘અરેરે...! ભયંકર! હે ભગવાન! આ શું થયું?’ જેવા ઉદગારો ઊઠવા લાગ્યા. ડો. કુબાવતે મોબાઈલફોનમાં ડોકિયું કર્યું. શબ્દશ: થથરી ગયા. એર ઈન્ડિયાનું લંડન જતું બોઈંગ વિમાન મેઘાણીનગર વિસ્તારમાં તૂટી પડ્યું હતું. ડોક્ટર્સ હોસ્ટેલની મેસમાં ભોજન કરી રહેલા યુવાન ડોક્ટરો...!!!
ડો. કુબાવત બબડી રહ્યા હતા, ‘આ એ જ સમયે બન્યું જે સમયે હું એ હોસ્ટેલમાં જવાનો હતો. મુકેશભાઈ મોડા પડ્યા અને મારે ત્યાં જવાનું કેન્સલ કરવું પડ્યું. મારો જીવ કોણે બચાવ્યો? એ પેશન્ટે કે ભગવાને?’
વડોદરાની મિટિંગ પૂરી કરીને ડો. કુબાવત રાત્રે સાડા નવ વાગ્યે અમદાવાદ પાછા ફર્યા. ડિનર માટે બેઠા તો ખરા, પણ ભૂખ સાવ મરી ગઈ હતી. એક સાથે ત્રણસોથી વધારે નિર્દોષ અને આશાભર્યા માણસોના મૃત્યુ થાય ત્યારે કોને જમવાનું ભાવે! એ રાત પણ એવી જ વીતી. આખું અમદાવાદ, ગુજરાત અને ભારત ઉદાસી, ગમ, ચિંતા અને અનેક જાતની અટકળો વચ્ચે પડખાં ફેરવતું રહ્યું.
બીજો દિવસ. નવો સૂરજ. નવો દિવસ. નવી ચેતના. ‘દુનિયા મેં હમ આયે હૈં તો જીના હી પડેગા’ આવી સમજણ અને આવા સમાધાન સાથે સૌ કામ પર ચડી ગયાં. ડો. કુબાવત પણ ક્લિનિકમાં પહોંચી ગયા. મુકેશભાઈ અને એમના પત્ની નવા, તાજા રિપોર્ટ સાથે હાજર હતાં. ડો. કુબાવતે એ વાંચીને મુકેશભાઈને નવી સારવાર પર લઈ લીધા.
એ કામ પૂરું થયા પછી ડો. કુબાવતે કહ્યું, ‘મુકેશભાઈ, એક ખાસ વાત માટે મારે તમારો આભાર માનવો પડશે. ગઈ કાલે જો તમે મોડા ન પડ્યા હોત તો હું અત્યારે જીવતો ન હોત. દોઢ વાગે હું ડોક્ટર્સ હોસ્ટેલમાં બેઠો હોત અને ત્યાં જ...’
મુકેશભાઈએ ખિસ્સામાંથી પોતાનો મોબાઈલ ફોન કાઢ્યો, પત્નીની સામે સૂચક નજરે જોયું, પછી મોબાઈલ ખોલીને એક મેસેજ એક મેસેજ શોધી કાઢ્યો, પછી સ્ક્રીન ડોક્ટરની સામે ધરી દીધો, ‘આ વાંચો ડોક્ટર. મારો ઓરિજિનલ પ્લાન ગઈ કાલે એર ઈન્ડિયાની આ જ ફ્લાઈટમાં લંડન જવાનો હતો. અમે ત્રણ અઠવાડિયાંથી અહીં હતાં. જો પેલા ફિઝિશિયનની સારવાર મને માફક આવી ગઈ હોત તો ગઈ કાલે હું અને મારી પત્ની એ ફ્લાઈટમાં ચડી ગયાં હોત. બે દિવસ પહેલાં મને કોઈકે તમારું નામ આપ્યું. મેં ગઈ કાલની ટિકિટ કેન્સલ કરાવી દીધી, ફક્ત તમને કન્સલ્ટ કરવા માટે જ. હવે કહો કે મેં તમારો જીવ બચાવ્યો ગણાય કે તમે અમારા બંનેના જીવ બચાવ્યા કહેવાય?’
ત્રણેયની આંખો ભીની થઈ ગઈ, એ અદૃશ્ય શક્તિને યાદ કરીને જેણે આવું યોજનાબંધ આયોજન કરીને એ ત્રણેયના જીવ બચાવ્યા હતા.
- શીર્ષકપંક્તિઃ અકબરઅલી જસદણવાલા
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર બસ દોડતી હતી ત્યારે પ્રવાસીઓમાં ગણગણાટ થવા લાગ્યો. ‘અરેરે...! ભયંકર! હે ભગવાન! આ શું થયું?’ જેવા ઉદગારો ઊઠવા લાગ્યા. ડો. કુબાવતે મોબાઈલફોનમાં ડોકિયું કર્યું. શબ્દશ: થથરી ગયા. એર ઈન્ડિયાનું લંડન જતું બોઈંગ વિમાન મેઘાણીનગર વિસ્તારમાં તૂટી પડ્યું હતું. ડોક્ટર્સ હોસ્ટેલની મેસમાં ભોજન કરી રહેલા યુવાન ડોક્ટરો...!!!
ડો. કુબાવત બબડી રહ્યા હતા, ‘આ એ જ સમયે બન્યું જે સમયે હું એ હોસ્ટેલમાં જવાનો હતો. મુકેશભાઈ મોડા પડ્યા અને મારે ત્યાં જવાનું કેન્સલ કરવું પડ્યું. મારો જીવ કોણે બચાવ્યો? એ પેશન્ટે કે ભગવાને?’
વડોદરાની મિટિંગ પૂરી કરીને ડો. કુબાવત રાત્રે સાડા નવ વાગ્યે અમદાવાદ પાછા ફર્યા. ડિનર માટે બેઠા તો ખરા, પણ ભૂખ સાવ મરી ગઈ હતી. એક સાથે ત્રણસોથી વધારે નિર્દોષ અને આશાભર્યા માણસોના મૃત્યુ થાય ત્યારે કોને જમવાનું ભાવે! એ રાત પણ એવી જ વીતી. આખું અમદાવાદ, ગુજરાત અને ભારત ઉદાસી, ગમ, ચિંતા અને અનેક જાતની અટકળો વચ્ચે પડખાં ફેરવતું રહ્યું.
બીજો દિવસ. નવો સૂરજ. નવો દિવસ. નવી ચેતના. ‘દુનિયા મેં હમ આયે હૈં તો જીના હી પડેગા’ આવી સમજણ અને આવા સમાધાન સાથે સૌ કામ પર ચડી ગયાં. ડો. કુબાવત પણ ક્લિનિકમાં પહોંચી ગયા. મુકેશભાઈ અને એમના પત્ની નવા, તાજા રિપોર્ટ સાથે હાજર હતાં. ડો. કુબાવતે એ વાંચીને મુકેશભાઈને નવી સારવાર પર લઈ લીધા.
એ કામ પૂરું થયા પછી ડો. કુબાવતે કહ્યું, ‘મુકેશભાઈ, એક ખાસ વાત માટે મારે તમારો આભાર માનવો પડશે. ગઈ કાલે જો તમે મોડા ન પડ્યા હોત તો હું અત્યારે જીવતો ન હોત. દોઢ વાગે હું ડોક્ટર્સ હોસ્ટેલમાં બેઠો હોત અને ત્યાં જ...’
મુકેશભાઈએ ખિસ્સામાંથી પોતાનો મોબાઈલ ફોન કાઢ્યો, પત્નીની સામે સૂચક નજરે જોયું, પછી મોબાઈલ ખોલીને એક મેસેજ એક મેસેજ શોધી કાઢ્યો, પછી સ્ક્રીન ડોક્ટરની સામે ધરી દીધો, ‘આ વાંચો ડોક્ટર. મારો ઓરિજિનલ પ્લાન ગઈ કાલે એર ઈન્ડિયાની આ જ ફ્લાઈટમાં લંડન જવાનો હતો. અમે ત્રણ અઠવાડિયાંથી અહીં હતાં. જો પેલા ફિઝિશિયનની સારવાર મને માફક આવી ગઈ હોત તો ગઈ કાલે હું અને મારી પત્ની એ ફ્લાઈટમાં ચડી ગયાં હોત. બે દિવસ પહેલાં મને કોઈકે તમારું નામ આપ્યું. મેં ગઈ કાલની ટિકિટ કેન્સલ કરાવી દીધી, ફક્ત તમને કન્સલ્ટ કરવા માટે જ. હવે કહો કે મેં તમારો જીવ બચાવ્યો ગણાય કે તમે અમારા બંનેના જીવ બચાવ્યા કહેવાય?’
ત્રણેયની આંખો ભીની થઈ ગઈ, એ અદૃશ્ય શક્તિને યાદ કરીને જેણે આવું યોજનાબંધ આયોજન કરીને એ ત્રણેયના જીવ બચાવ્યા હતા.
- શીર્ષકપંક્તિઃ અકબરઅલી જસદણવાલા
ઓફબીટ:પ્રેમ: જન્મોજનમ તમે હેડકી થજો…
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/love-you-are-always-hiccuping-135305814.html
પ્રે મના મૂળમાં સ્વસંવાદ છે. પ્રેમ વિના જીવન શક્ય નથી. પ્રેમ એકલા પાડવામાં નથી માનતો! એકલાને પ્રેમ પણ અલક મલકનો હોય છે. કારણોમાં ગૂંચવાઇ જાય તે પ્રેમ નહીં. લાગણી એનાં કક્કો-બારાખડી. પ્રેમમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલે છે. અડધા પડધા પ્રેમની કોઇ વ્યાખ્યા ન હોય. જે પૂર્ણ થવા આપણને ધારણ કરે છે તે પ્રેમ છે. ‘ચાહવું’ માનવમાત્રની નિયતિ છે.
અપેક્ષા પ્રેમને ગૂંગળાવે છે. પ્રેમ કરીએ છીએ- એ પ્રત્યેક કાળના વર્તમાનનું સત્ય છે. પ્રેમને વર્તમાન સાથે વધુ ફાવે છે. સ્મરણ એની આડમાં જીવે છે. અપૂર્ણ પ્રેમ એકતરફી મહત્ત્વાકાંક્ષાનું પરિણામ હોઇ શકે છે. પ્રેમને અવકાશ જોઇએ છે. પોતાની બારીમાંથી આરપાર જોઇ શકાય એવું આકાશ જોઇએ છે. ટુકડાઓમાં જીવતો પ્રેમ સળંગ લાગે ત્યારે કહ્યા વગર રુવાડાંને ફૂલો ઊગે છે. કેલેન્ડરમાં પ્રેમનો મહિનો બારેમાસ હોય છે.
માણસને પ્રેમ કરવો છે, પણ એકનો એક પ્રેમ પાત્ર બદલીને અવારનવાર કરવો છે. પરિણામે પ્રેમ ગોથું ખાઇ જાય છે. ધીરજ પ્રેમનું ઘરેણું છે. ગમતી વ્યક્તિ અને આપણને ચાહતી વ્યક્તિ એક જ હોય ત્યારે પ્રેમ ઘરડો થવામાંથી બચી જાય છે.
પ્રેમ સનાતનનું અવિભાજ્ય અંગ છે. પ્રેમ છે ત્યાં કશું પુરવાર કરવાનું બચતું નથી. પ્રેમ નથી ત્યાં ઊણપ ઊડીને આંખે વળગે છે. જિંદગી લાંબી અને ટૂંકી એક સાથે લાગવા માંડે છે. આત્મવિશ્વાસ રિચાર્જ કરવો પડતો નથી. ઓળખ યાત્રા બની જાય છે.
પ્રેમ એકલા પાડે છે પણ એકલતા વગર! જે ઝંખીએ છીએ એ સહારો બનીને સાથે વહે છે. સ્થિર કિનારો વહેતાં વ્હેણ સાથે જે રીતે નાતો બાંધે એમ પ્રેમ આપણો આપણી સાથેનો સંબંધ પાક્કો કરી આપે છે. જ્યાં ઊભાં છીએ ત્યાંથી દેખાતાં બધાં જ દૃશ્યોને ભેટવાનું મન થાય એ અવસ્થા છે પ્રેમ. મોકળાશ આપોઆપ ખીલે છે. ખામીઓ જીવવામાં નડતર નથી બનતી! ઉંમર પ્રમાણે આપણને માફક આવી જાય છે તે પ્રેમ નહીં. એ તો એની પોતાની રીતે જ આપણને જીવંત રાખે. જીવનના ઝંઝાવાત પ્રેમ આગળ શાંત કિનારે વહેતાં ઝરણાં બની જાય છે.
ઉદાહરણ આપીને જેને સમજાવી શકાય છતાંય જેના દાખલા તાળો મેળવ્યા વગર મેળવી શકાય ત્યાં પ્રેમ છે. ગણિત અને શરતો પ્રેમને અનુકૂળ નથી આવતાં! પ્રેમ તો પોતાની મસ્તીના ગીતમાં આપણને ગણગણે છે. હાજરી હોય કે ગેરહાજરી જેને કશો જ ફરક નથી પડતો તે પ્રેમ છે. જીવનમાં પ્રેમ દાખલ જરૂર થાય, પણ દખલ ન કરે ત્યારે પ્રવાસ યાત્રા બની જાય છે.
જેની જન્મોજનમથી રાહ જોતાં હોઇએ એ વ્યક્તિ સાથે પળેપળ અવસર ઊજવાતો હોય અને આપણને ખબર ન પડે એટલા સહજ થઈ જવાય છે પ્રેમમાં! પ્રેમ ઘાયલ નથી કરતો ઘાયલ થયેલા આપણને ઉગારે છે. જીવનમાં ચંદનનો
શીતળ લેપ થઈ જાય છે. ટાઢક અને અગ્નિનો અહેસાસ એક સાથે થાય છે. કોઇ અજાણ્યું નથી લાગતું! અજાણી જગ્યાઓ પણ પહેલાં આવી ચૂક્યાનો અહેસાસ કરાવે છે.
જીવનના બધા જ તબક્કા જેની સાથે અનાયાસ જીવાઇ જશે એવો વહેમ થઈ આવે છે. આ વહેમ શંકા નથી ઉત્પન્ન કરતો! શ્રદ્ધા સાથે મનોબળને મક્કમ કરે છે. પ્રેમ ગીતનું હાર્દ છે. ગઝલની બે પંક્તિ અને પાંચ શેરનો મૂળ વિચાર છે. લખાયાં પછી પણ કોરો લાગતો કાગળ છે. આંસુ આગળ વજૂદ ગુમાવી બેઠેલો વરસાદ છે. લોહીના રંગમાં ઉઘડેલો જીવનનો ઉમંગ છે. જે હોવું જોઇએ એ બધું જ પ્રેમના વિસ્તારમાં નિ:સીમ બનીને જીવે છે. એક ગીત આપોઆપ પ્રેમની જેમ જ લખાઇ જાય છે...
જન્મોજનમ તમે હેડકી થશો, ને અમે ડૂમાનું થાશું ઘરચોળું, હો, રામ...
જન્મોજનમ તમે થાશો વરસાદ, અમે વાદળાંનું બેકાબૂ ટોળું, હો રામ...
અણિયાળી સાંજનો પીધો અમલ લઈ નીકળ્યા સવારનું બેડું, માણારા’જ,
છાંયડાની ઓસરીમાં સૂરજ પંપાળીને સોંપ્યું બપોરનું તેડું, માણારા’જ.
કુંડળીમાં જામ્યા’તા મંડળીની જેમ, અમે કાફલાની ઊડેલી ધૂળ, મારાસા’બ,
લીલીછમ્મ લાગણીની વેલ જેમ ઊગેલા માટી વિનાના સાવ મૂળ, મારાસા’બ.
તમે ફાયામાં ફોરમતું જૂનું અત્તર, અમે તૂટેલી પાંખનાં પતંગિયાં, હો રાજ,
પાંખો વિનાનું અમે ઊડવું લાવ્યા, અને રંગ્યા’તા વાયરાના બખિયા, હો રાજ.
તમે મરજાદી ચૂંદડીનો સાફો માણારાજ, અમે જીવતરના ટુકડાનો છંદ,
અમે ને તમે એક ફળિયાનું પાદર, ફરી મળવાના કોલનો આનંદ.
પ્રેમ પહોંચે છે અને કશુંય ઓળંગતો નથી. આ જ એની વિશેષતા છે. ઓન ધ બીટ્સ
‘જબાં હમારી ન સમજા યહાં કોઈ ‘મજરૂહ’,
હમ અજનબી કી તરફ અપને હી વતન મેં રહે.’
- મજરૂહ સુલતાનપુરી
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/love-you-are-always-hiccuping-135305814.html
પ્રે મના મૂળમાં સ્વસંવાદ છે. પ્રેમ વિના જીવન શક્ય નથી. પ્રેમ એકલા પાડવામાં નથી માનતો! એકલાને પ્રેમ પણ અલક મલકનો હોય છે. કારણોમાં ગૂંચવાઇ જાય તે પ્રેમ નહીં. લાગણી એનાં કક્કો-બારાખડી. પ્રેમમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલે છે. અડધા પડધા પ્રેમની કોઇ વ્યાખ્યા ન હોય. જે પૂર્ણ થવા આપણને ધારણ કરે છે તે પ્રેમ છે. ‘ચાહવું’ માનવમાત્રની નિયતિ છે.
અપેક્ષા પ્રેમને ગૂંગળાવે છે. પ્રેમ કરીએ છીએ- એ પ્રત્યેક કાળના વર્તમાનનું સત્ય છે. પ્રેમને વર્તમાન સાથે વધુ ફાવે છે. સ્મરણ એની આડમાં જીવે છે. અપૂર્ણ પ્રેમ એકતરફી મહત્ત્વાકાંક્ષાનું પરિણામ હોઇ શકે છે. પ્રેમને અવકાશ જોઇએ છે. પોતાની બારીમાંથી આરપાર જોઇ શકાય એવું આકાશ જોઇએ છે. ટુકડાઓમાં જીવતો પ્રેમ સળંગ લાગે ત્યારે કહ્યા વગર રુવાડાંને ફૂલો ઊગે છે. કેલેન્ડરમાં પ્રેમનો મહિનો બારેમાસ હોય છે.
માણસને પ્રેમ કરવો છે, પણ એકનો એક પ્રેમ પાત્ર બદલીને અવારનવાર કરવો છે. પરિણામે પ્રેમ ગોથું ખાઇ જાય છે. ધીરજ પ્રેમનું ઘરેણું છે. ગમતી વ્યક્તિ અને આપણને ચાહતી વ્યક્તિ એક જ હોય ત્યારે પ્રેમ ઘરડો થવામાંથી બચી જાય છે.
પ્રેમ સનાતનનું અવિભાજ્ય અંગ છે. પ્રેમ છે ત્યાં કશું પુરવાર કરવાનું બચતું નથી. પ્રેમ નથી ત્યાં ઊણપ ઊડીને આંખે વળગે છે. જિંદગી લાંબી અને ટૂંકી એક સાથે લાગવા માંડે છે. આત્મવિશ્વાસ રિચાર્જ કરવો પડતો નથી. ઓળખ યાત્રા બની જાય છે.
પ્રેમ એકલા પાડે છે પણ એકલતા વગર! જે ઝંખીએ છીએ એ સહારો બનીને સાથે વહે છે. સ્થિર કિનારો વહેતાં વ્હેણ સાથે જે રીતે નાતો બાંધે એમ પ્રેમ આપણો આપણી સાથેનો સંબંધ પાક્કો કરી આપે છે. જ્યાં ઊભાં છીએ ત્યાંથી દેખાતાં બધાં જ દૃશ્યોને ભેટવાનું મન થાય એ અવસ્થા છે પ્રેમ. મોકળાશ આપોઆપ ખીલે છે. ખામીઓ જીવવામાં નડતર નથી બનતી! ઉંમર પ્રમાણે આપણને માફક આવી જાય છે તે પ્રેમ નહીં. એ તો એની પોતાની રીતે જ આપણને જીવંત રાખે. જીવનના ઝંઝાવાત પ્રેમ આગળ શાંત કિનારે વહેતાં ઝરણાં બની જાય છે.
ઉદાહરણ આપીને જેને સમજાવી શકાય છતાંય જેના દાખલા તાળો મેળવ્યા વગર મેળવી શકાય ત્યાં પ્રેમ છે. ગણિત અને શરતો પ્રેમને અનુકૂળ નથી આવતાં! પ્રેમ તો પોતાની મસ્તીના ગીતમાં આપણને ગણગણે છે. હાજરી હોય કે ગેરહાજરી જેને કશો જ ફરક નથી પડતો તે પ્રેમ છે. જીવનમાં પ્રેમ દાખલ જરૂર થાય, પણ દખલ ન કરે ત્યારે પ્રવાસ યાત્રા બની જાય છે.
જેની જન્મોજનમથી રાહ જોતાં હોઇએ એ વ્યક્તિ સાથે પળેપળ અવસર ઊજવાતો હોય અને આપણને ખબર ન પડે એટલા સહજ થઈ જવાય છે પ્રેમમાં! પ્રેમ ઘાયલ નથી કરતો ઘાયલ થયેલા આપણને ઉગારે છે. જીવનમાં ચંદનનો
શીતળ લેપ થઈ જાય છે. ટાઢક અને અગ્નિનો અહેસાસ એક સાથે થાય છે. કોઇ અજાણ્યું નથી લાગતું! અજાણી જગ્યાઓ પણ પહેલાં આવી ચૂક્યાનો અહેસાસ કરાવે છે.
જીવનના બધા જ તબક્કા જેની સાથે અનાયાસ જીવાઇ જશે એવો વહેમ થઈ આવે છે. આ વહેમ શંકા નથી ઉત્પન્ન કરતો! શ્રદ્ધા સાથે મનોબળને મક્કમ કરે છે. પ્રેમ ગીતનું હાર્દ છે. ગઝલની બે પંક્તિ અને પાંચ શેરનો મૂળ વિચાર છે. લખાયાં પછી પણ કોરો લાગતો કાગળ છે. આંસુ આગળ વજૂદ ગુમાવી બેઠેલો વરસાદ છે. લોહીના રંગમાં ઉઘડેલો જીવનનો ઉમંગ છે. જે હોવું જોઇએ એ બધું જ પ્રેમના વિસ્તારમાં નિ:સીમ બનીને જીવે છે. એક ગીત આપોઆપ પ્રેમની જેમ જ લખાઇ જાય છે...
જન્મોજનમ તમે હેડકી થશો, ને અમે ડૂમાનું થાશું ઘરચોળું, હો, રામ...
જન્મોજનમ તમે થાશો વરસાદ, અમે વાદળાંનું બેકાબૂ ટોળું, હો રામ...
અણિયાળી સાંજનો પીધો અમલ લઈ નીકળ્યા સવારનું બેડું, માણારા’જ,
છાંયડાની ઓસરીમાં સૂરજ પંપાળીને સોંપ્યું બપોરનું તેડું, માણારા’જ.
કુંડળીમાં જામ્યા’તા મંડળીની જેમ, અમે કાફલાની ઊડેલી ધૂળ, મારાસા’બ,
લીલીછમ્મ લાગણીની વેલ જેમ ઊગેલા માટી વિનાના સાવ મૂળ, મારાસા’બ.
તમે ફાયામાં ફોરમતું જૂનું અત્તર, અમે તૂટેલી પાંખનાં પતંગિયાં, હો રાજ,
પાંખો વિનાનું અમે ઊડવું લાવ્યા, અને રંગ્યા’તા વાયરાના બખિયા, હો રાજ.
તમે મરજાદી ચૂંદડીનો સાફો માણારાજ, અમે જીવતરના ટુકડાનો છંદ,
અમે ને તમે એક ફળિયાનું પાદર, ફરી મળવાના કોલનો આનંદ.
પ્રેમ પહોંચે છે અને કશુંય ઓળંગતો નથી. આ જ એની વિશેષતા છે. ઓન ધ બીટ્સ
‘જબાં હમારી ન સમજા યહાં કોઈ ‘મજરૂહ’,
હમ અજનબી કી તરફ અપને હી વતન મેં રહે.’
- મજરૂહ સુલતાનપુરી
દેશી ઓઠાં:મુરતિયો
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/statue-135305832.html
ડા યા મુખીનું ખોરડું ખમતીધર ગણાય. નાત્યમાં પૂછવા ઠેકાણું. આબરુ મોટી. રખાવટવાળો માણસ. ઘરની નાર પરભા એટલે ઘરનું ઢાંકણ. ખોરડાના શણગાર જેવી ખાનદાન બાઈ. ડાયા મુખીને બધી વાતની સરખાઈ. પણ ખાટલે મોટી ખોટ કે એકનો એક દીકરો ઉકો સાવ અક્કલમઠો. કાંઈ ગતાગમ નહીં. પાદરે મોકલ્યો હોય તો ચોકમાં જઈને ઊભો ર્યે. ગૉળ લેવા મોકલો તો ડાળિયા લઈ આવે. મે’માન આવે તો પૂછે: ‘તમે કોણ છો? શું લેવા આવ્યા છો?’
ઉકાને મગજની હાર્યે લણાદેણી જ નહીં. ઈ જ કારણે ઉકો અઠ્યાવીશ વરસનો થ્યો તોય કપાળ કોરું જ રહી ગ્યું. ખોરડું મોટું, માણસો ખાનદાન, પણ મુરતિયામાં જ મીઠું નહીં! આવા મીઠા વગરનાને કોણ દીકરી આપે! ઉકો ઉંમર વટાવી ગ્યો. મેળ નો પડ્યો તે નો જ પડ્યો. ઉકાને સંસારની કાંઈ સાનભાન નહીં, પણ ક્યારેક એની મા પરભાને ઘણી વાર ક્યે, ‘બાડી! ગામમાં હંધાય છોકરાનાં લગન થાય છે, તે મારેય લગન કરવાં છે. વરરાજો થાવું છે. ફુલેકું કાઢવું છે.’ પરભાની આંખ્ય ભીની થાતી. મુરખ દીકરાની સામે જોઈને નિહાકો નાખતી.
ઘણી વાર ઉકાને જોવા મેમાન આવે. તો ઘણીવાર ઉકાને લઈને કન્યા જોવા જવાનું પણ થાય. દરેક વખતે ઉકો બોલીને એવું બાફી મારે કે સગપણની વાત પહેલાં પગલે જ પાછી પડે. એકવાર પંદરેક ગાઉ છેટેના પાવઠી ગામે એક ઠેકાણું જોવાની વાત ઉકાના મામા થકી આવી. સામેવાળા મામાના ઓળખીતા છે. મામાએ તો ઉકાને ઉપાડ્યો. પાવઠી પૂગ્યા. આદર- સન્માન થ્યાં. બપોરે જમવા બેઠા.
ઘઉંનો શીરો, મગની દાળ, રીંગણાંનું શાક, પાપડ, ચીભડાની કાચરી, ગુંદા-ડાળાં ને ગરમરનાં આથણાં. ઉકાએ તો ઝપટ બોલાવી. સામે ભાતનો થાળ મૂકેલો. ઉકાને ભાત, દાળ અને શીરો માગવાં છે, પણ નામ આવડે નહીં. મામાને ભાત સામે આંગળી ચીંધીને પૂછે છે કે આને શું કહેવાય? મામાએ ડોળા કાઢીને કીધું, ‘અરે, બોઘા!’ ઉકાએ દાળનું પૂછવા ઈશારો કર્યો. મામાએ નાકે આંગળી મૂકીને કહ્યું, ‘ચૂપ!’ વળી શીરા માટે પૂછયું. મામા ખીજાણા, ‘તારું કપાળ!’ ઉકાને ત્રણેય નામ મળી ગ્યાં. ઉકાએ કન્યાની માને કહ્યું: ‘ચપટીક બોઘા, ચૂપ અને મારું કપાળ આપો!’
કન્યાનું આખું ઘર ગોથે ચડી ગ્યું.
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/statue-135305832.html
ડા યા મુખીનું ખોરડું ખમતીધર ગણાય. નાત્યમાં પૂછવા ઠેકાણું. આબરુ મોટી. રખાવટવાળો માણસ. ઘરની નાર પરભા એટલે ઘરનું ઢાંકણ. ખોરડાના શણગાર જેવી ખાનદાન બાઈ. ડાયા મુખીને બધી વાતની સરખાઈ. પણ ખાટલે મોટી ખોટ કે એકનો એક દીકરો ઉકો સાવ અક્કલમઠો. કાંઈ ગતાગમ નહીં. પાદરે મોકલ્યો હોય તો ચોકમાં જઈને ઊભો ર્યે. ગૉળ લેવા મોકલો તો ડાળિયા લઈ આવે. મે’માન આવે તો પૂછે: ‘તમે કોણ છો? શું લેવા આવ્યા છો?’
ઉકાને મગજની હાર્યે લણાદેણી જ નહીં. ઈ જ કારણે ઉકો અઠ્યાવીશ વરસનો થ્યો તોય કપાળ કોરું જ રહી ગ્યું. ખોરડું મોટું, માણસો ખાનદાન, પણ મુરતિયામાં જ મીઠું નહીં! આવા મીઠા વગરનાને કોણ દીકરી આપે! ઉકો ઉંમર વટાવી ગ્યો. મેળ નો પડ્યો તે નો જ પડ્યો. ઉકાને સંસારની કાંઈ સાનભાન નહીં, પણ ક્યારેક એની મા પરભાને ઘણી વાર ક્યે, ‘બાડી! ગામમાં હંધાય છોકરાનાં લગન થાય છે, તે મારેય લગન કરવાં છે. વરરાજો થાવું છે. ફુલેકું કાઢવું છે.’ પરભાની આંખ્ય ભીની થાતી. મુરખ દીકરાની સામે જોઈને નિહાકો નાખતી.
ઘણી વાર ઉકાને જોવા મેમાન આવે. તો ઘણીવાર ઉકાને લઈને કન્યા જોવા જવાનું પણ થાય. દરેક વખતે ઉકો બોલીને એવું બાફી મારે કે સગપણની વાત પહેલાં પગલે જ પાછી પડે. એકવાર પંદરેક ગાઉ છેટેના પાવઠી ગામે એક ઠેકાણું જોવાની વાત ઉકાના મામા થકી આવી. સામેવાળા મામાના ઓળખીતા છે. મામાએ તો ઉકાને ઉપાડ્યો. પાવઠી પૂગ્યા. આદર- સન્માન થ્યાં. બપોરે જમવા બેઠા.
ઘઉંનો શીરો, મગની દાળ, રીંગણાંનું શાક, પાપડ, ચીભડાની કાચરી, ગુંદા-ડાળાં ને ગરમરનાં આથણાં. ઉકાએ તો ઝપટ બોલાવી. સામે ભાતનો થાળ મૂકેલો. ઉકાને ભાત, દાળ અને શીરો માગવાં છે, પણ નામ આવડે નહીં. મામાને ભાત સામે આંગળી ચીંધીને પૂછે છે કે આને શું કહેવાય? મામાએ ડોળા કાઢીને કીધું, ‘અરે, બોઘા!’ ઉકાએ દાળનું પૂછવા ઈશારો કર્યો. મામાએ નાકે આંગળી મૂકીને કહ્યું, ‘ચૂપ!’ વળી શીરા માટે પૂછયું. મામા ખીજાણા, ‘તારું કપાળ!’ ઉકાને ત્રણેય નામ મળી ગ્યાં. ઉકાએ કન્યાની માને કહ્યું: ‘ચપટીક બોઘા, ચૂપ અને મારું કપાળ આપો!’
કન્યાનું આખું ઘર ગોથે ચડી ગ્યું.
તવારીખની તેજછાયા:ઈન્દિરા ગાંધીને પોતાની સત્તાનો ભય કેમ હતો?
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/why-was-indira-gandhi-afraid-of-her-power-135305813.html
પ્રકાશ ન. શાહ બ રાબર પચાસ વરસ થયાં એ રાતને, એ વાતને- જ્યારે લોકશાહીના દીવા બુઝાઈ રહ્યા જેવા હતા અને લોકશાહીની વાટ કેમ જાણે રૂંધાયાં જેવી.
અલાહાબાદ હાઈકોર્ટે ઈન્દિરા ગાંધીની ચૂંટણી રદ કરી હતી. ન્યાયમૂર્તિ જગમોહનલાલ સિંહા જે રીતે કામ લઈ રહ્યા હતા તે જોતાં હિમાચલ હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ પદની લલચામણી ઓફર સાથે એમને વારવાનો પ્રયાસ સત્તાસ્થાનેથી નાકામ રહ્યો હતો.
ઈન્દિરાજીના પ્રતિપક્ષી ઉમેદવાર રાજનારાયણ તરફથી કેસ લડી રહેલા શાંતિભૂષણને કોઈક રીતે પોતાની તરફે કરી લેવાના સત્તાશાઈ ઉધામાને પણ યારી મળી નહોતી. અંતે જે થવાનું હતું તે થઈને રહ્યું- અમદાવાદ (ગુજરાતની ચૂંટણી) અને અલાહાબાદ, બેઉ ચુકાદા એક સાથે આવ્યા.
1971ની બાંગ્લાદેશ વેળાની તેમ ગરીબી હટાઓ ચૂંટણીથી પ્રાપ્ત આભા હવે સવાલિયા કુંડાળામાં મૂકાઈ ગઈ હતી. બિહાર આંદોલનનાં ઐતિહાસિક પરિમાણો અને જયપ્રકાશનું અસાધારણ નેતૃત્વ જોતાં બની રહેલા માહોલ વચ્ચે ઈન્દિરા ગાંધીની ચૂંટણીનું રદ થવું પ્રજાસત્તાક ભારતમાં પહેલી પચીસી સંકેલાતે જળથાળ સંજોગો ઊભા કરે તે સાફ હતું.
આ જળથાળ સંજોગ 25મી જૂનની મધરાત લગોલગ આંતરિક કટોકટીની જાહેરાત રૂપે સામે આવ્યો. એને પગલે સેન્સરશિપથી માંડીને મિસા (જેને ‘મેઈન્ટેનન્સ ઓફ ઈન્દિરા સિકયોરિટી એક્ટ તરીકે સૌ ઓળખાવતા) અમલી બન્યો. એમાં, આ મિસાવાસ્યમમાં, કારણ જણાવ્યા વગર ને કામ ચલાવ્યા વગર ગોંધી રાખવાની બેછૂટ જોગવાઈ હતી.
મુદ્દે જે ભય હતો તે મુખ્યત્વે ઈન્દિરા ગાંધીને પોતાની સત્તા અંગે હતો. અલાહાબાદ હાઈકોર્ટે એમની સાંસદી રદ કરી હતી અને છ વરસ માટે ચૂંટણી લડવા બાબતે ગેરલાયક ઠરાવ્યાં હતાં. પક્ષપ્રમુખ દેવકાન્ત બરુઆ તેમજ પ્રધાનમંડળના સીનિયર સાથીઓ ‘થોડો સમય, બધું ઠેકાણે ન પડે ત્યાં સુધી’ હંગામી પ્રધાનમંત્રી પદ વાસ્તે તૈયાર હતા. પણ અલાહાબાદ હાઈકોર્ટે સામેથી, આ સજા સામે અપીલમાં જવા સારુ વીસ દિવસની જે સવલત આપી હતી તે પછી બરુઆ કે ચવાણ કે જગજીવનરામ સત્તા પાછી સોંપે ખરા કે કેમ એ બાબતે ઈન્દિરા ગાંધી કાં તો સાશંક હતાં કે પછી નિર્ભ્રાન્ત.
દરમ્યાન, ચુકાદાને પગલે 18મી જૂને મળેલી કોંગ્રેસ પાર્લમેન્ટરી પાર્ટીએ ‘ઈન્દિરાજીના નેતૃત્વમાં’ વિશ્વાસનો પ્રસ્તાવ કર્યો. જયપ્રકાશે જાહેર પ્રતિક્રિયા આપી કે ચુકાદાનો જવાબ વિશ્વાસમતમાં નથી- તમે કાયદાની આણ માની પદત્યાગ માટેની નૈતિક તૈયારી દાખવવા માગો છો કે કેમ એ સવાલ છે.
25મી જૂને રામલીલા મેદાનમાં વિરાટ જાહેર સભા મળી, જેને જયપ્રકાશ નારાયણથી માંડી મોરારજી દેસાઈ વગેરેએ સંબોધી. જયપ્રકાશે કવિ દિનકરને ટાંકીને કહ્યું: સિંહાસન ખાલી કરો કી જનતા આતી હૈ! નવનિર્માણથી આરંભી રેલવે હડતાળથી માંડી બિહાર આંદોલન દરમ્યાન જે દમનરાજનો અનુભવ થયો હતો એના ઉજાસમાં જયપ્રકાશે પોલીસને તેમ લશ્કરને પણ અપીલ કરી કે કશું ગેરકાનૂની કે ગેરબંધારણીય કરવાનું કહેવામાં આવે તો માનશો ના- તમારા ‘મેન્યુઅલ’માં તે સાફ લખેલું છે.
કહ્યાગરા રાષ્ટ્રપતિની સહી મેળવી ઈન્દિરા ગાંધીએ કટોકટીની જાહેરાત કરી. મધરાતે ઘણાખરા પ્રધાનોની જાણ વગર એમને ત્યાં એ જાહેરનામું તૈયાર થયું હતું.
21મી ને 22મીએ રાષ્ટ્રભરમાંથી પકડવા લાયક લોકોની યાદી વૉરન્ટ સર તૈયાર થવા લાગી હતી. બલકે, 12મી જૂને અમદાવાદ-અલાહાબાદના ચુકાદા સાથે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર પણ ચોક્કસ યાદી પર કામ કરી રહ્યા હતા અને હા, પાછળથી પ્રાપ્ય વિગતો પ્રમાણે પ. બંગાળના મુખ્યમંત્રી સિધ્ધાર્થ શંકર રેએ છ મહિના પૂર્વે આંતરિક કટોકટીની જાહેરાતનો મુસદ્દો તૈયાર કરી સોંપ્યો હતો.
આ તો અધુકડો મુખડો માત્ર છે. જૂન 2025થી માર્ચ 2027ના, કટોકટી પડ્યાથી ઊઠ્યાની પચાસીનાં વરસોમાં યથાપ્રસંગ કંઈક નિરીક્ષા, કંઈક નુક્તેચીની જરૂર કરવાની થશે.
દોધારી નિયતિ નાગરિક છેડે અનુભવાય છે: કટોકટી (ઈમર્જન્સી) ગઈ પણ કાયદાનું શાસન સવાલિયા દાયરામાં છે અને ગેરબરાબરી તેમજ વિદ્વેષની કટોકટી (ક્રાઈસિસ) બરકરાર છે. 1947ના સ્વરાજ કાળથી તેમ 1950ના પ્રજાસત્તાક કાળથી જે કટોકટીનો આપણે મુકાબલો કરી રહ્યાં છીએ એની ન તો હાલના સત્તા-પ્રતિષ્ઠાનને સુધબુધ છે, ન તો એના બડકમદારો અને પાલખી ઊંચકનારાઓને એની પડી છે. 2025-2026ની પચાસી જેમ જૂની મૂર્છાની તેમ નવી મૂઠની કાળજી લઈ શકશે?
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/why-was-indira-gandhi-afraid-of-her-power-135305813.html
પ્રકાશ ન. શાહ બ રાબર પચાસ વરસ થયાં એ રાતને, એ વાતને- જ્યારે લોકશાહીના દીવા બુઝાઈ રહ્યા જેવા હતા અને લોકશાહીની વાટ કેમ જાણે રૂંધાયાં જેવી.
અલાહાબાદ હાઈકોર્ટે ઈન્દિરા ગાંધીની ચૂંટણી રદ કરી હતી. ન્યાયમૂર્તિ જગમોહનલાલ સિંહા જે રીતે કામ લઈ રહ્યા હતા તે જોતાં હિમાચલ હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ પદની લલચામણી ઓફર સાથે એમને વારવાનો પ્રયાસ સત્તાસ્થાનેથી નાકામ રહ્યો હતો.
ઈન્દિરાજીના પ્રતિપક્ષી ઉમેદવાર રાજનારાયણ તરફથી કેસ લડી રહેલા શાંતિભૂષણને કોઈક રીતે પોતાની તરફે કરી લેવાના સત્તાશાઈ ઉધામાને પણ યારી મળી નહોતી. અંતે જે થવાનું હતું તે થઈને રહ્યું- અમદાવાદ (ગુજરાતની ચૂંટણી) અને અલાહાબાદ, બેઉ ચુકાદા એક સાથે આવ્યા.
1971ની બાંગ્લાદેશ વેળાની તેમ ગરીબી હટાઓ ચૂંટણીથી પ્રાપ્ત આભા હવે સવાલિયા કુંડાળામાં મૂકાઈ ગઈ હતી. બિહાર આંદોલનનાં ઐતિહાસિક પરિમાણો અને જયપ્રકાશનું અસાધારણ નેતૃત્વ જોતાં બની રહેલા માહોલ વચ્ચે ઈન્દિરા ગાંધીની ચૂંટણીનું રદ થવું પ્રજાસત્તાક ભારતમાં પહેલી પચીસી સંકેલાતે જળથાળ સંજોગો ઊભા કરે તે સાફ હતું.
આ જળથાળ સંજોગ 25મી જૂનની મધરાત લગોલગ આંતરિક કટોકટીની જાહેરાત રૂપે સામે આવ્યો. એને પગલે સેન્સરશિપથી માંડીને મિસા (જેને ‘મેઈન્ટેનન્સ ઓફ ઈન્દિરા સિકયોરિટી એક્ટ તરીકે સૌ ઓળખાવતા) અમલી બન્યો. એમાં, આ મિસાવાસ્યમમાં, કારણ જણાવ્યા વગર ને કામ ચલાવ્યા વગર ગોંધી રાખવાની બેછૂટ જોગવાઈ હતી.
મુદ્દે જે ભય હતો તે મુખ્યત્વે ઈન્દિરા ગાંધીને પોતાની સત્તા અંગે હતો. અલાહાબાદ હાઈકોર્ટે એમની સાંસદી રદ કરી હતી અને છ વરસ માટે ચૂંટણી લડવા બાબતે ગેરલાયક ઠરાવ્યાં હતાં. પક્ષપ્રમુખ દેવકાન્ત બરુઆ તેમજ પ્રધાનમંડળના સીનિયર સાથીઓ ‘થોડો સમય, બધું ઠેકાણે ન પડે ત્યાં સુધી’ હંગામી પ્રધાનમંત્રી પદ વાસ્તે તૈયાર હતા. પણ અલાહાબાદ હાઈકોર્ટે સામેથી, આ સજા સામે અપીલમાં જવા સારુ વીસ દિવસની જે સવલત આપી હતી તે પછી બરુઆ કે ચવાણ કે જગજીવનરામ સત્તા પાછી સોંપે ખરા કે કેમ એ બાબતે ઈન્દિરા ગાંધી કાં તો સાશંક હતાં કે પછી નિર્ભ્રાન્ત.
દરમ્યાન, ચુકાદાને પગલે 18મી જૂને મળેલી કોંગ્રેસ પાર્લમેન્ટરી પાર્ટીએ ‘ઈન્દિરાજીના નેતૃત્વમાં’ વિશ્વાસનો પ્રસ્તાવ કર્યો. જયપ્રકાશે જાહેર પ્રતિક્રિયા આપી કે ચુકાદાનો જવાબ વિશ્વાસમતમાં નથી- તમે કાયદાની આણ માની પદત્યાગ માટેની નૈતિક તૈયારી દાખવવા માગો છો કે કેમ એ સવાલ છે.
25મી જૂને રામલીલા મેદાનમાં વિરાટ જાહેર સભા મળી, જેને જયપ્રકાશ નારાયણથી માંડી મોરારજી દેસાઈ વગેરેએ સંબોધી. જયપ્રકાશે કવિ દિનકરને ટાંકીને કહ્યું: સિંહાસન ખાલી કરો કી જનતા આતી હૈ! નવનિર્માણથી આરંભી રેલવે હડતાળથી માંડી બિહાર આંદોલન દરમ્યાન જે દમનરાજનો અનુભવ થયો હતો એના ઉજાસમાં જયપ્રકાશે પોલીસને તેમ લશ્કરને પણ અપીલ કરી કે કશું ગેરકાનૂની કે ગેરબંધારણીય કરવાનું કહેવામાં આવે તો માનશો ના- તમારા ‘મેન્યુઅલ’માં તે સાફ લખેલું છે.
કહ્યાગરા રાષ્ટ્રપતિની સહી મેળવી ઈન્દિરા ગાંધીએ કટોકટીની જાહેરાત કરી. મધરાતે ઘણાખરા પ્રધાનોની જાણ વગર એમને ત્યાં એ જાહેરનામું તૈયાર થયું હતું.
21મી ને 22મીએ રાષ્ટ્રભરમાંથી પકડવા લાયક લોકોની યાદી વૉરન્ટ સર તૈયાર થવા લાગી હતી. બલકે, 12મી જૂને અમદાવાદ-અલાહાબાદના ચુકાદા સાથે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર પણ ચોક્કસ યાદી પર કામ કરી રહ્યા હતા અને હા, પાછળથી પ્રાપ્ય વિગતો પ્રમાણે પ. બંગાળના મુખ્યમંત્રી સિધ્ધાર્થ શંકર રેએ છ મહિના પૂર્વે આંતરિક કટોકટીની જાહેરાતનો મુસદ્દો તૈયાર કરી સોંપ્યો હતો.
આ તો અધુકડો મુખડો માત્ર છે. જૂન 2025થી માર્ચ 2027ના, કટોકટી પડ્યાથી ઊઠ્યાની પચાસીનાં વરસોમાં યથાપ્રસંગ કંઈક નિરીક્ષા, કંઈક નુક્તેચીની જરૂર કરવાની થશે.
દોધારી નિયતિ નાગરિક છેડે અનુભવાય છે: કટોકટી (ઈમર્જન્સી) ગઈ પણ કાયદાનું શાસન સવાલિયા દાયરામાં છે અને ગેરબરાબરી તેમજ વિદ્વેષની કટોકટી (ક્રાઈસિસ) બરકરાર છે. 1947ના સ્વરાજ કાળથી તેમ 1950ના પ્રજાસત્તાક કાળથી જે કટોકટીનો આપણે મુકાબલો કરી રહ્યાં છીએ એની ન તો હાલના સત્તા-પ્રતિષ્ઠાનને સુધબુધ છે, ન તો એના બડકમદારો અને પાલખી ઊંચકનારાઓને એની પડી છે. 2025-2026ની પચાસી જેમ જૂની મૂર્છાની તેમ નવી મૂઠની કાળજી લઈ શકશે?
બ્લેક એન્ડ વ્હાઈટ:પુણેના વૃક્ષનું પવિત્ર પાણી વા વાયો ને નળિયું ખસ્યું!
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/the-holy-water-of-the-pune-tree-was-spilled-and-the-pipe-was-broken-135305835.html
પુ ણેના પાડોશી શહેર પીંપરીમાં ગયા અઠવાડિયે બનેલી એક ઘટનાના વીડિયોઝ ખૂબ વાઈરલ થયા હતા. પીંપરીના પ્રેમલોક પાર્ક વિસ્તારના એક વૃક્ષના થડમાંથી પાણીના રેલા નીકળવા માંડ્યા હતા એટલે સંખ્યાબંધ લોકો ત્યાં ધસી ગયાં હતાં. વૃક્ષના થડમાંથી પાણી વહી રહ્યું છે એ વાત વીજળીવેગે ફેલાઈ ગઈ હતી. લોકોએ પવિત્ર જળ માની એ વૃક્ષના થડ ઉપર હળદર અને કંકુ લગાડ્યાં હતાં અને એ વૃક્ષ પર ફૂલહાર અર્પણ કરવાની શરૂઆત કરી દીધી હતી.
થોડીવારમાં તો એ વૃક્ષમાંથી વહી રહેલા જળના દર્શન માટે લાંબી લાઈન લાગી ગઈ હતી. એમાં વળી કોઈએ એવી વાત ફેલાવી દીધી કે ‘આ પવિત્ર જળ ઔષધિ ગુણ ધરાવે છે અને એના સેવનથી બીમારી પણ મટી જાય છે.’ એ વૃક્ષ પાસે લોકો મોટી સંખ્યામાં એકઠાં થઈ ગયાં એ પછી પીંપરી-ચિંચવડ મહાનગરપાલિકાના અધિકારીઓએ તપાસ કરાવી હતી. વૃક્ષની નજીકમાં ખોદકામ કરવામાં આવતા ખબર પડી કે ત્યાં એક અંડરગ્રાઉન્ડ પાઈપલાઈનમાં ભંગાણને કારણે વૃક્ષના થડમાંથી પાણી નીકળવા માંડ્યું હતું! વાસ્તવમાં એ ચમત્કાર નહોતો, પરંતુ લોકોને ચમત્કાર થાય છે એવું માનવું ગમતું હોય છે. આ પ્રકારની ઘટનાઓ સમયાંતરે બનતી રહે છે.
ઓગસ્ટ 18, 2006ના દિવસે મુંબઈના માહિમ વિસ્તારમાં પણ આવી ઘટના બની હતી, જેમાં દરિયાનું પાણી મીઠું થઈ ગયું છે એવી અફવા ફેલાઈ ગઈ હતી! માહિમની દરગાહની સામેના એક જર્જરિત મકાનમાં રહેતો માછીમાર અસલમ શેખ સાંજના છ વાગ્યે માછલીઓ પકડવા ગયો, પરંતુ અડધા-પોણા કલાક સુધી મથામણ કર્યા પછી એકેય માછલી પકડાઈ નહીં એટલે પાણીમાં ગરબડ તો નથી ને એવી શંકાથી તેણે પાણી ચાખ્યું તો તેને પાણી મીઠું લાગ્યું! રોમાંચથી અસલમ શેખનાં રુવાડાં ખડાં થઈ ગયાં.
તે ઘરે ભાગ્યો અને તેની બહેન શાહિદાને એ વાત કરી.
અસલમ શેખ અને તેની બહેન મીઠું પાણી ભરી લાવવા ફરીવાર દરિયાકિનારે ગયાં. શાહિદાને પણ દરિયાનું પાણી મીઠું લાગ્યું. તેમણે પાડોશીઓને વાત કરી. કુતૂહલવશ કેટલાક પાડોશીઓ પણ દરિયાકિનારે ગયા. તેમને પણ દરિયાનું પાણી મીઠું લાગ્યું. આ વાત દાવાનળનીજેમ ફેલાઈ અને માહિમના દરિયાકિનારાની બાજુમાં હિન્દુજા હોસ્પિટલમાં દર્દીઓની તબિયતના ખબર-અંતર પૂછવા આવેલા મુંબઈગરાઓ પણ દરિયાકિનારે ધસી ગયાં.
સૌ કોઈ જે હાથ પડ્યું તે લઈને પાણી ભરવા માંડ્યાં. એમાં વળી ટીવી ન્યૂઝ ચેનલ્સના પત્રકારો માહિમના દરિયાકિનારે પહોંચી ગયા. તેમણે લોકો દરિયાનું પાણી પીતાં હોય એવાં દૃશ્યોનું ધડાધડ જીવંત પ્રસારણ કરવા માંડ્યું.
મધરાત સુધીમાં તો માહિમના દરિયાકિનારે ભીડ એટલી વધી ગઈ કે કંઈ અજુગતું ન બને એ માટે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવો પડ્યો. મહાનગરપાલિકાના અધિકારીઓ પણ ત્યાં દોડી ગયા અને પાણીનું સેમ્પલ લેવાયું. તપાસ પછી નિષ્ણાતોએ બીજે દિવસે ‘દરિયાના મીઠા પાણીનું રહસ્ય’ ખોલ્યું કે, દરિયાનું પાણી મીઠું નહોતું થયું, પણ દરિયાના પાણીની ખારાશ ઓછી થઈ હતી!
મુંબઈના તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર જોની જોસફે પાલિકાની પ્રયોગશાળામાં માહિમના દરિયાકિનારાના પાણીના અભ્યાસનું તારણ જાહેર કર્યું કે ‘એ પાણીમાં ખારાશ ઓછી છે, પણ એ પાણી પીવાલાયક તો શું નાહવાલાયક સુદ્ધાં નથી!’ છતાં અબુધ મુંબઈગરાઓનું ગાંડપણ ચાલુ રહ્યું. એ ઘટના પછી વળી ત્રીજા દિવસે દેવી-દેવતાઓની મૂર્તિઓ દૂધ પીવા માંડી હોવાની અફવા દેશભરમાં ફેલાઈ ગઈ!
1994માં ચેન્નાઈમાં માસ હિસ્ટીરિયાની વિચિત્ર ઘટના બની હતી. ચેન્નાઈની એક સ્કૂલમાં એક છોકરીને સતત હેડકી આવવા માંડી એટલે તેને રજા આપીને ઘરે જવા દેવાઈ. એ જ દિવસે બીજી બે છોકરીઓને પણ હેડકી ચાલુ થઈ ગઈ અને તેમને પણ રજા અપાઈ. બીજા દિવસે પંદર-વીસ છોકરીઓને હેડકી આવવા માંડી અને પાંચ દિવસમાં તો 500 જેટલી વિદ્યાર્થિનીઓ હેડકીની તકલીફને કારણે રજા પર ઊતરી ગઈ!
પીંપરીના વૃક્ષમાંથી પવિત્ર પાણી વહેવા માંડવાની ઘટના કે માહિમના દરિયાનું પાણી મીઠું થઈ જવાની ઘટના કે ભગવાનની મૂર્તિ દૂધ પી રહી છે એવી વાત ફેલાય ત્યારે ત્યારે મોટી સંખ્યામાં લોકો એ વાત સાચી કેમ માની લે છે એ વિશે મેં જાણીતા સાઈકિયેટ્રિસ્ટ ડૉક્ટર મુકુલ ચોકસીને પૂછ્યું ત્યારે તેમણે રસપ્રદ માહિતી આપતાં કહ્યું કે ‘આવી ઘટનાઓને સાઈકિયાટ્રીની ભાષામાં ‘માસ સાઈકોજેનિક ઇલનેસ’ અથવા ‘માસ હિસ્ટીરિયા’ કહેવાય છે. કોઈ માણસને દરિયાનું પાણી મીઠું લાગે કે ભગવાનની મૂર્તિ દૂધ પીતી હોય એવું લાગે અને તે ભગવાનને દૂધ પીવડાવવા માંડે અને તેને જોઈને બીજા માણસો પણ દૂધ પીવડાવવા દોટ મૂકે ત્યારે એવી વ્યક્તિઓ જુઠ્ઠું નથી બોલતી હોતી કે જાણી જોઈને આવી અફવા ફેલાવતી નથી હોતી, પણ તેમનું અજાગૃત મન તેમની પાસે એવું કરાવતું હોય છે.’
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/the-holy-water-of-the-pune-tree-was-spilled-and-the-pipe-was-broken-135305835.html
પુ ણેના પાડોશી શહેર પીંપરીમાં ગયા અઠવાડિયે બનેલી એક ઘટનાના વીડિયોઝ ખૂબ વાઈરલ થયા હતા. પીંપરીના પ્રેમલોક પાર્ક વિસ્તારના એક વૃક્ષના થડમાંથી પાણીના રેલા નીકળવા માંડ્યા હતા એટલે સંખ્યાબંધ લોકો ત્યાં ધસી ગયાં હતાં. વૃક્ષના થડમાંથી પાણી વહી રહ્યું છે એ વાત વીજળીવેગે ફેલાઈ ગઈ હતી. લોકોએ પવિત્ર જળ માની એ વૃક્ષના થડ ઉપર હળદર અને કંકુ લગાડ્યાં હતાં અને એ વૃક્ષ પર ફૂલહાર અર્પણ કરવાની શરૂઆત કરી દીધી હતી.
થોડીવારમાં તો એ વૃક્ષમાંથી વહી રહેલા જળના દર્શન માટે લાંબી લાઈન લાગી ગઈ હતી. એમાં વળી કોઈએ એવી વાત ફેલાવી દીધી કે ‘આ પવિત્ર જળ ઔષધિ ગુણ ધરાવે છે અને એના સેવનથી બીમારી પણ મટી જાય છે.’ એ વૃક્ષ પાસે લોકો મોટી સંખ્યામાં એકઠાં થઈ ગયાં એ પછી પીંપરી-ચિંચવડ મહાનગરપાલિકાના અધિકારીઓએ તપાસ કરાવી હતી. વૃક્ષની નજીકમાં ખોદકામ કરવામાં આવતા ખબર પડી કે ત્યાં એક અંડરગ્રાઉન્ડ પાઈપલાઈનમાં ભંગાણને કારણે વૃક્ષના થડમાંથી પાણી નીકળવા માંડ્યું હતું! વાસ્તવમાં એ ચમત્કાર નહોતો, પરંતુ લોકોને ચમત્કાર થાય છે એવું માનવું ગમતું હોય છે. આ પ્રકારની ઘટનાઓ સમયાંતરે બનતી રહે છે.
ઓગસ્ટ 18, 2006ના દિવસે મુંબઈના માહિમ વિસ્તારમાં પણ આવી ઘટના બની હતી, જેમાં દરિયાનું પાણી મીઠું થઈ ગયું છે એવી અફવા ફેલાઈ ગઈ હતી! માહિમની દરગાહની સામેના એક જર્જરિત મકાનમાં રહેતો માછીમાર અસલમ શેખ સાંજના છ વાગ્યે માછલીઓ પકડવા ગયો, પરંતુ અડધા-પોણા કલાક સુધી મથામણ કર્યા પછી એકેય માછલી પકડાઈ નહીં એટલે પાણીમાં ગરબડ તો નથી ને એવી શંકાથી તેણે પાણી ચાખ્યું તો તેને પાણી મીઠું લાગ્યું! રોમાંચથી અસલમ શેખનાં રુવાડાં ખડાં થઈ ગયાં.
તે ઘરે ભાગ્યો અને તેની બહેન શાહિદાને એ વાત કરી.
અસલમ શેખ અને તેની બહેન મીઠું પાણી ભરી લાવવા ફરીવાર દરિયાકિનારે ગયાં. શાહિદાને પણ દરિયાનું પાણી મીઠું લાગ્યું. તેમણે પાડોશીઓને વાત કરી. કુતૂહલવશ કેટલાક પાડોશીઓ પણ દરિયાકિનારે ગયા. તેમને પણ દરિયાનું પાણી મીઠું લાગ્યું. આ વાત દાવાનળનીજેમ ફેલાઈ અને માહિમના દરિયાકિનારાની બાજુમાં હિન્દુજા હોસ્પિટલમાં દર્દીઓની તબિયતના ખબર-અંતર પૂછવા આવેલા મુંબઈગરાઓ પણ દરિયાકિનારે ધસી ગયાં.
સૌ કોઈ જે હાથ પડ્યું તે લઈને પાણી ભરવા માંડ્યાં. એમાં વળી ટીવી ન્યૂઝ ચેનલ્સના પત્રકારો માહિમના દરિયાકિનારે પહોંચી ગયા. તેમણે લોકો દરિયાનું પાણી પીતાં હોય એવાં દૃશ્યોનું ધડાધડ જીવંત પ્રસારણ કરવા માંડ્યું.
મધરાત સુધીમાં તો માહિમના દરિયાકિનારે ભીડ એટલી વધી ગઈ કે કંઈ અજુગતું ન બને એ માટે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવો પડ્યો. મહાનગરપાલિકાના અધિકારીઓ પણ ત્યાં દોડી ગયા અને પાણીનું સેમ્પલ લેવાયું. તપાસ પછી નિષ્ણાતોએ બીજે દિવસે ‘દરિયાના મીઠા પાણીનું રહસ્ય’ ખોલ્યું કે, દરિયાનું પાણી મીઠું નહોતું થયું, પણ દરિયાના પાણીની ખારાશ ઓછી થઈ હતી!
મુંબઈના તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર જોની જોસફે પાલિકાની પ્રયોગશાળામાં માહિમના દરિયાકિનારાના પાણીના અભ્યાસનું તારણ જાહેર કર્યું કે ‘એ પાણીમાં ખારાશ ઓછી છે, પણ એ પાણી પીવાલાયક તો શું નાહવાલાયક સુદ્ધાં નથી!’ છતાં અબુધ મુંબઈગરાઓનું ગાંડપણ ચાલુ રહ્યું. એ ઘટના પછી વળી ત્રીજા દિવસે દેવી-દેવતાઓની મૂર્તિઓ દૂધ પીવા માંડી હોવાની અફવા દેશભરમાં ફેલાઈ ગઈ!
1994માં ચેન્નાઈમાં માસ હિસ્ટીરિયાની વિચિત્ર ઘટના બની હતી. ચેન્નાઈની એક સ્કૂલમાં એક છોકરીને સતત હેડકી આવવા માંડી એટલે તેને રજા આપીને ઘરે જવા દેવાઈ. એ જ દિવસે બીજી બે છોકરીઓને પણ હેડકી ચાલુ થઈ ગઈ અને તેમને પણ રજા અપાઈ. બીજા દિવસે પંદર-વીસ છોકરીઓને હેડકી આવવા માંડી અને પાંચ દિવસમાં તો 500 જેટલી વિદ્યાર્થિનીઓ હેડકીની તકલીફને કારણે રજા પર ઊતરી ગઈ!
પીંપરીના વૃક્ષમાંથી પવિત્ર પાણી વહેવા માંડવાની ઘટના કે માહિમના દરિયાનું પાણી મીઠું થઈ જવાની ઘટના કે ભગવાનની મૂર્તિ દૂધ પી રહી છે એવી વાત ફેલાય ત્યારે ત્યારે મોટી સંખ્યામાં લોકો એ વાત સાચી કેમ માની લે છે એ વિશે મેં જાણીતા સાઈકિયેટ્રિસ્ટ ડૉક્ટર મુકુલ ચોકસીને પૂછ્યું ત્યારે તેમણે રસપ્રદ માહિતી આપતાં કહ્યું કે ‘આવી ઘટનાઓને સાઈકિયાટ્રીની ભાષામાં ‘માસ સાઈકોજેનિક ઇલનેસ’ અથવા ‘માસ હિસ્ટીરિયા’ કહેવાય છે. કોઈ માણસને દરિયાનું પાણી મીઠું લાગે કે ભગવાનની મૂર્તિ દૂધ પીતી હોય એવું લાગે અને તે ભગવાનને દૂધ પીવડાવવા માંડે અને તેને જોઈને બીજા માણસો પણ દૂધ પીવડાવવા દોટ મૂકે ત્યારે એવી વ્યક્તિઓ જુઠ્ઠું નથી બોલતી હોતી કે જાણી જોઈને આવી અફવા ફેલાવતી નથી હોતી, પણ તેમનું અજાગૃત મન તેમની પાસે એવું કરાવતું હોય છે.’
આ વિશે વધુ વાત કરતા તેમણે કહ્યું, ‘જાગૃત મનમાં સમજદારી, વિચારશક્તિ, તર્કશક્તિ, નિર્ણયશક્તિ હોય છે અને લોજિક ન હોય એવી વાત જાગૃત મન તરત સ્વીકારતું નથી. આથી ઊલટું, અજાગૃત મનમાં ડર, આવેગ અને લાગણી સાથે અવ્યક્ત ઈચ્છાઓ ધરબાયેલી પડી હોય છે. એટલે અજાગૃત મન આવી વાતો તરત પકડે છે. એમાંય વધુ પડતાં શ્રદ્ધાળુ લોકો આવી વાતો ઝડપથી માની લે છે. બધી બાજુ આઘાતજનક અને નિરાશાજનક ઘટનાઓ બનતી હોય એવી સ્થિતિમાં શ્રદ્ધાળુઓ માણસોને આવી કોઈ ઘટના
તરત જ આકર્ષી લે છે. અજાગૃત મનમાંય ધરબાયેલી ઈચ્છા, અનોખું બનવાની એષણા આવી ઘટનામાં મહત્ત્વનો ભાગ ભજવે છે.’
ડૉક્ટર ચોકસી કહે છે કે ‘મૂર્તિને દૂધ પીવડાવવા જેવી ઘટનાઓ તો નિર્દોષ કહેવાય. એમાં દેખીતી રીતે કંઈ નુકસાન થતું નથી, પણ ક્યારેક અજાગૃત મનમાં મરવાની ઈરછા ધરબાયેલી પડી હોય તો હાહાકાર મચી જાય એવી ઘટના પણ બની શકે છે. પશ્ચિમના એક ધર્મગુરુ કોરસે પોતાનો નાનકડો સંપ્રદાય ઊભો કર્યો હતો. તેણે સાડા ત્રણ દાયકા અગાઉ પોતાના અનુયાયીઓના મનમાં એવું ઠસાવ્યું હતું કે આપણે અમુક રીતે એકસાથે મરી જઈશું તો સ્વર્ગમાં જઈશું. અને 90 અનુયાયીઓએ એ ‘ગુરુ’ની પ્રેરણાથી સામૂહિક આપઘાત કરી લીધો હતો!’
તરત જ આકર્ષી લે છે. અજાગૃત મનમાંય ધરબાયેલી ઈચ્છા, અનોખું બનવાની એષણા આવી ઘટનામાં મહત્ત્વનો ભાગ ભજવે છે.’
ડૉક્ટર ચોકસી કહે છે કે ‘મૂર્તિને દૂધ પીવડાવવા જેવી ઘટનાઓ તો નિર્દોષ કહેવાય. એમાં દેખીતી રીતે કંઈ નુકસાન થતું નથી, પણ ક્યારેક અજાગૃત મનમાં મરવાની ઈરછા ધરબાયેલી પડી હોય તો હાહાકાર મચી જાય એવી ઘટના પણ બની શકે છે. પશ્ચિમના એક ધર્મગુરુ કોરસે પોતાનો નાનકડો સંપ્રદાય ઊભો કર્યો હતો. તેણે સાડા ત્રણ દાયકા અગાઉ પોતાના અનુયાયીઓના મનમાં એવું ઠસાવ્યું હતું કે આપણે અમુક રીતે એકસાથે મરી જઈશું તો સ્વર્ગમાં જઈશું. અને 90 અનુયાયીઓએ એ ‘ગુરુ’ની પ્રેરણાથી સામૂહિક આપઘાત કરી લીધો હતો!’
ગતકડું:તમારે લોન લેવી છે?
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/do-you-want-to-take-out-a-loan-135305144.html
પ્રકાશ દવે હવે કોણ એવી અફવા ફેલાવી રહ્યું છે કે પાકિસ્તાનનું નામ બાકિસ્તાન થઈ જવાનું છે?!
આપણે ત્યાં ‘દેવું કરીને પણ દારૂ પીવો’ એવી એક ઉક્તિ પ્રચલિત છે. પાડોશી દેશે એમાં સુધારો કર્યો છે. પાડોશી દેશ માને છે કે ‘દેવું કરીને પણ ડ્રોન ઉડાડો.’ કહે છે કે પાકિસ્તાનમાં એવું સૂત્ર પ્રચલિત થઈ ગયું છે કે ડ્રોન ઉડાડો દેશ ડુબાડો!
પાકિસ્તાનના એક એરપોર્ટ સામે પાનના ગલ્લા પર બે મિત્રો વાત કરી રહ્યા હતા. એકે કહ્યું, ‘યાર, આખા વિશ્વમાં આપણને બધાં સાવ કારણ વિના બદનામ કરે છે કે પાકિસ્તાન બધાં પાસે ઉછીના રૂપિયા લઈને દેશ ચલાવે છે, પણ મને તો આ વાત ખોટી લાગે છે.’
‘તું એમ કઈ રીતે કહી શકે?’ બીજા મિત્રએ પૂછ્યું.
‘હું એક અઠવાડિયાથી જોઉં છું કે અહીં રોજ દરેક ફ્લાઇટમાંથી કોઈ ને કોઈ વિદેશી વી.આઈ.પી. મહેમાન ઉતરે છે. એ બધાં કાંઈ એમ ને એમ આપણા દેશમાં આવતા હશે?’
‘એ બધાં એમ ને એમ નથી આવતા, ઉઘરાણી કરવા જ આવે છે….’ બીજા મિત્રે ઘટસ્ફોટ કર્યો!
ઘણાં લોકો લોન અને કર્જ લેવામાં એટલા નિષ્ણાત થઈ ગયાં હોય છે કે એ બીજું કાંઈ ન કરે અને લોન કઈ રીતે લેવાય અને પાછી કઈ રીતે (ન) દેવાય એ વિશેની સલાહ આપવા માંડે તો પણ એની આવકમાંથી એની બધી લોન ભરાઈ જાય! ઘણાં લોકોને બે વાર લોન લેવી પડે છે. પહેલી મકાન લેવા માટે તો બીજી લોન પહેલી લોન ભરવા માટે! ઘણાં લોકો ‘હેતુ વિના હેત’ની જેમ ‘હેતુ વિના લોન’ લે છે. અમુક વ્યક્તિ લોન લીધા પછી નક્કી કરે છે કે લોન ક્યાં વાપરવી! આ ધરતીની માલીપા ઘણા વીરલા છે જેમને લોન ઓછી થતી જાય તેમ બ્લડ પ્રેશર વધતું જાય. એ લોકો એમ વિચારે કે આ લોન તો હમણાં પૂરી થઈ જશે પછી કયું બહાનું બતાવીને લોન લઈશ?
‘ડુંગરે ડુંગરે કાદુ તારા ડાયરા’ એ ગીતની માફક અમુક વ્યક્તિ દરેક બેંકમાંથી લોન લઈ ચૂકી હોય છે. એમાંથી પ્રથમ લોન જ કંઈક કામ સબબ લીધી હોય છે. બાકીની તમામ લોનો (લોનનું બહુવચન!) આગળની લોન ભરપાઈ કરવા માટે જ લીધી હોય છે. આવા લોકોને ‘લોન લોન’ રમવાનો શોખ હોય છે.
અમુક બેંકવાળા પણ લોકો લોન લેવા લાઇન ન લગાડે તો મૂંઝાઈ જાય છે અને ધડાધડ ફોન કરી કરીને ગ્રાહકોને લોન લેવા માટે પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડે છે. ગ્રાહકો એમ વિચારે છે કે લક્ષ્મી ચાંદલો કરવા આવી છે તો મોઢું ધોવા શું કામ જવું? પહેલાં લોન લેવા માટે બેંકના ધક્કા ખાઇ ખાઈને ચંપલ ઘસાઈ જતાં અને અરજીઓ કરી કરીને પેન ઘસાઈ જતી. તો પણ મોટાભાગે ‘હું તો કાગળિયાં લખી લખી થાકી મેનેજર તારા મનમાં નથી’ એ ગીત ગાઈને જ સંતોષ માનવો પડતો. હવે એવું નથી. હવે તો મેનેજર સ્વયં ગ્રાહકોને ફોન કરી કરીને સમજાવે છે કે ‘મેરા બેંક ખુલા હૈ ખુલા હી રહેગા તુમ્હારે લિયે!’ દયાળુની યાદીમાં ઈશ્વર પછી બેંકનું નામ બીજા ક્રમે આવે છે!
એક વ્યક્તિને બેંકમાંથી ફોન આવ્યો, ‘સાહેબ, અમારી બેંકે ખાસ આપના માટે જ લોન મંજૂર કરી છે. તમે લોન લેવા માગો છો?’
‘ના, આ તમારો ચોથો ફોન છે. અગાઉ પણ મેં તમને ના પાડી છે. મહેરબાની કરીને હવે ફોન ન કરતા.’
‘સાહેબ, અમે તો બેંકના કર્મચારી છીએ. અમે તો બધું સમજીએ જ છીએ, પણ અમારા મેનેજર નથી સમજતા. એ ટાર્ગેટ આપે એટલે અમારે ફોન કરવો પડે છે.’ ફોન કરનાર કંટાળા સાથે બોલ્યો. આ ભાઈએ ધડ દઈને ફોન કાપી નાખ્યો. એ પોતે જ એ બેંકના મેનેજર હતા!
ઘણાંને સવાલ થાય કે લોન લેવાવાળા લોન પરત ન કર્યા પછી પણ આટલા ખુશ કઈ રીતે રહી શકતા હશે? મારો મિત્ર મગન માને છે કે આખી બેંક આ લોન લેનારની તબિયત સારી રહે એવી મનોમન પ્રાર્થના કરતી હોય છે એટલે લોનવાળો લોન પાછી ન આપી હોવા છતાં લોનાવાલા જઈને મોજ કરી શકે છે!
ચોસઠ કળાઓમાં ભલે સામેલ ન હોય પણ લોન લેવી એ કલા છે અને લીધેલ લોન પાછી ન આપવી એ ઉત્કૃષ્ટ કલા છે. લોન લેવા જાવ અને ભવિષ્યમાં એ લોન પાછી ન આપવાના હો તો બેંકમાં તમારો સારો ફોટો આપવો, કારણ કે લોન ભરપાઈ નહીં કરો તો બેંકવાળા એ જ ફોટો બેંકમાં બધી જગ્યાએ લગાવે છે અને છાપામાં પણ આપે છે.
એક વ્યક્તિ દવાખાને ગઈ અને ડોક્ટરને કહ્યું, ‘સાહેબ રાતે ઊંઘ નથી આવતી.’
ડોક્ટરે પૂછ્યું, ‘મનમાં કોઈ ચિંતા છે?’
દર્દી કહે, ‘સાહેબ, ચિંતા તો બીજી કોઈ નથી પણ બેંકની લોન…’
ડોક્ટરે હમણાં જ લોન લીધી હતી. એણે પોતાના અનુભવને આધારે દર્દીને અધવચ્ચે જ અટકાવીને કહ્યું, ‘આજકાલ લોનની ચિંતા ગ્રાહકે ન કરવાની હોય, બેંકનો મેનેજર કરશે.’
દર્દીએ દયામણું મોં કરીને કહ્યું, ‘સાહેબ, હું બેંકનો મેનેજર જ છું!’
સવાર-સાંજ એક કલાક લોન પર ચાલે ત્યાં કંટાળી જનાર લોકોએ વિચારવું જોઈએ કે બે-બે પેઢીથી લોન પર જ ચાલનાર લોકો કેટલા મજબૂત હશે!
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/do-you-want-to-take-out-a-loan-135305144.html
પ્રકાશ દવે હવે કોણ એવી અફવા ફેલાવી રહ્યું છે કે પાકિસ્તાનનું નામ બાકિસ્તાન થઈ જવાનું છે?!
આપણે ત્યાં ‘દેવું કરીને પણ દારૂ પીવો’ એવી એક ઉક્તિ પ્રચલિત છે. પાડોશી દેશે એમાં સુધારો કર્યો છે. પાડોશી દેશ માને છે કે ‘દેવું કરીને પણ ડ્રોન ઉડાડો.’ કહે છે કે પાકિસ્તાનમાં એવું સૂત્ર પ્રચલિત થઈ ગયું છે કે ડ્રોન ઉડાડો દેશ ડુબાડો!
પાકિસ્તાનના એક એરપોર્ટ સામે પાનના ગલ્લા પર બે મિત્રો વાત કરી રહ્યા હતા. એકે કહ્યું, ‘યાર, આખા વિશ્વમાં આપણને બધાં સાવ કારણ વિના બદનામ કરે છે કે પાકિસ્તાન બધાં પાસે ઉછીના રૂપિયા લઈને દેશ ચલાવે છે, પણ મને તો આ વાત ખોટી લાગે છે.’
‘તું એમ કઈ રીતે કહી શકે?’ બીજા મિત્રએ પૂછ્યું.
‘હું એક અઠવાડિયાથી જોઉં છું કે અહીં રોજ દરેક ફ્લાઇટમાંથી કોઈ ને કોઈ વિદેશી વી.આઈ.પી. મહેમાન ઉતરે છે. એ બધાં કાંઈ એમ ને એમ આપણા દેશમાં આવતા હશે?’
‘એ બધાં એમ ને એમ નથી આવતા, ઉઘરાણી કરવા જ આવે છે….’ બીજા મિત્રે ઘટસ્ફોટ કર્યો!
ઘણાં લોકો લોન અને કર્જ લેવામાં એટલા નિષ્ણાત થઈ ગયાં હોય છે કે એ બીજું કાંઈ ન કરે અને લોન કઈ રીતે લેવાય અને પાછી કઈ રીતે (ન) દેવાય એ વિશેની સલાહ આપવા માંડે તો પણ એની આવકમાંથી એની બધી લોન ભરાઈ જાય! ઘણાં લોકોને બે વાર લોન લેવી પડે છે. પહેલી મકાન લેવા માટે તો બીજી લોન પહેલી લોન ભરવા માટે! ઘણાં લોકો ‘હેતુ વિના હેત’ની જેમ ‘હેતુ વિના લોન’ લે છે. અમુક વ્યક્તિ લોન લીધા પછી નક્કી કરે છે કે લોન ક્યાં વાપરવી! આ ધરતીની માલીપા ઘણા વીરલા છે જેમને લોન ઓછી થતી જાય તેમ બ્લડ પ્રેશર વધતું જાય. એ લોકો એમ વિચારે કે આ લોન તો હમણાં પૂરી થઈ જશે પછી કયું બહાનું બતાવીને લોન લઈશ?
‘ડુંગરે ડુંગરે કાદુ તારા ડાયરા’ એ ગીતની માફક અમુક વ્યક્તિ દરેક બેંકમાંથી લોન લઈ ચૂકી હોય છે. એમાંથી પ્રથમ લોન જ કંઈક કામ સબબ લીધી હોય છે. બાકીની તમામ લોનો (લોનનું બહુવચન!) આગળની લોન ભરપાઈ કરવા માટે જ લીધી હોય છે. આવા લોકોને ‘લોન લોન’ રમવાનો શોખ હોય છે.
અમુક બેંકવાળા પણ લોકો લોન લેવા લાઇન ન લગાડે તો મૂંઝાઈ જાય છે અને ધડાધડ ફોન કરી કરીને ગ્રાહકોને લોન લેવા માટે પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડે છે. ગ્રાહકો એમ વિચારે છે કે લક્ષ્મી ચાંદલો કરવા આવી છે તો મોઢું ધોવા શું કામ જવું? પહેલાં લોન લેવા માટે બેંકના ધક્કા ખાઇ ખાઈને ચંપલ ઘસાઈ જતાં અને અરજીઓ કરી કરીને પેન ઘસાઈ જતી. તો પણ મોટાભાગે ‘હું તો કાગળિયાં લખી લખી થાકી મેનેજર તારા મનમાં નથી’ એ ગીત ગાઈને જ સંતોષ માનવો પડતો. હવે એવું નથી. હવે તો મેનેજર સ્વયં ગ્રાહકોને ફોન કરી કરીને સમજાવે છે કે ‘મેરા બેંક ખુલા હૈ ખુલા હી રહેગા તુમ્હારે લિયે!’ દયાળુની યાદીમાં ઈશ્વર પછી બેંકનું નામ બીજા ક્રમે આવે છે!
એક વ્યક્તિને બેંકમાંથી ફોન આવ્યો, ‘સાહેબ, અમારી બેંકે ખાસ આપના માટે જ લોન મંજૂર કરી છે. તમે લોન લેવા માગો છો?’
‘ના, આ તમારો ચોથો ફોન છે. અગાઉ પણ મેં તમને ના પાડી છે. મહેરબાની કરીને હવે ફોન ન કરતા.’
‘સાહેબ, અમે તો બેંકના કર્મચારી છીએ. અમે તો બધું સમજીએ જ છીએ, પણ અમારા મેનેજર નથી સમજતા. એ ટાર્ગેટ આપે એટલે અમારે ફોન કરવો પડે છે.’ ફોન કરનાર કંટાળા સાથે બોલ્યો. આ ભાઈએ ધડ દઈને ફોન કાપી નાખ્યો. એ પોતે જ એ બેંકના મેનેજર હતા!
ઘણાંને સવાલ થાય કે લોન લેવાવાળા લોન પરત ન કર્યા પછી પણ આટલા ખુશ કઈ રીતે રહી શકતા હશે? મારો મિત્ર મગન માને છે કે આખી બેંક આ લોન લેનારની તબિયત સારી રહે એવી મનોમન પ્રાર્થના કરતી હોય છે એટલે લોનવાળો લોન પાછી ન આપી હોવા છતાં લોનાવાલા જઈને મોજ કરી શકે છે!
ચોસઠ કળાઓમાં ભલે સામેલ ન હોય પણ લોન લેવી એ કલા છે અને લીધેલ લોન પાછી ન આપવી એ ઉત્કૃષ્ટ કલા છે. લોન લેવા જાવ અને ભવિષ્યમાં એ લોન પાછી ન આપવાના હો તો બેંકમાં તમારો સારો ફોટો આપવો, કારણ કે લોન ભરપાઈ નહીં કરો તો બેંકવાળા એ જ ફોટો બેંકમાં બધી જગ્યાએ લગાવે છે અને છાપામાં પણ આપે છે.
એક વ્યક્તિ દવાખાને ગઈ અને ડોક્ટરને કહ્યું, ‘સાહેબ રાતે ઊંઘ નથી આવતી.’
ડોક્ટરે પૂછ્યું, ‘મનમાં કોઈ ચિંતા છે?’
દર્દી કહે, ‘સાહેબ, ચિંતા તો બીજી કોઈ નથી પણ બેંકની લોન…’
ડોક્ટરે હમણાં જ લોન લીધી હતી. એણે પોતાના અનુભવને આધારે દર્દીને અધવચ્ચે જ અટકાવીને કહ્યું, ‘આજકાલ લોનની ચિંતા ગ્રાહકે ન કરવાની હોય, બેંકનો મેનેજર કરશે.’
દર્દીએ દયામણું મોં કરીને કહ્યું, ‘સાહેબ, હું બેંકનો મેનેજર જ છું!’
સવાર-સાંજ એક કલાક લોન પર ચાલે ત્યાં કંટાળી જનાર લોકોએ વિચારવું જોઈએ કે બે-બે પેઢીથી લોન પર જ ચાલનાર લોકો કેટલા મજબૂત હશે!
આંતરમનના આટાપાટા:યે કહાની હૈ દિયે કી ઔર તૂફાન કી...
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/this-is-the-story-of-the-sun-and-the-storm-135305837.html
ડૉ. જય નારાયણ વ્યાસ એ ણે એના જીવનમાં ઉદભવતી વિપરીતમાં વિપરીત પરિસ્થિતિનો પણ અત્યંત ધૈર્ય અને પ્રતિબદ્ધતાથી સામનો કર્યો. જ્યાં મોટાભાગનાં વ્યક્તિઓ ભાંગી પડે તે પરિસ્થિતિમાં આ વ્યક્તિએ ધીરજ ના ગુમાવી. પરિસ્થિતિ સમુદ્રનું વિકરાળ અને તોફાની મોજું બનીને આવી તો એણે કાળમીંઢ ખડક બનીને તે મોજાંને ચકનાચૂર કરી દીધું.
એક ગીતની પંક્તિઓ છેઃ ‘નિર્બલ સે લડાઈ બલવાન કી, યે કહાની હૈ દિયે કી ઔર તૂફાન કી...’
ભયંકર આંધી સામે ટક્કર લઈને ઉગરી જનાર એક નાનકડો દીવો કદાચ આ વ્યક્તિના હૃદયમાં પણ ટમટમતો હશે. એણે આ વ્યક્તિ, આ મહિલાનું ખમીર ટકાવી રાખ્યું, એટલું જ નહીં પણ વિપરીત પરિસ્થિતિ ઉપર જીત મેળવવા બળવત્તર ઇચ્છાશક્તિને પોતાની આંતરિક શક્તિઓ સાથે ભેળવી સામે આવતા દરેક પડકારને પહોંચી વળી. દુનિયાના ઇતિહાસમાં પોતાના સુવર્ણ હસ્તાક્ષર અધિકારપૂર્વક અંકિત કરનાર ઝૂઝારુ વ્યક્તિની આ દાસ્તાં છે.
રોઝ બ્લમકીન ઉર્ફે મિસિસ બી.ને રશિયા છોડીને ભાગવું પડે છે. માત્ર 66 ડૉલરની કુલ મૂડી સાથે ભાગી નીકળેલ આ મહિલા આગળ જતાં અમેરિકાની ખ્યાતિપ્રાપ્ત અને સફળ મહિલા ઉદ્યોગ સાહસિક તરીકે વિશ્વપટલ પર જાણીતી થાય છે. 1893માં રશિયાના નાના ગામડામાં જન્મેલી રોઝની મા નાનો કરિયાણાનો સ્ટોર્સ ચલાવતી હતી જ્યારે એના પિતા યહૂદી આધ્યાત્મિક વિષયના શિક્ષક હતા. પરિવાર એટલો દારુણ ગરીબીમાં જીવતો કે આ છોકરીને 13 વર્ષની ઉંમરે 18 માઇલ ખુલ્લા પગે ચાલીને નજદીકના રેલવે સ્ટેશને પહોંચવું પડતું. ત્યાંથી આગળ આ યુવતી કામની શોધમાં યુક્રેનની સરહદ પાસે આવેલ ગામ ગોમેલ પહોંચતી. ભલભલાની ધીરજથી પરીક્ષા થઈ જાય એવો આ ઉદ્યમ હતો. આગળ જતાં એનાં લગ્ન જૂતાના સેલ્સમેન ઈસાડોર બ્લમકીન સાથે થયાં.
દરમિયાન પ્રથમ વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું. એણે પોતાના પતિને આગોતરો અમેરિકા મોકલી દીધો, કારણ કે બંને સાથે મુસાફરી કરી શકે એવી કોઈ સ્થિતિ નહોતી. 1916માં ત્રણેક મહિના બાદ રોઝ ચીન અને જાપાન પસાર કરી અમેરિકા પહોંચી અને અમેરિકાના સિએટલ ખાતે પતિ-પત્નીનું પુનઃમિલન થયું. આગળ જતાં તેઓ ઓમાહા ખાતે સ્થાયી થયાં. વિચારો, અમેરિકા દોડી આવેલા આ યુગલમાં બેમાંથી એકેય પાસે અંગ્રેજી શિક્ષણ નહોતું, નહોતી કોઈ ઓળખાણ. દરિયાના કોઈ એકાંત ટાપુ પર ફેંકાઈ ગયા હોય એવી સ્થિતિ વચ્ચે આ યુગલ સંઘર્ષ કરી રહ્યું હતું. પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે આ સિવાય બીજો કોઈ જ રસ્તો એમની પાસે નહોતો.
1937માં રોઝે એક ભોંયરામાં ફર્નિચર સ્ટોર્સની શરૂઆત કરી ત્યારે એની ઉંમર 45 વર્ષની હતી. સમય બરાબર મંદીનો હતો અને લોકો હતાશાનો સામનો કરતા જીવી રહ્યાં હતાં. તેમની પાસે ખાસ કોઈ બચત કે ફર્નિચર ખરીદવા માટે પૈસા નહોતા. આ પરિસ્થિતિથી દબાઈ નહીં જતા રોઝે ફર્નિચર ભાડે આપવાની શરૂઆત કરી. રાતોરાત શરૂ કરાયેલ આ યોજનાને હજુ તો સાનુકૂળ પ્રતિસાદ મળવાનું શરૂ થયું ત્યાં જ એક દિવસ એની દુકાનમાં આગ લાગી અને બધું ભસ્મીભૂત થઈ ગયું.
રોઝ માટે આ ડૂબતાને તરણું પણ ડૂબાડે જેવી પરિસ્થિતિ હતી, પણ બીજા જ દિવસે એણે પોતાની દુકાન ફરી ચાલુ કરી દીધી. એના હરીફો માટે પણ આ ઘટના આંચકારૂપ હતી. પોતાનું વ્યાપારી-કૌશલ્ય, વાક્પટુતા અને કોઈ ખોટા દાવા નહીં કરવાની નીતિથી રોઝને ભલે વધુ નફો ન મળ્યો હોય પણ એક પ્રમાણિક અને કુનેહબાજ વ્યાપારી તરીકેની ખ્યાતિ જરૂર મળી. સ્વાભાવિક છે, આ કારણોસર રોઝ એના પ્રતિસ્પર્ધીઓની આંખમાં કણાની માફક ખૂંચતી હતી. એની દુકાનમાં આગ લાગ્યા પછી એના પ્રતિસ્પર્ધીઓએ એને કોર્ટમાં ઘસડી. વકીલ તો પોસાય તેમ નહોતો એટલે એણે પોતે જ પોતાનો બચાવ કર્યો.
એક વ્યાપારી તરીકે એની સીધીસાદી ફિલસૂફી હતી, ‘કિફાયતી ભાવે વેચો, સાચું બોલો અને ગ્રાહકોને છેતરશો નહીં.’ આ નીતિ હવે પરિણામો આપી રહી હતી. એની પેલી નાનકડી દુકાન વિકસતી ચાલી અને એમાંથી એક અબજ ડૉલરના ધંધાકીય સાહસ ‘નેબ્રાસ્કા ફર્નિચર માર્ટ’નો જન્મ થયો. આ કોઈ નાનીસૂની સિદ્ધિ નહોતી. અમેરિકાના અગ્રગણ્ય ધનપતિ અને રોકાણકાર વોરેન બફેટે આને ‘ધ આઇડિયલ કંપની’ એટલે કે ‘એક આદર્શ કંપની’ તરીકે બિરદાવી.
1983માં 91 વર્ષની ઉંમરે રોઝ બર્કશાયરની પહેલી મહિલા મેનેજર બની, જ્યારે બફેટ દ્વારા એના સ્ટોરને છ કરોડ ડૉલરમાં ખરીદી લેવામાં આવ્યો, પણ એ નિવૃત્ત ન થઈ. રોજના 12થી 14 કલાક અને અઠવાડિયાના સાતે સાત દિવસ કામ કરવાનું એણે ચાલુ રાખ્યું. આમ કરતા એ 103 વર્ષની ઉંમરે પહોંચી. 104 વર્ષની ઉંમરે એનું નિધન થયું. રોઝની આ વાત સ્પષ્ટતા, ચીવટ અને અડગ સિદ્ધાંતોનો એક બહુ જ બળૂકો દાખલો છે. એના કહેવા મુજબ વ્યક્તિની ઉંમર એનું શિક્ષણ કે અનુભવ અથવા સંજોગો સફળતા નક્કી નથી કરતા. સફળતા નક્કી કરે છે, ચારિત્ર્ય, પ્રતિબદ્ધતા અને પ્રમાણિકતા. એના આ દાખલામાંથી નિપજતા કેટલાક મુદ્દાઓની
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/this-is-the-story-of-the-sun-and-the-storm-135305837.html
ડૉ. જય નારાયણ વ્યાસ એ ણે એના જીવનમાં ઉદભવતી વિપરીતમાં વિપરીત પરિસ્થિતિનો પણ અત્યંત ધૈર્ય અને પ્રતિબદ્ધતાથી સામનો કર્યો. જ્યાં મોટાભાગનાં વ્યક્તિઓ ભાંગી પડે તે પરિસ્થિતિમાં આ વ્યક્તિએ ધીરજ ના ગુમાવી. પરિસ્થિતિ સમુદ્રનું વિકરાળ અને તોફાની મોજું બનીને આવી તો એણે કાળમીંઢ ખડક બનીને તે મોજાંને ચકનાચૂર કરી દીધું.
એક ગીતની પંક્તિઓ છેઃ ‘નિર્બલ સે લડાઈ બલવાન કી, યે કહાની હૈ દિયે કી ઔર તૂફાન કી...’
ભયંકર આંધી સામે ટક્કર લઈને ઉગરી જનાર એક નાનકડો દીવો કદાચ આ વ્યક્તિના હૃદયમાં પણ ટમટમતો હશે. એણે આ વ્યક્તિ, આ મહિલાનું ખમીર ટકાવી રાખ્યું, એટલું જ નહીં પણ વિપરીત પરિસ્થિતિ ઉપર જીત મેળવવા બળવત્તર ઇચ્છાશક્તિને પોતાની આંતરિક શક્તિઓ સાથે ભેળવી સામે આવતા દરેક પડકારને પહોંચી વળી. દુનિયાના ઇતિહાસમાં પોતાના સુવર્ણ હસ્તાક્ષર અધિકારપૂર્વક અંકિત કરનાર ઝૂઝારુ વ્યક્તિની આ દાસ્તાં છે.
રોઝ બ્લમકીન ઉર્ફે મિસિસ બી.ને રશિયા છોડીને ભાગવું પડે છે. માત્ર 66 ડૉલરની કુલ મૂડી સાથે ભાગી નીકળેલ આ મહિલા આગળ જતાં અમેરિકાની ખ્યાતિપ્રાપ્ત અને સફળ મહિલા ઉદ્યોગ સાહસિક તરીકે વિશ્વપટલ પર જાણીતી થાય છે. 1893માં રશિયાના નાના ગામડામાં જન્મેલી રોઝની મા નાનો કરિયાણાનો સ્ટોર્સ ચલાવતી હતી જ્યારે એના પિતા યહૂદી આધ્યાત્મિક વિષયના શિક્ષક હતા. પરિવાર એટલો દારુણ ગરીબીમાં જીવતો કે આ છોકરીને 13 વર્ષની ઉંમરે 18 માઇલ ખુલ્લા પગે ચાલીને નજદીકના રેલવે સ્ટેશને પહોંચવું પડતું. ત્યાંથી આગળ આ યુવતી કામની શોધમાં યુક્રેનની સરહદ પાસે આવેલ ગામ ગોમેલ પહોંચતી. ભલભલાની ધીરજથી પરીક્ષા થઈ જાય એવો આ ઉદ્યમ હતો. આગળ જતાં એનાં લગ્ન જૂતાના સેલ્સમેન ઈસાડોર બ્લમકીન સાથે થયાં.
દરમિયાન પ્રથમ વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું. એણે પોતાના પતિને આગોતરો અમેરિકા મોકલી દીધો, કારણ કે બંને સાથે મુસાફરી કરી શકે એવી કોઈ સ્થિતિ નહોતી. 1916માં ત્રણેક મહિના બાદ રોઝ ચીન અને જાપાન પસાર કરી અમેરિકા પહોંચી અને અમેરિકાના સિએટલ ખાતે પતિ-પત્નીનું પુનઃમિલન થયું. આગળ જતાં તેઓ ઓમાહા ખાતે સ્થાયી થયાં. વિચારો, અમેરિકા દોડી આવેલા આ યુગલમાં બેમાંથી એકેય પાસે અંગ્રેજી શિક્ષણ નહોતું, નહોતી કોઈ ઓળખાણ. દરિયાના કોઈ એકાંત ટાપુ પર ફેંકાઈ ગયા હોય એવી સ્થિતિ વચ્ચે આ યુગલ સંઘર્ષ કરી રહ્યું હતું. પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે આ સિવાય બીજો કોઈ જ રસ્તો એમની પાસે નહોતો.
1937માં રોઝે એક ભોંયરામાં ફર્નિચર સ્ટોર્સની શરૂઆત કરી ત્યારે એની ઉંમર 45 વર્ષની હતી. સમય બરાબર મંદીનો હતો અને લોકો હતાશાનો સામનો કરતા જીવી રહ્યાં હતાં. તેમની પાસે ખાસ કોઈ બચત કે ફર્નિચર ખરીદવા માટે પૈસા નહોતા. આ પરિસ્થિતિથી દબાઈ નહીં જતા રોઝે ફર્નિચર ભાડે આપવાની શરૂઆત કરી. રાતોરાત શરૂ કરાયેલ આ યોજનાને હજુ તો સાનુકૂળ પ્રતિસાદ મળવાનું શરૂ થયું ત્યાં જ એક દિવસ એની દુકાનમાં આગ લાગી અને બધું ભસ્મીભૂત થઈ ગયું.
રોઝ માટે આ ડૂબતાને તરણું પણ ડૂબાડે જેવી પરિસ્થિતિ હતી, પણ બીજા જ દિવસે એણે પોતાની દુકાન ફરી ચાલુ કરી દીધી. એના હરીફો માટે પણ આ ઘટના આંચકારૂપ હતી. પોતાનું વ્યાપારી-કૌશલ્ય, વાક્પટુતા અને કોઈ ખોટા દાવા નહીં કરવાની નીતિથી રોઝને ભલે વધુ નફો ન મળ્યો હોય પણ એક પ્રમાણિક અને કુનેહબાજ વ્યાપારી તરીકેની ખ્યાતિ જરૂર મળી. સ્વાભાવિક છે, આ કારણોસર રોઝ એના પ્રતિસ્પર્ધીઓની આંખમાં કણાની માફક ખૂંચતી હતી. એની દુકાનમાં આગ લાગ્યા પછી એના પ્રતિસ્પર્ધીઓએ એને કોર્ટમાં ઘસડી. વકીલ તો પોસાય તેમ નહોતો એટલે એણે પોતે જ પોતાનો બચાવ કર્યો.
એક વ્યાપારી તરીકે એની સીધીસાદી ફિલસૂફી હતી, ‘કિફાયતી ભાવે વેચો, સાચું બોલો અને ગ્રાહકોને છેતરશો નહીં.’ આ નીતિ હવે પરિણામો આપી રહી હતી. એની પેલી નાનકડી દુકાન વિકસતી ચાલી અને એમાંથી એક અબજ ડૉલરના ધંધાકીય સાહસ ‘નેબ્રાસ્કા ફર્નિચર માર્ટ’નો જન્મ થયો. આ કોઈ નાનીસૂની સિદ્ધિ નહોતી. અમેરિકાના અગ્રગણ્ય ધનપતિ અને રોકાણકાર વોરેન બફેટે આને ‘ધ આઇડિયલ કંપની’ એટલે કે ‘એક આદર્શ કંપની’ તરીકે બિરદાવી.
1983માં 91 વર્ષની ઉંમરે રોઝ બર્કશાયરની પહેલી મહિલા મેનેજર બની, જ્યારે બફેટ દ્વારા એના સ્ટોરને છ કરોડ ડૉલરમાં ખરીદી લેવામાં આવ્યો, પણ એ નિવૃત્ત ન થઈ. રોજના 12થી 14 કલાક અને અઠવાડિયાના સાતે સાત દિવસ કામ કરવાનું એણે ચાલુ રાખ્યું. આમ કરતા એ 103 વર્ષની ઉંમરે પહોંચી. 104 વર્ષની ઉંમરે એનું નિધન થયું. રોઝની આ વાત સ્પષ્ટતા, ચીવટ અને અડગ સિદ્ધાંતોનો એક બહુ જ બળૂકો દાખલો છે. એના કહેવા મુજબ વ્યક્તિની ઉંમર એનું શિક્ષણ કે અનુભવ અથવા સંજોગો સફળતા નક્કી નથી કરતા. સફળતા નક્કી કરે છે, ચારિત્ર્ય, પ્રતિબદ્ધતા અને પ્રમાણિકતા. એના આ દાખલામાંથી નિપજતા કેટલાક મુદ્દાઓની
આજ-કાલ:2000ની વસ્તીવાળું એશિયાનું પ્રથમ ગ્રીન વિલેજ!
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/asias-first-green-village-with-a-population-of-2000-135304995.html
જ્યાં જુઓ ત્યાં બધું અસાધારણ થઈ રહ્યું છે, અતિરેક લાગે છે. વરસાદ ખૂબ પડે, ગરમી પણ ભયંકર. બરફ પડે તો વાત ન પૂછો. એકાએક આમ થવાનું કારણ? આપણે પોતે. સમગ્ર માનવજાત.
ખબર નથી કે સાચો વિકાસ કે અસલી પ્રગતિ એટલે શું? છતાં મૂર્ખ માનવી વિચાર્યા વગર આડેધડ વૃક્ષ કાપી નાખે છે, પર્વત ઉડાડી દે છે, દરિયાની જમીન પચાવી પાડે છે. આ બધાં જ છે કુદરતી આફતોના વારંવાર આગમન અને એના અતિરેકના કારણોમાં. આપણને સીધીસાદી વાત આસાનીથી સમજાતી નથી. એ ગળે ઉતારવા આંકડાના હથોડા મારવા પડે.
ઉપલબ્ધ સ્ટેસ્ટિક્સ મુજબ પૃથ્વી પર વ્યક્તિદીઠ 422 વૃક્ષ છે છતાં 46 ટકા ઓછાં છે. પૃથ્વી પર ભલે માથાદીઠ 422 વૃક્ષ હોય પણ મેરા ભારત મહાનમાં સીનારિયો સલમાન ખાનની ફિલ્મોની જેમ એકદમ કંગાળ છે. વ્યક્તિદીઠ 28 વૃક્ષ. આની સામે આપણાંથી થોડી વસ્તી ધરાવતા ચીનમાં આ આંકડો 108નો છે.
એક ગણતરી મુજબ માનવ સંસ્કૃતિએ પોતાના જન્મ બાદ પૃથ્વી પરનાં 46 ટકા વૃક્ષોનો ખંગ વાળી નાખ્યો છે. જંગલોને અદૃશ્ય કરી નાખવામાં માનવી જાણે માયાવી શક્તિ ધરાવતો લાગે છે. 2010થી 2020 વચ્ચે દર વર્ષે 47 લાખ હેક્ટર જંગલ ગાયબ થઈ જાય છે, પરંતુ UNFAO (સંયુક્ત રાષ્ટ્રસંઘના ફૂડ એન્ડ એગ્રીકલ્ચરલ ઓર્ગેનાઈઝેશન) તો વર્ષે એક કરોડ હેક્ટર જંગલનું અમંગલ થવાનો દાવો કરે છે. ગ્લોબલ ફોરેસ્ટ વૉચ નામની સંસ્થાના મત મુજબ 2024માં ભારત 18,200 હેક્ટર જંગલ ખોઈ બેઠું.
આ સમસ્યા વૈશ્વિક છે. લાખો-કરોડો વર્ષથી ગોઠવાયેલી કુદરતની સાઈકલને ફેરવીને આપણે પગ પર કુહાડા, કોદાળી અને હથોડા માર્યાં છે. કરો એવું ભોગવો અને વાવો તેવું લણો એ તો સહજ અને સર્વસ્વીકાર્ય જ છે.
તો શું આપણાં બારય વહાણ ડૂબી ગયા છે? ના, કોઈ ટ્રેન છેલ્લી હોતી થી. આપણે એકદમ ગંભીર હોઈએ, ખરેખર પોતાને અને ભાવિ પેઢીને બચાવવા માંગતા હોઈએ અને પૃથ્વીને રહેવા-જીવવાલાયક રાખવા માંગતા હોઈએ તો એક ઉપાય છે. એનું નામ છે ખોનોમા.
હા, ખોનોમા ભારતના રાજકારણીઓની અવગણનાનો શિકાર બનેલા પૂર્વ ભારતના નાગાલેન્ડ રાજ્યનું એક ગામ છે. નાગાલેન્ડની રાજધાની કોહિમાથી માત્ર 20 કિલોમીટરના અંતરે આવેલા ખોનોમાની વિશિષ્ટતા જાણવા, સમજવા અને તાત્કાલિક અપનાવવા જેવી છે. આ ખોનોમાએ માત્ર ભારતના જ નહીં, સમગ્ર એશિયાના પ્રથમ ગ્રીન વિલેજનું બિરૂદ મેળવીને એક દાખલો બેસાડ્યો છે.
ભારતના ગાર્ડન સિટી તરીકે ઓળખાતા બેંગ્લુરુમાં માથાદીઠ વૃક્ષ કેટલાં છે? 0.1 અને આપણા ગાંધીનગરમાં વ્યક્તિદીઠ 4 વૃક્ષ છે. આ સંજોગોમાં ખોનોમા કેવી રીતે ગ્રીન વિલેજ અને પર્યાવરણમિત્ર બન્યું હશે?
આ ખોનોમા નામનો શબ્દ જ સ્થાનિક છોડ પરથી આવ્યો છે જેને આ ગામે સાર્થક કરી બતાવ્યો છે. વસ્તી માંડ બે હજારની, ને 450 જેટલાં ખોરડાં. ગામ નાનકડું પણ ઈતિહાસ શૌર્યથી લબાલબ. 1830થી 1880 વચ્ચે અહીંના અંગામી આદિવાસી યોદ્ધા બ્રિટિશરો સામે શ્રેણીબદ્ધ યુદ્ધ લડ્યા હતા. શા માટે? નાગ પ્રજાને બંધુઆ મજૂર એટલે કે ગુલામ તરીકે રાખવાનું બંધ કરાવવા માટે. અંતે બ્રિટિશરોના પાપે આ ગામ ધીરે ધીરે ખ્રિસ્તી ધર્મ અપનાવતું થઈ ગયું.
લગભગ 700 વર્ષ જૂનું અને 123 સ્ક્વેર કિલોમીટર ક્ષેત્રફળમાં વસેલું આ ગામ પોતાની રીતે અનોખી અને એક સમાન તરીકે ખેતી કરવા માટે જાણીતું છે. ખોનોમાએ લીલીછમ્મ સિદ્ધિ કેવી રીતે મેળવી એ જાણીએ. કાયમ બરાફાચ્છાદિત રહેતાં ઘણાં ગામોને બાકીની દુનિયાની જેમ પ્રદૂષણ પજવી રહ્યું હતું. પરંતુ ખોનોમામાં પર્યાવરણ પ્રકૃતિના રક્ષણને સૌથી મોટી જવાબદારી માનવામાં આવે છે. એ પણ એટલી હદ સુધી કે વૃક્ષ કાપવા પર અહીં સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકાયેલો છે. અહીં ચારે તરફ લીલોતરી જ લીલોતરી છે. સ્થાનિક રહેવાસીઓને જાણે પ્રદૂષણની જાણ કે ખબર જ નથી. આવાં અનેક કારણોસર ખોનોમા એશિયાના પ્રથમ ગ્રીન વિલેજ તરીકે જગપ્રસિદ્ધ છે, જેને લીધે પર્યટકોય આકર્ષાય છે.
ખોનોમા ગામમાં જંગલમાં રહેનારાં જીવજંતુથી લઈને પ્રાણીઓના શિકાર કરવાની પણ મનાઈ છે. એક સમયે પેટ ભરવા પ્રાણીઓનો શિકાર થતો હતો, ત્રીસેક વર્ષમાં કોઈ જાનવરનો જીવ લેવાયો નથી. ગ્રામજનો ઉપરાંત પ્રવાસીઓ દ્વારા પણ શિકારને પ્રતિબંધિત કરીને ખોનોમાએ લુપ્ત થતી જાતિઓનાં પ્રાણીઓને નવજીવન આપ્યું છે. સ્થાનિક અંગામી જન્મજાતિનાં લોકો વૃક્ષ-છોડ કાપવાને બદલે એનું જતન કરે છે.
આ લોકો પર્યાવરણની સાથોસાથ પોતીકી સંસ્કૃતિનાં જતન માટે પણ એટલા જ કટિબદ્ધ છે. અને વિવેકબુદ્ધિ જુઓ કે, કદાચ અનિવાર્ય કારણોસર લાકડાંની જરૂર પડે તો આખું ઝાડ કાપવાને બદલે થોડી ડાળીઓ કાપીને કામ ચલાવી લેવાય. અહીં ‘ઝૂમ’ તરીકે ઓળખાતી ખેતી પદ્ધતિ વિશિષ્ટ છે. આમાં કોઈ ક્ષેત્રની વનસ્પતિને બાળી નખાય અને એની રાખનાં ખાતર થકી બે-ત્રણ વર્ષ સારો પાક લઈ શકાય છે.
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/asias-first-green-village-with-a-population-of-2000-135304995.html
જ્યાં જુઓ ત્યાં બધું અસાધારણ થઈ રહ્યું છે, અતિરેક લાગે છે. વરસાદ ખૂબ પડે, ગરમી પણ ભયંકર. બરફ પડે તો વાત ન પૂછો. એકાએક આમ થવાનું કારણ? આપણે પોતે. સમગ્ર માનવજાત.
ખબર નથી કે સાચો વિકાસ કે અસલી પ્રગતિ એટલે શું? છતાં મૂર્ખ માનવી વિચાર્યા વગર આડેધડ વૃક્ષ કાપી નાખે છે, પર્વત ઉડાડી દે છે, દરિયાની જમીન પચાવી પાડે છે. આ બધાં જ છે કુદરતી આફતોના વારંવાર આગમન અને એના અતિરેકના કારણોમાં. આપણને સીધીસાદી વાત આસાનીથી સમજાતી નથી. એ ગળે ઉતારવા આંકડાના હથોડા મારવા પડે.
ઉપલબ્ધ સ્ટેસ્ટિક્સ મુજબ પૃથ્વી પર વ્યક્તિદીઠ 422 વૃક્ષ છે છતાં 46 ટકા ઓછાં છે. પૃથ્વી પર ભલે માથાદીઠ 422 વૃક્ષ હોય પણ મેરા ભારત મહાનમાં સીનારિયો સલમાન ખાનની ફિલ્મોની જેમ એકદમ કંગાળ છે. વ્યક્તિદીઠ 28 વૃક્ષ. આની સામે આપણાંથી થોડી વસ્તી ધરાવતા ચીનમાં આ આંકડો 108નો છે.
એક ગણતરી મુજબ માનવ સંસ્કૃતિએ પોતાના જન્મ બાદ પૃથ્વી પરનાં 46 ટકા વૃક્ષોનો ખંગ વાળી નાખ્યો છે. જંગલોને અદૃશ્ય કરી નાખવામાં માનવી જાણે માયાવી શક્તિ ધરાવતો લાગે છે. 2010થી 2020 વચ્ચે દર વર્ષે 47 લાખ હેક્ટર જંગલ ગાયબ થઈ જાય છે, પરંતુ UNFAO (સંયુક્ત રાષ્ટ્રસંઘના ફૂડ એન્ડ એગ્રીકલ્ચરલ ઓર્ગેનાઈઝેશન) તો વર્ષે એક કરોડ હેક્ટર જંગલનું અમંગલ થવાનો દાવો કરે છે. ગ્લોબલ ફોરેસ્ટ વૉચ નામની સંસ્થાના મત મુજબ 2024માં ભારત 18,200 હેક્ટર જંગલ ખોઈ બેઠું.
આ સમસ્યા વૈશ્વિક છે. લાખો-કરોડો વર્ષથી ગોઠવાયેલી કુદરતની સાઈકલને ફેરવીને આપણે પગ પર કુહાડા, કોદાળી અને હથોડા માર્યાં છે. કરો એવું ભોગવો અને વાવો તેવું લણો એ તો સહજ અને સર્વસ્વીકાર્ય જ છે.
તો શું આપણાં બારય વહાણ ડૂબી ગયા છે? ના, કોઈ ટ્રેન છેલ્લી હોતી થી. આપણે એકદમ ગંભીર હોઈએ, ખરેખર પોતાને અને ભાવિ પેઢીને બચાવવા માંગતા હોઈએ અને પૃથ્વીને રહેવા-જીવવાલાયક રાખવા માંગતા હોઈએ તો એક ઉપાય છે. એનું નામ છે ખોનોમા.
હા, ખોનોમા ભારતના રાજકારણીઓની અવગણનાનો શિકાર બનેલા પૂર્વ ભારતના નાગાલેન્ડ રાજ્યનું એક ગામ છે. નાગાલેન્ડની રાજધાની કોહિમાથી માત્ર 20 કિલોમીટરના અંતરે આવેલા ખોનોમાની વિશિષ્ટતા જાણવા, સમજવા અને તાત્કાલિક અપનાવવા જેવી છે. આ ખોનોમાએ માત્ર ભારતના જ નહીં, સમગ્ર એશિયાના પ્રથમ ગ્રીન વિલેજનું બિરૂદ મેળવીને એક દાખલો બેસાડ્યો છે.
ભારતના ગાર્ડન સિટી તરીકે ઓળખાતા બેંગ્લુરુમાં માથાદીઠ વૃક્ષ કેટલાં છે? 0.1 અને આપણા ગાંધીનગરમાં વ્યક્તિદીઠ 4 વૃક્ષ છે. આ સંજોગોમાં ખોનોમા કેવી રીતે ગ્રીન વિલેજ અને પર્યાવરણમિત્ર બન્યું હશે?
આ ખોનોમા નામનો શબ્દ જ સ્થાનિક છોડ પરથી આવ્યો છે જેને આ ગામે સાર્થક કરી બતાવ્યો છે. વસ્તી માંડ બે હજારની, ને 450 જેટલાં ખોરડાં. ગામ નાનકડું પણ ઈતિહાસ શૌર્યથી લબાલબ. 1830થી 1880 વચ્ચે અહીંના અંગામી આદિવાસી યોદ્ધા બ્રિટિશરો સામે શ્રેણીબદ્ધ યુદ્ધ લડ્યા હતા. શા માટે? નાગ પ્રજાને બંધુઆ મજૂર એટલે કે ગુલામ તરીકે રાખવાનું બંધ કરાવવા માટે. અંતે બ્રિટિશરોના પાપે આ ગામ ધીરે ધીરે ખ્રિસ્તી ધર્મ અપનાવતું થઈ ગયું.
લગભગ 700 વર્ષ જૂનું અને 123 સ્ક્વેર કિલોમીટર ક્ષેત્રફળમાં વસેલું આ ગામ પોતાની રીતે અનોખી અને એક સમાન તરીકે ખેતી કરવા માટે જાણીતું છે. ખોનોમાએ લીલીછમ્મ સિદ્ધિ કેવી રીતે મેળવી એ જાણીએ. કાયમ બરાફાચ્છાદિત રહેતાં ઘણાં ગામોને બાકીની દુનિયાની જેમ પ્રદૂષણ પજવી રહ્યું હતું. પરંતુ ખોનોમામાં પર્યાવરણ પ્રકૃતિના રક્ષણને સૌથી મોટી જવાબદારી માનવામાં આવે છે. એ પણ એટલી હદ સુધી કે વૃક્ષ કાપવા પર અહીં સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકાયેલો છે. અહીં ચારે તરફ લીલોતરી જ લીલોતરી છે. સ્થાનિક રહેવાસીઓને જાણે પ્રદૂષણની જાણ કે ખબર જ નથી. આવાં અનેક કારણોસર ખોનોમા એશિયાના પ્રથમ ગ્રીન વિલેજ તરીકે જગપ્રસિદ્ધ છે, જેને લીધે પર્યટકોય આકર્ષાય છે.
ખોનોમા ગામમાં જંગલમાં રહેનારાં જીવજંતુથી લઈને પ્રાણીઓના શિકાર કરવાની પણ મનાઈ છે. એક સમયે પેટ ભરવા પ્રાણીઓનો શિકાર થતો હતો, ત્રીસેક વર્ષમાં કોઈ જાનવરનો જીવ લેવાયો નથી. ગ્રામજનો ઉપરાંત પ્રવાસીઓ દ્વારા પણ શિકારને પ્રતિબંધિત કરીને ખોનોમાએ લુપ્ત થતી જાતિઓનાં પ્રાણીઓને નવજીવન આપ્યું છે. સ્થાનિક અંગામી જન્મજાતિનાં લોકો વૃક્ષ-છોડ કાપવાને બદલે એનું જતન કરે છે.
આ લોકો પર્યાવરણની સાથોસાથ પોતીકી સંસ્કૃતિનાં જતન માટે પણ એટલા જ કટિબદ્ધ છે. અને વિવેકબુદ્ધિ જુઓ કે, કદાચ અનિવાર્ય કારણોસર લાકડાંની જરૂર પડે તો આખું ઝાડ કાપવાને બદલે થોડી ડાળીઓ કાપીને કામ ચલાવી લેવાય. અહીં ‘ઝૂમ’ તરીકે ઓળખાતી ખેતી પદ્ધતિ વિશિષ્ટ છે. આમાં કોઈ ક્ષેત્રની વનસ્પતિને બાળી નખાય અને એની રાખનાં ખાતર થકી બે-ત્રણ વર્ષ સારો પાક લઈ શકાય છે.
આપણે પણ ઘર, આંગણ અને સોસાયટીમાં એક-એક વૃક્ષ વાવવાથી શરૂઆત કરીએ, તો આ પ્રયાસથી ઘણાં લીલાં ફળ મળશે એ નક્કી. ઓનલાઈન-ઓફલાઈન
આપણે સશક્ત અર્થતંત્ર માટે ઓરાગ્યપ્રદ પર્યાવરણનું બલિદાન ન આપી શકીએ?
- ડેનિસ વિવર (અમેરિકન અભિનેતા અને પર્યાવરણવાદી)
આપણે સશક્ત અર્થતંત્ર માટે ઓરાગ્યપ્રદ પર્યાવરણનું બલિદાન ન આપી શકીએ?
- ડેનિસ વિવર (અમેરિકન અભિનેતા અને પર્યાવરણવાદી)
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/conversion-and-exploitation-of-children-in-boarding-schools-135305021.html
રાજ ભાસ્કર કહાની કેનેડાની છે. 1860ના દાયકામાં ત્યાં કેથોલિક ચર્ચોની બોલબાલા હતી. એ વખતે કેટલાંક ક્રિશ્ચિયનોએ ત્યાંનાં મૂળ આદિવાસીઓની ઓળખ ભૂંસી નાંખવા માટે 139 જેટલી બોર્ડિંગ સ્કૂલો બનાવી અને આદિવાસી બાળકો માટે ત્યાં રહેવા-ભણવાનું ફરજિયાત બનાવી દીધું. એ લોકો ગામડાંમાં જઈને બાળકોને ઉઠાવી લાવતાં. પછી હોસ્ટેલમાં લાવીને તેમના પર અત્યાચારો કરતા, તેમની આદિવાસી સંસ્કૃતિ છોડવા મજબૂર કરતા, ક્રિશ્ચિયાનિટીનું ભણાવતા અને ધર્માંતરણ કરતા. પાદરીઓ નાની બાળકીઓ પર રેપ કરતા. બીમાર પડે તો દવા ના આપતા. વધારે બોલે તો જીભમાં સોઈ પરોવી દે. એટલું મારતાં કે બાળકો મરી જતાં. પછી આ લોકો બાળકોની લાશોને સ્કૂલોનાં કમ્પાઉન્ડમાં જ દફનાવી દેતાં. એમનાં મા-બાપને ખબર પણ ન આપતાં. આ બધું સો વર્ષ ચાલ્યું હતું અને એ સો વર્ષમાં એ લોકો દોઢ લાખ આદિવાસી બાળકોને ધર્માંતરણ માટે ઉઠાવી લાવ્યાં હતાં. અનેક બાળકો અત્યાચારથી મરી ગયાં અને કેટલાંક બોર્ડિંગમાંથી ભાગવામાં સફળ રહ્યાં.
આ બાબતે ઘણી ફરિયાદો થઈ પણ કોઈએ કાને વાત નહોતી ધરી. પાપ છાપરે ચડીને પોકારે, પણ પાદરીઓનું પાપ જમીન ફાડીને બહાર આવ્યું. અને એ પણ હમણાં દોઢસો વર્ષ પછી, વર્ષ 2021માં. શું બન્યું હતું આવો જોઈએ!
કેનેડાની બોર્ડિંગ સ્કૂલોમાં દોઢ લાખ આદિવાસી બાળકોનું ધર્માંતરણ થઈ રહ્યું હતું. એમાં સૌથી મોટી બોર્ડિંગ સ્કૂલ હતી કૈમ્લૂપ્સ ઈન્ડિયન રેસિડેન્શિયલ સ્કૂલ. સમય જતાં આ શાળાઓનું સંપૂર્ણ સંચાલન કેથોલિક ચર્ચના હાથમાં આવી ગયું હતું. લગભગ સો વર્ષ આ રમત ચાલી. પછી 1960ની આસપાસના ગાળાથી બદલાયેલી સરકારોએ ધીમે ધીમે આ સ્કૂલોનું સંચાલન પોતાના હાથમાં લઈ લીધું, કારણ કે સરકારને બાળકોનાં ધર્માંતરણ અને શોષણની અનેક ફરિયાદો મળી હતી. આથી સરકારે એક પછી એક સ્કૂલો બંધ કરવાનું શરૂ કરી દીધું.
1978માં સૌથી મોટી કૈમ્લૂપ્સ ઈન્ડિયન રેસિડેન્શિયલ સ્કૂલ પણ બંધ કરી દીધી, પણ ફરિયાદ બંધ ના થઈ. કેનેડાનાં જ કેટલાંક આદિવાસી સંગઠનો આની તપાસની માંગ કરી રહ્યાં હતાં. સાથે એવાં પણ કેટલાંક હતાં જેઓ 1940-50ના ગાળામાં આ બોર્ડિંગમાં પાદરી અને નનોના અત્યાચારોનો ભોગ બન્યાં હતાં. એ લોકો હવે ઉંમરલાયક હતા અને ન્યાય માટે અદાલત સુધી પહોંચ્યા હતાં, પણ વરસો વીતવા છતાં ખાસ કંઈ થયું નહીં.
આખરે 2008માં આ મામલો દેશમાં ઊંચકાયો અને તત્કાલીન કેનેડિયન સરકારે ચાલુ સંસદે આ ભયાવહ ઘટના અંગે માફી માંગી, તેની તપાસ માટે એક કમિશન બનાવ્યું. એનું નામ હતું ટ્રુથ એન્ડ રિકૉન્સિલિએશન કમિશન. આ કમિશને છ વર્ષ સુધી આખા દેશમાં ફરીને લોકોની જુબાની લીધી.
અનેક પીડિત પરીવારોને મળ્યા અને તેમની આપવીતી સાંભળી. 2015માં કમિશને રિપોર્ટ આપ્યો કે, ‘યસ, કેથોલિક ચર્ચ સંચાલિત આ બોર્ડિંગ સ્કૂલોમાં આદિવાસી બાળકોનું ધર્માંતરણ અને શોષણ થતું હતું. કુમળી બાળકીઓનું યૌન શોષણ થતું હતું. તેમને તેમની આદિવાસી ભાષા, ભોજન, ભૂષાથી અલગ કરીને દેવાનું આ કાવતરું હતું.’ કમિશને આને ‘સાંસ્કૃતિક નરસંહાર’ ગણાવીને એમ પણ કહ્યું કે, એક સમયે અહીં દોઢ લાખ આદિવાસી બાળકોને ઉઠાવી લવાયાં હતાં અને 3200 બાળકો શારીરિક-માનસિક ઉત્પીડનથી મોતને ભેટ્યાં હતાં. આ રિપોર્ટે સૌને હચમચાવી દીધાં, પણ 2021માં જે બન્યું તે ઘટનાએ માત્ર કેનેડા જ નહીં પણ આખા વિશ્વની આંખોમાં આંસુ લાવી દીધાં.
બન્યું એવું કે કેનેડાની બહુચર્ચિત અને બાળકોના નરસંહાર માટે જવાબદાર એવી મુખ્ય બોર્ડિંગ સ્કૂલ કૈમ્લૂપ્સ ઈન્ડિયન રેસિડેન્શિયલ સ્કૂલમાં મે, 2021માં ખોદકામ થયું. આ સ્કૂલ દાયકાઓથી બંધ હતી. અહીં ખોદકામ માટે પેનેટ્રેટિંગ રડાર નામે આધુનિક મશીન લવાયું હતું. એ જમીનમાં ખૂબ ઊંડે સુધી પડેલાં તત્ત્વોની શોધ કરી શકતું હતું. ખોદકામ દરમિયાન સ્કૂલના કમ્પાઉન્ડમાં ઊંડેથી 215 નરકંકાલો મળ્યાં. તપાસ કરતા ખબર પડી કે એ કંકાલ મોટાભાગનાં ત્રણથી સાત વર્ષનાં અને કિશોર વયનાં બાળકોનાં હતાં.
બાળકોની કબરોએ આખા કેનેડામાં હાહાકાર મચાવી દીધો. બીજી સ્કૂલોની પણ તપાસ થઈ, જેમાં કાઉસેસ રિઝર્વ સ્થિત પૂર્વી મૈરીવલ બોર્ડિંગ સ્કૂલના કમ્પાઉન્ડમાંથી 751 બાળકોનાં કંકાલ મળ્યાં. કુલ આંકડો હજારે પહોંચ્યો. આ સમાચારે આખા વિશ્વમાં હડકંપ મચાવી દીધો. કેથોલિક ચર્ચ સંચાલિત કેનેડાની એ બોર્ડિંગ સ્કૂલોમાં બાળકોનું શોષણ થતું હતું અને એમની લાશોને મારીને ત્યાં જ દાટી દેવામાં આવતી હતી એ સાબિત થઈ ગયું.
આ ઘટના પછી કેનેડાના તત્કાલીન વડાપ્રધાન જસ્ટીન ટ્રુડોએ ટ્વિટ કરીને માફી માંગતા લખ્યું, ‘કૈમ્લૂપ્સ ઈન્ડિયન રેસિડેન્શિયલ સ્કૂલની આ ઘટનાએ મારું દિલ તોડી નાંખ્યું છે. આ અમારા દેશના ઈતિહાસની એક શરમજનક યાદોમાંની એક છે. આનાથી પ્રભાવિત તમામ લોકોનો મને વિચાર આવે છે. અમે તેમની સાથે છીએ. અમે આના પર ઠોસ કાર્યવાહી કરીશું.’
રાજ ભાસ્કર કહાની કેનેડાની છે. 1860ના દાયકામાં ત્યાં કેથોલિક ચર્ચોની બોલબાલા હતી. એ વખતે કેટલાંક ક્રિશ્ચિયનોએ ત્યાંનાં મૂળ આદિવાસીઓની ઓળખ ભૂંસી નાંખવા માટે 139 જેટલી બોર્ડિંગ સ્કૂલો બનાવી અને આદિવાસી બાળકો માટે ત્યાં રહેવા-ભણવાનું ફરજિયાત બનાવી દીધું. એ લોકો ગામડાંમાં જઈને બાળકોને ઉઠાવી લાવતાં. પછી હોસ્ટેલમાં લાવીને તેમના પર અત્યાચારો કરતા, તેમની આદિવાસી સંસ્કૃતિ છોડવા મજબૂર કરતા, ક્રિશ્ચિયાનિટીનું ભણાવતા અને ધર્માંતરણ કરતા. પાદરીઓ નાની બાળકીઓ પર રેપ કરતા. બીમાર પડે તો દવા ના આપતા. વધારે બોલે તો જીભમાં સોઈ પરોવી દે. એટલું મારતાં કે બાળકો મરી જતાં. પછી આ લોકો બાળકોની લાશોને સ્કૂલોનાં કમ્પાઉન્ડમાં જ દફનાવી દેતાં. એમનાં મા-બાપને ખબર પણ ન આપતાં. આ બધું સો વર્ષ ચાલ્યું હતું અને એ સો વર્ષમાં એ લોકો દોઢ લાખ આદિવાસી બાળકોને ધર્માંતરણ માટે ઉઠાવી લાવ્યાં હતાં. અનેક બાળકો અત્યાચારથી મરી ગયાં અને કેટલાંક બોર્ડિંગમાંથી ભાગવામાં સફળ રહ્યાં.
આ બાબતે ઘણી ફરિયાદો થઈ પણ કોઈએ કાને વાત નહોતી ધરી. પાપ છાપરે ચડીને પોકારે, પણ પાદરીઓનું પાપ જમીન ફાડીને બહાર આવ્યું. અને એ પણ હમણાં દોઢસો વર્ષ પછી, વર્ષ 2021માં. શું બન્યું હતું આવો જોઈએ!
કેનેડાની બોર્ડિંગ સ્કૂલોમાં દોઢ લાખ આદિવાસી બાળકોનું ધર્માંતરણ થઈ રહ્યું હતું. એમાં સૌથી મોટી બોર્ડિંગ સ્કૂલ હતી કૈમ્લૂપ્સ ઈન્ડિયન રેસિડેન્શિયલ સ્કૂલ. સમય જતાં આ શાળાઓનું સંપૂર્ણ સંચાલન કેથોલિક ચર્ચના હાથમાં આવી ગયું હતું. લગભગ સો વર્ષ આ રમત ચાલી. પછી 1960ની આસપાસના ગાળાથી બદલાયેલી સરકારોએ ધીમે ધીમે આ સ્કૂલોનું સંચાલન પોતાના હાથમાં લઈ લીધું, કારણ કે સરકારને બાળકોનાં ધર્માંતરણ અને શોષણની અનેક ફરિયાદો મળી હતી. આથી સરકારે એક પછી એક સ્કૂલો બંધ કરવાનું શરૂ કરી દીધું.
1978માં સૌથી મોટી કૈમ્લૂપ્સ ઈન્ડિયન રેસિડેન્શિયલ સ્કૂલ પણ બંધ કરી દીધી, પણ ફરિયાદ બંધ ના થઈ. કેનેડાનાં જ કેટલાંક આદિવાસી સંગઠનો આની તપાસની માંગ કરી રહ્યાં હતાં. સાથે એવાં પણ કેટલાંક હતાં જેઓ 1940-50ના ગાળામાં આ બોર્ડિંગમાં પાદરી અને નનોના અત્યાચારોનો ભોગ બન્યાં હતાં. એ લોકો હવે ઉંમરલાયક હતા અને ન્યાય માટે અદાલત સુધી પહોંચ્યા હતાં, પણ વરસો વીતવા છતાં ખાસ કંઈ થયું નહીં.
આખરે 2008માં આ મામલો દેશમાં ઊંચકાયો અને તત્કાલીન કેનેડિયન સરકારે ચાલુ સંસદે આ ભયાવહ ઘટના અંગે માફી માંગી, તેની તપાસ માટે એક કમિશન બનાવ્યું. એનું નામ હતું ટ્રુથ એન્ડ રિકૉન્સિલિએશન કમિશન. આ કમિશને છ વર્ષ સુધી આખા દેશમાં ફરીને લોકોની જુબાની લીધી.
અનેક પીડિત પરીવારોને મળ્યા અને તેમની આપવીતી સાંભળી. 2015માં કમિશને રિપોર્ટ આપ્યો કે, ‘યસ, કેથોલિક ચર્ચ સંચાલિત આ બોર્ડિંગ સ્કૂલોમાં આદિવાસી બાળકોનું ધર્માંતરણ અને શોષણ થતું હતું. કુમળી બાળકીઓનું યૌન શોષણ થતું હતું. તેમને તેમની આદિવાસી ભાષા, ભોજન, ભૂષાથી અલગ કરીને દેવાનું આ કાવતરું હતું.’ કમિશને આને ‘સાંસ્કૃતિક નરસંહાર’ ગણાવીને એમ પણ કહ્યું કે, એક સમયે અહીં દોઢ લાખ આદિવાસી બાળકોને ઉઠાવી લવાયાં હતાં અને 3200 બાળકો શારીરિક-માનસિક ઉત્પીડનથી મોતને ભેટ્યાં હતાં. આ રિપોર્ટે સૌને હચમચાવી દીધાં, પણ 2021માં જે બન્યું તે ઘટનાએ માત્ર કેનેડા જ નહીં પણ આખા વિશ્વની આંખોમાં આંસુ લાવી દીધાં.
બન્યું એવું કે કેનેડાની બહુચર્ચિત અને બાળકોના નરસંહાર માટે જવાબદાર એવી મુખ્ય બોર્ડિંગ સ્કૂલ કૈમ્લૂપ્સ ઈન્ડિયન રેસિડેન્શિયલ સ્કૂલમાં મે, 2021માં ખોદકામ થયું. આ સ્કૂલ દાયકાઓથી બંધ હતી. અહીં ખોદકામ માટે પેનેટ્રેટિંગ રડાર નામે આધુનિક મશીન લવાયું હતું. એ જમીનમાં ખૂબ ઊંડે સુધી પડેલાં તત્ત્વોની શોધ કરી શકતું હતું. ખોદકામ દરમિયાન સ્કૂલના કમ્પાઉન્ડમાં ઊંડેથી 215 નરકંકાલો મળ્યાં. તપાસ કરતા ખબર પડી કે એ કંકાલ મોટાભાગનાં ત્રણથી સાત વર્ષનાં અને કિશોર વયનાં બાળકોનાં હતાં.
બાળકોની કબરોએ આખા કેનેડામાં હાહાકાર મચાવી દીધો. બીજી સ્કૂલોની પણ તપાસ થઈ, જેમાં કાઉસેસ રિઝર્વ સ્થિત પૂર્વી મૈરીવલ બોર્ડિંગ સ્કૂલના કમ્પાઉન્ડમાંથી 751 બાળકોનાં કંકાલ મળ્યાં. કુલ આંકડો હજારે પહોંચ્યો. આ સમાચારે આખા વિશ્વમાં હડકંપ મચાવી દીધો. કેથોલિક ચર્ચ સંચાલિત કેનેડાની એ બોર્ડિંગ સ્કૂલોમાં બાળકોનું શોષણ થતું હતું અને એમની લાશોને મારીને ત્યાં જ દાટી દેવામાં આવતી હતી એ સાબિત થઈ ગયું.
આ ઘટના પછી કેનેડાના તત્કાલીન વડાપ્રધાન જસ્ટીન ટ્રુડોએ ટ્વિટ કરીને માફી માંગતા લખ્યું, ‘કૈમ્લૂપ્સ ઈન્ડિયન રેસિડેન્શિયલ સ્કૂલની આ ઘટનાએ મારું દિલ તોડી નાંખ્યું છે. આ અમારા દેશના ઈતિહાસની એક શરમજનક યાદોમાંની એક છે. આનાથી પ્રભાવિત તમામ લોકોનો મને વિચાર આવે છે. અમે તેમની સાથે છીએ. અમે આના પર ઠોસ કાર્યવાહી કરીશું.’
ક્રિશ્ચિયન કોમ્યુનિટીના સૌથી મોટા વડા પોપ ફ્રાંસીસી ત્યારે હયાત હતા. આ ઘટના બાદ 2022માં તેમણે પણ આને એક ‘વિનાશક ભૂલ’ ગણાવીને માફી માંગી હતી, પણ માફી માંગવાથી કે દુ:ખ વ્યક્ત કરવાથી મામલો પૂરો નથી થઈ જતો. આ આદિવાસીઓનો ‘સાંસ્કૃતિક નરસંહાર’ હતો! અને જ્યાં સુધી માનવજાત રહેશે ત્યાં સુધી આના માટે જવાદાર કેથોલિક ચર્ચના પાપીઓ ધિક્કાર અને શાપ પામ્યાં કરશે.
સહજ સંવાદ:એક પુત્રી પૂછે છે, ‘મારી માની હત્યા કોણે કરી?’
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/a-daughter-asks-who-killed-my-mother-135305042.html
ના, આ કોઈ ડિટેક્ટિવ કે હોરર કથા નથી. લોકતંત્ર પર જ્યારે સત્તાની આપત્તિનો અંધાર આવે ત્યારે શું બને અને શું બની શકે તેની નજર સામે રચાયેલી ઘટના છે. આજે 25 જૂન છે. બરાબર 50 વર્ષ પૂર્વે આજની રાતે રાષ્ટ્રપતિ ભાવનથી એક અધ્યાદેશ જાહેર થયો હતો.
1977ના જાન્યુઆરી સુધી એટલે કે લગભગ બે વર્ષ દેશભરમાં ‘આંતરિક કટોકટી’ અને ‘પ્રી-સેન્સરશિપ’ ચાલી અને તેની સાથે મિસા નામે અટકાયતી ધારા તેમ જ ડી. આઈ. આર.નો મનસ્વી ઉપયોગ થયો. એક લાખ, દસ હજાર નેતા-કાર્યકર્તા-શિક્ષક-પત્રકાર-વિદ્યાર્થી-મહિલા બધાંને માટે અનિશ્ચિત મુદતનો કારાવાસ ભોગવવાનું બન્યું.
1950ની 26 જાન્યુઆરીથી સ્વાધીન ભારતનું સંસદીય સ્વરાજ શરૂ થયું, તેના પર આટલા મોટા પાયે કટોકટીની સત્તાનો દુરુપયોગ પહેલી વાર થયો, જેણે બંધારણ, સાંસદ, મીડિયા અને વિચાર-મુક્તિ પર ઘેરી અસર કરી હતી.
મારા ટેબલ પર જૂન, 1977નો એક પત્ર પડ્યો છે. કર્ણાટકના ખ્યાત ફિલ્મનિર્માતા પી. રામા રેડ્ડીએ બેંગ્લુરુથી લખ્યો હતો, તેમાં કટોકટીના દિવસોમાં રિબાયેલી અને અંતે મોત પામેલી ફિલ્મ અને નાટ્યકલાકાર સ્નેહલતા રેડ્ડીની કરુણ કહાણી છે. પોતાની પત્ની વિષે રામા રેડ્ડીએ લખ્યું છે:
‘હું ‘ચંદ મરુત (કન્નડ) અને ‘વાઇલ્ડ વિન્ડ’ (અંગ્રેજી) ફિલ્મો બનાવતો હતો. તે રાજકીય ચેતનાનો વિષય લઈને આવી હતી. તેમાં ડો. રામમનોહર લોહિયાના વિચારોનો પડઘો હતો અને તેની સાથે, બેંગ્લુરુ આવેલા જયપ્રકાશ નારાયણની મુલાકાતને વણી લેવામાં આવી હતી. સ્નેહલતાએ તેમાં મુખ્ય ભૂમિકા અદા કરી હતી. શરૂઆતમાં ફિલ્મ ફાયનાન્સ કોર્પોરેશને ફિલ્મ બનાવવા માટે લોન ફાળવી હતી, પણ તે નાણાં મળે તે પહેલાં કટોકટી જાહેર થઈ અને લોન મળી નહીં. દિલ્હીના હુકમ મુજબ રાજ્ય સરકારે ફિલ્મની ચકાસણી કરવાનો પત્ર લખ્યો, હજુ ફિલ્મ પૂરી થઈ નહોતી એટલે મેં ના પાડી ત્યાં સુધીમાં કટોકટી ઊઠી ગઈ એટલે ફિલ્મ બચી ગઈ. ફિલ્મ તો બચી ગઈ, પણ હું મારી પત્ની સ્નેહલતાને જે આ ફિલ્મનો આત્મા અને ચેતન સમી હતી તેને ગુમાવી બેઠો.’
આગળ તેઓ લખે છે, ‘તેની ધરપકડ પહેલી જુલાઇ, 1976ના દિવસે થઈ. પુત્ર કોણાર્કને પણ જેલમાં લઈ જવાયો. હંમેશની જેમ ત્યાગી અને સંવેદનશીલ પત્નીએ પોલીસ સમક્ષ જુબાની આપવાની તમામ જવાબદારી પોતાના શિરે લીધી એટલે કોણાર્કને છોડી દેવામાં આવ્યો. સ્નેહલતાને જેલમાં પૂરવામાં આવી. રાજકીય દમન અને પુરુષજાતિનો અહંકાર બંનેનો તે ભોગ બની. એ નિર્ભય હતી, સત્ય અને ન્યાયને વ્યક્ત કરવાની ચમત્કારિક તાકાત હતી એનામાં. પ્રતિકૂળ સંજોગોમાં પણ પોતાની મુશ્કેલીઓને ગૌણ બનાવીને બીજાની દરકાર કરતી. તેને પાગલ અને વેશ્યા સ્ત્રીઓની સાથે રાખવામાં આવી હતી, તેની સમસ્યાઓ વિષે ચિંતા કરતી. અમારા બધાંની જેલમાં જ્યારે મુલાકાતો થતી, તેને ગંભીર બનાવી દેતી. એ પ્રકાશની દેવી હતી, જેને ગંદા હાથો અંધારના વમળમાં ખેંચી જવા પ્રયત્નો કરતા રહ્યા, ઈશ્વરની એ કૃપા કે એ તેના સુંદર સ્વર્ગીય વિશ્વમાં ચાલી ગઈ, જ્યાં તેને મળવા હું પણ એટલો જ આતુર છું.’
યોગાનુયોગ સ્નેહલતાનું 1977ની 25 જાન્યુઆરીના અવસાન થયું. હજુ પાંચ જ દિવસ તેને બેંગ્લુરુ જેલમાંથી છોડ્યાંને થયા હતા. જેલમાં રેઢિયાળ અને નકામા તબીબી ઉપચારોને લીધે તેની તબિયત ખરાબ થઈ. જેલ સત્તાવાળાઓને બીક લાગી કે ક્યાંક તેનું મૃત્યુ જેલ-કોટડીમાં જ થઈ જશે તો? એટલે 20 જાન્યુઆરીએ તેને છોડી હતી.
ભારતના લોકતંત્ર પ્રજાસત્તાક દિવસના પૂર્વ દિવસે તે વિદાય પામી ત્યારે તેની પાછળ ઉત્તમ અભિનય કારકિર્દી અને અકારણ જેલમાં ચિત્કારોને
છોડીને ગઈ. 1972માં કન્નડ ફિલ્મ ‘સંસ્કાર’માં તેણે ઉત્કૃષ્ટ કામ કર્યું હતું. કે. અનંતમૂર્તિની એ જ નામે લખાયેલી નવલકથાની કથાવસ્તુ પર ફિલ્મ બનેલી, અને રાષ્ટ્રીય કક્ષાએ તેની ભૂમિકાને શ્રેષ્ઠ સન્માન પ્રાપ્ત થયું હતું. તેણે પોતે એક નાટક લખ્યું હતું, ‘સીતા.’ તેને ગુજરાતીમાં ભજવવાની સરકારી સમિતિએ ના પાડી હતી.
કટોકટીના દિવસોમાં તેની પુત્રી નંદના અને પુત્ર કોણાર્કની પૂછપરછ થઈ. જ્યોર્જ ફર્નાન્ડીઝ સાથેના પારિવારિક સંબંધોને લીધે, જ્યોર્જ વિષે માહિતી મેળવવા આ ધરપકડો થઈ, સ્નેહલતાએ કહ્યું કે મારાં પુત્ર-પુત્રીને શા માટે હેરાન કરો છો? મને જે પૂછવું હોય તે પૂછો. પહેલાં તો આઈ. પી. સી.ની 120 અને 121 કલમનો ઉપયોગ કર્યો પણ તેમાં તો અદાલતમાં જવું પડે એટલે
મિસા હેઠળ અટકાયત કરી. સાંકડી ગંદી કોટડી, અંદર જ શૌચાલય, તોતિંગ સળિયાનો બંધ દરવાજો, આસપાસ ગુનેગાર કેદી સ્ત્રીઓ, અંધકાર અને એકલતા, રોજેરોજ પૂછપરછ. દમની તે રોગી હતી તેમાં ઉમેરો થયો. ડોક્ટરોની સારવાર વિચિત્ર.
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/a-daughter-asks-who-killed-my-mother-135305042.html
ના, આ કોઈ ડિટેક્ટિવ કે હોરર કથા નથી. લોકતંત્ર પર જ્યારે સત્તાની આપત્તિનો અંધાર આવે ત્યારે શું બને અને શું બની શકે તેની નજર સામે રચાયેલી ઘટના છે. આજે 25 જૂન છે. બરાબર 50 વર્ષ પૂર્વે આજની રાતે રાષ્ટ્રપતિ ભાવનથી એક અધ્યાદેશ જાહેર થયો હતો.
1977ના જાન્યુઆરી સુધી એટલે કે લગભગ બે વર્ષ દેશભરમાં ‘આંતરિક કટોકટી’ અને ‘પ્રી-સેન્સરશિપ’ ચાલી અને તેની સાથે મિસા નામે અટકાયતી ધારા તેમ જ ડી. આઈ. આર.નો મનસ્વી ઉપયોગ થયો. એક લાખ, દસ હજાર નેતા-કાર્યકર્તા-શિક્ષક-પત્રકાર-વિદ્યાર્થી-મહિલા બધાંને માટે અનિશ્ચિત મુદતનો કારાવાસ ભોગવવાનું બન્યું.
1950ની 26 જાન્યુઆરીથી સ્વાધીન ભારતનું સંસદીય સ્વરાજ શરૂ થયું, તેના પર આટલા મોટા પાયે કટોકટીની સત્તાનો દુરુપયોગ પહેલી વાર થયો, જેણે બંધારણ, સાંસદ, મીડિયા અને વિચાર-મુક્તિ પર ઘેરી અસર કરી હતી.
મારા ટેબલ પર જૂન, 1977નો એક પત્ર પડ્યો છે. કર્ણાટકના ખ્યાત ફિલ્મનિર્માતા પી. રામા રેડ્ડીએ બેંગ્લુરુથી લખ્યો હતો, તેમાં કટોકટીના દિવસોમાં રિબાયેલી અને અંતે મોત પામેલી ફિલ્મ અને નાટ્યકલાકાર સ્નેહલતા રેડ્ડીની કરુણ કહાણી છે. પોતાની પત્ની વિષે રામા રેડ્ડીએ લખ્યું છે:
‘હું ‘ચંદ મરુત (કન્નડ) અને ‘વાઇલ્ડ વિન્ડ’ (અંગ્રેજી) ફિલ્મો બનાવતો હતો. તે રાજકીય ચેતનાનો વિષય લઈને આવી હતી. તેમાં ડો. રામમનોહર લોહિયાના વિચારોનો પડઘો હતો અને તેની સાથે, બેંગ્લુરુ આવેલા જયપ્રકાશ નારાયણની મુલાકાતને વણી લેવામાં આવી હતી. સ્નેહલતાએ તેમાં મુખ્ય ભૂમિકા અદા કરી હતી. શરૂઆતમાં ફિલ્મ ફાયનાન્સ કોર્પોરેશને ફિલ્મ બનાવવા માટે લોન ફાળવી હતી, પણ તે નાણાં મળે તે પહેલાં કટોકટી જાહેર થઈ અને લોન મળી નહીં. દિલ્હીના હુકમ મુજબ રાજ્ય સરકારે ફિલ્મની ચકાસણી કરવાનો પત્ર લખ્યો, હજુ ફિલ્મ પૂરી થઈ નહોતી એટલે મેં ના પાડી ત્યાં સુધીમાં કટોકટી ઊઠી ગઈ એટલે ફિલ્મ બચી ગઈ. ફિલ્મ તો બચી ગઈ, પણ હું મારી પત્ની સ્નેહલતાને જે આ ફિલ્મનો આત્મા અને ચેતન સમી હતી તેને ગુમાવી બેઠો.’
આગળ તેઓ લખે છે, ‘તેની ધરપકડ પહેલી જુલાઇ, 1976ના દિવસે થઈ. પુત્ર કોણાર્કને પણ જેલમાં લઈ જવાયો. હંમેશની જેમ ત્યાગી અને સંવેદનશીલ પત્નીએ પોલીસ સમક્ષ જુબાની આપવાની તમામ જવાબદારી પોતાના શિરે લીધી એટલે કોણાર્કને છોડી દેવામાં આવ્યો. સ્નેહલતાને જેલમાં પૂરવામાં આવી. રાજકીય દમન અને પુરુષજાતિનો અહંકાર બંનેનો તે ભોગ બની. એ નિર્ભય હતી, સત્ય અને ન્યાયને વ્યક્ત કરવાની ચમત્કારિક તાકાત હતી એનામાં. પ્રતિકૂળ સંજોગોમાં પણ પોતાની મુશ્કેલીઓને ગૌણ બનાવીને બીજાની દરકાર કરતી. તેને પાગલ અને વેશ્યા સ્ત્રીઓની સાથે રાખવામાં આવી હતી, તેની સમસ્યાઓ વિષે ચિંતા કરતી. અમારા બધાંની જેલમાં જ્યારે મુલાકાતો થતી, તેને ગંભીર બનાવી દેતી. એ પ્રકાશની દેવી હતી, જેને ગંદા હાથો અંધારના વમળમાં ખેંચી જવા પ્રયત્નો કરતા રહ્યા, ઈશ્વરની એ કૃપા કે એ તેના સુંદર સ્વર્ગીય વિશ્વમાં ચાલી ગઈ, જ્યાં તેને મળવા હું પણ એટલો જ આતુર છું.’
યોગાનુયોગ સ્નેહલતાનું 1977ની 25 જાન્યુઆરીના અવસાન થયું. હજુ પાંચ જ દિવસ તેને બેંગ્લુરુ જેલમાંથી છોડ્યાંને થયા હતા. જેલમાં રેઢિયાળ અને નકામા તબીબી ઉપચારોને લીધે તેની તબિયત ખરાબ થઈ. જેલ સત્તાવાળાઓને બીક લાગી કે ક્યાંક તેનું મૃત્યુ જેલ-કોટડીમાં જ થઈ જશે તો? એટલે 20 જાન્યુઆરીએ તેને છોડી હતી.
ભારતના લોકતંત્ર પ્રજાસત્તાક દિવસના પૂર્વ દિવસે તે વિદાય પામી ત્યારે તેની પાછળ ઉત્તમ અભિનય કારકિર્દી અને અકારણ જેલમાં ચિત્કારોને
છોડીને ગઈ. 1972માં કન્નડ ફિલ્મ ‘સંસ્કાર’માં તેણે ઉત્કૃષ્ટ કામ કર્યું હતું. કે. અનંતમૂર્તિની એ જ નામે લખાયેલી નવલકથાની કથાવસ્તુ પર ફિલ્મ બનેલી, અને રાષ્ટ્રીય કક્ષાએ તેની ભૂમિકાને શ્રેષ્ઠ સન્માન પ્રાપ્ત થયું હતું. તેણે પોતે એક નાટક લખ્યું હતું, ‘સીતા.’ તેને ગુજરાતીમાં ભજવવાની સરકારી સમિતિએ ના પાડી હતી.
કટોકટીના દિવસોમાં તેની પુત્રી નંદના અને પુત્ર કોણાર્કની પૂછપરછ થઈ. જ્યોર્જ ફર્નાન્ડીઝ સાથેના પારિવારિક સંબંધોને લીધે, જ્યોર્જ વિષે માહિતી મેળવવા આ ધરપકડો થઈ, સ્નેહલતાએ કહ્યું કે મારાં પુત્ર-પુત્રીને શા માટે હેરાન કરો છો? મને જે પૂછવું હોય તે પૂછો. પહેલાં તો આઈ. પી. સી.ની 120 અને 121 કલમનો ઉપયોગ કર્યો પણ તેમાં તો અદાલતમાં જવું પડે એટલે
મિસા હેઠળ અટકાયત કરી. સાંકડી ગંદી કોટડી, અંદર જ શૌચાલય, તોતિંગ સળિયાનો બંધ દરવાજો, આસપાસ ગુનેગાર કેદી સ્ત્રીઓ, અંધકાર અને એકલતા, રોજેરોજ પૂછપરછ. દમની તે રોગી હતી તેમાં ઉમેરો થયો. ડોક્ટરોની સારવાર વિચિત્ર.
તેણે 22 જુલાઇથી લખેલી ડાયરીનાં આ વાક્યો એક હોનહાર કલાકાર સ્ત્રી પરના અનહદ જુલમ અને ઉપેક્ષા દર્શાવે છે: ‘આજે સાચે જ બચી ગઈ. થોડીક મિનિટની વાત હતી. નાડી અનિયમિત થઈ ગઈ હતી. આંખે અંધારાં આવ્યાં. કંઈ જ દેખાતું નહોતું. (22 જુલાઇ). શરીરની બધી શક્તિ હણાઈ ગઈ છે. લથડિયાં ખાઉં છું. (23 જુલાઈ). સાવ એકાંકી દિવસ. હાથવેંત મોત છેટું હોય તેવું અનુભવું છું. આ કોટડીમાંથી મુક્તિ મળે કે પેરોલ તો- (25 જુલાઈ) અર્ધ મૃત્યુની દશા. ડોક્ટર તો રજા પર છે. દમ એવો ઊથલો મારે છે કે ક્યારેય સાજી નહીં થાઉં, નર્વસ બ્રેક ડાઉન તો નહીં થાય ને? મારે ઘેર જવું છે… બધાંને મળવું છે… (27 જુલાઈ)
કોટિઝોનની અસર શરૂ થઈ. સુપરિન્ટેન્ડેન્ટ આટલો અવિવેકી કેમ છે? ડાયરીના અંતિમ પાને નિસહાય કલાકાર એટલું જ માંગે છે, મારે મારા પુત્ર સાથે જીવવું છે, જે થોડા દિવસ મળે… આ કહાણી આજથી 50 વર્ષ પૂર્વેના કટોકટીની કથાનો એક અંશ છે. પુત્રી નંદના આજે પણ પૂછે છે, મારી માની હત્યા કોણે કરી?
કોટિઝોનની અસર શરૂ થઈ. સુપરિન્ટેન્ડેન્ટ આટલો અવિવેકી કેમ છે? ડાયરીના અંતિમ પાને નિસહાય કલાકાર એટલું જ માંગે છે, મારે મારા પુત્ર સાથે જીવવું છે, જે થોડા દિવસ મળે… આ કહાણી આજથી 50 વર્ષ પૂર્વેના કટોકટીની કથાનો એક અંશ છે. પુત્રી નંદના આજે પણ પૂછે છે, મારી માની હત્યા કોણે કરી?
HTML Embed Code: